________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
૪૩ ઉત્તરાધ્યયન - મૂલસૂત્ર-૪/૨
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન અધ્યયન - ૭ “ઓરશ્રીય છે.
૦ ક્ષુલ્લક નિગ્રન્થીય નામે છઠું અધ્યયન કહ્યું. હવે સાતમું આરંભે છે. તેનો અભિસંબંધ આ છે- અનંતર અધ્યયનમાં નિર્ચન્થત્વ કહ્યું. તે સમૃદ્ધિના પરિહારથી જ જન્મે છે. અને તેના વિપક્ષે અપાય જાણવા. તે દષ્ટાંત ઉપન્યાસ દ્વારમાં પરિસ્કૂટ થાય છે. રસગૃદ્ધિ દોષ-દર્શક ઉરભ્રાદિ દાંત પ્રતિપાદક આ અધ્યયન આરંભીએ છીએ. આ સંબંધે અધ્યયન આવેલ છે, તેમાં ઉરભ્ર (ઘેટું) નો નિક્ષેપ કહે છે -
• નિર્યુક્તિ - ૨૪૪, ર૪૫ + વિવેચન -
ઉરભ્રવિષયક નિક્ષેપો ચાર પ્રકારે છે - નામાદિ ભેદથી. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્ય ઉરભ્ર બે ભેદે છે - આગમથી અને નોગમથી. તેમાં આગમથી ઉરભ્ર શબ્દને જાણે પણ તેમાં અનુપયુક્ત. નોઆગમથી દ્રવ્ય ઉરભ્ર ત્રણ ભેદે છે, તે પ્રમાણે - (૧) જ્ઞશરીર ઉરભ્ર - ઉરભ્ર શબ્દાર્થાનું સિદ્ધશિલા તલે રહેલ શરીર. (૨) ભવ્ય શરીર ઉરભ્ર - ઉરભ્ર શબ્દનો અર્થ જાણતો નથી, પણ કાલાંતરે જાણશે, તેનું શરીર. (3) તવ્યતિરિક્ત- તે ત્રણ ભેદે છે. જે અનંતર ભવમાં જ ઉરભ્ર- ઘેટાંપણે ઉપજશે. તે જ ઘેટાના આયુના બંધ પછી આના વડે બદ્ધાયુક કહે છે. ત્રીજું કહે છે - અભિમુખ નામ ગોત્ર, જેને ઘેટા સંબંધી છે તે, અંતર્મુહૂર્ત પછી જ ઘેટાનો ભવ થશે તે.
હવે ભાવ ઉરભ્ર અધ્યયન નામનો બંધ કહે છે : • નિર્યુક્તિ - ૨૪૬, ૨૪૭ + વિવેચન -
ઘેટાનું આયુ. નામ અને ગોત્ર, જેના ઉદયથી તે ઘેટો થાય છે. તે અનુભવતો, ભાવને આશ્રીને ઘેટો. - x-ભાવ ઉરભ્રથી દષ્ટાંતપણાથી અહીં આ નામ ઉત્પન્ન થયેલ છે. • x- *- ઉરભ્રના જ અહીં પહેલાં કહેવાપણાથી બહુવક્તવ્યતાથી આ કહેલ છે. અન્યથા કાકિણી આદિ દષ્ટાંતો પણ અહીં કહેલ છે. તેથી નિયુક્તિકાર કહે છે - ઉરભ્ર, કાકિણી, આમ્રફળ, ક્રય - વિક્રમરૂપ વ્યવહાર, સમુદ્ર આ પાંચ દષ્ટાંતો જ આ ઉરભ્રીય અધ્યયનમાં છે. હવે ઉરભ્રની દષ્ટાંતતાને જણાવે છે -
• નિર્યુક્તિ - ૨૪૮ - વિવેચન
આરંભ - પૃથ્વી આદિનું ઉપમર્દન, રસગૃદ્ધિ - મધુરાદિ રસની આકાંક્ષા, દુર્ગસિગમન - નરક, તિર્યંચાદિમાં પર્યટન, અહીં જ તેના અપાયમાં શિરચ્છેદાદિ થાય, તેનાથી આર્ત-રીન્દ્ર ધ્યાન યુક્ત થઈ દુર્ગતિમાં પડે. દુઃખાદિ અનુભવવા રૂપ ઉપમા - સાદેશ્ય ઉપદર્શનરૂપ. કમથી આરંભાદિ અથ વડે ઉરભ્રના વિષય કરાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org