________________
૧૫/૪૯૬
૧૫૧ સર્વદર્શી. એમ હોવાથી કોઈપણ સચિત્તાદિ વમાં મૂર્શિત ન થાય, આના વડે પરિગ્રહ નિવૃત્તિ કહી. અપ્રતિબદ્ધ વ્યક્તિ કઈ રીતે અદત્ત લઈ શકે? તેનાથી અદતાદાનની નિવૃત્તિ જાણવી આ પ્રમાણે મૂલગુણ યુક્ત હોય તે ભિક્ષુ થાય છે.
• સૂત્ર - ૪૯૭ -
કઠોર વચન અને વધને પોતાના પૂર્વકૃત કર્મોના ફળને જાણીને જે ધીમુનિ શાંત રહે છે, લાઢ છે, નિત્ય આત્મગુપ્ત છે, આકુળતા અને હષાતિરેકથી રહિત છે, સમભાવે બધું સહે છે, તે ભિક્ષુ છે.
• વિવેચન - ૪૯૭ -
આક્રોશ કરવો તે આક્રોશ, અસભ્ય આલાપ. વઘ - ઘાત કે તાડન, આક્રોશ વધને જાણીને, આ સ્વકૃત કર્મનું ફળ છે, એમ માનીને ધીર પુરુષ સમ્યક્રતયા સહન કરે, મુનિ અનિયત વિહારપણાથી ચરે. આના વડે આક્રોશ, વધ, ચર્યા પરીષહ સહન કરવાનું કહ્યું. નિત્ય - સદા, આત્મા - શરીર, તેના વડે ગુપ્ત તે આત્મગુપ્ત. અથવા ગુમ - અસયંમ સ્થાનોથી રક્ષિત કરેલો છે આત્મા જેણે તે. અવ્યગ્ર - અનાકુલ. અસમંજસ, ચિંતાથી ઉપરમ, તેથી મન:- ચિત્ત જેનું છે તે, વ્યગ્રમનવાળા. અસંપ્રહષ્ટ - આક્રોશાદિમાં હર્ષવાનું ન બને.
હવે આનો ઉપસંહાર કહે છે - ઉત્કૃષ્ટાદિ ભેદથી સમસ્ત આક્રોશ અને વધને સમભાવે સહન કરે છે, તે ભિક્ષુ છે.
• સૂત્ર - ૪૯૮ -
જે પ્રાંત શયન અને આસનને સમભાવે સ્વીકારે છે, શીત ઉષ્ણ તથા ડાંસ, મચ્છરાદિના ઉપસર્ગો'માં હર્ષિત કે વ્યથિત થતા નથી, જે બધું જ સહી લે છે, તે ભિક્ષુ છે.
• વિવેચન - ૪૯૮ -
પ્રાંત - તુચ્છ શયન - સંસ્તારકાદિ, આસન - પીઠક આદિ, ઉપલક્ષણથી ભોજન, આચ્છાદનાદિને સેવીને શીત અને ઉષ્ણ પરીષહને સેવીને, વિવિધ પ્રકારના દંશ અને મશક, ઉપલક્ષણાદિથી માંકડ વગેરે જે અવ્યગ્ર મનથી અને અસંપહષ્ટ થઈને સહન કરે તે ભિક્ષ છે. અહીં જે પ્રાંત શયનાસનને ભોગવીને કહ્યું, તે અતિ સાત્વિક્તાના દર્શનાર્થે છે. પ્રાંત શયનાદિતામાં જે શીતાદિ અતિ દુસહ છે. આના વડે શીતોષ્ણ દંશમશક પરીષહને સહન કરવાનું કહ્યું.
• સૂત્ર - ૪૯૯ -
જે ભિક્ષ સત્કાર, પૂજા અને વંદના પણ ઇચ્છતા નથી. તે કોઈ પાસેથી પ્રશંસાની અપેક્ષા કઈ રીતે કરશે? જે સયત છે. સુવતી છે અને તપસ્વી છે, જે નિર્મળ આચારથી યુક્ત છે, આભગવેષી છે, તે ભિક્ષુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org