SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૫ ત્રણ, બે, પંદર, છે ભેદો છે. આયત સંસ્થાનમાં પીસ્તાળીશ, બાર, છ ભેદો થાય અને પરિમંડલમાં ૨૦ અને ૪૦ થાય. આયતમાં છ ભેદ અભિધાનના અવ્યાપિન્વથી પૂર્વે ન કહ્યા છતાં શ્રેણિગત બે ભેદ અધિકનો ત્યાં સંભવ છે. તથા પરિમંડલાદિત્વમાં પણ સંસ્થાનોના વૃત્તાદિ ભેદોનો ઓજઃ પ્રદેશ પ્રતરાદિના અનંતોરાદિષ્ટત્વથી પ્રત્યાત્તિન્યાયથી યથાક્રમ પંચક આદિથી પહેલાં ઉપદર્શન કર્યું. પછી પરિમંડલના બે ભેદોનું ઉપદર્શન કરવું. તેમાં ઓજઃ પ્રદેશ પ્રતર-વૃત્ત પાંચ અણુ નિષ્પક્ષપાંચ આકાશ પ્રદેશાવગાઢ, તેમાં અહીં એક અણુ અંતરથી સ્થાપવું, ચારે- પૂર્વાદિ દિશામાં એક-એકની સ્થાપના કરવી. આ પ્રમાણે કૃતિકારીએ ઉક્ત - નિર્યુક્તિ ૩૯ થી ૪૧ના અર્થ પ્રમાણે પાંચ, બાર, સાત, બત્રીશ, ત્રણ, છ ઈત્યાદિ ભેદોની સ્થાપના આકૃતિ સહિત દરેલ છે. જિજ્ઞાસુઓએ આકૃતિ અને તેની સ્થાપનાની રીત મૂળ વૃત્તિમાં જોવી. અમે અહીં માત્ર પહેલી સ્થાપના ઉપર દર્શાવી છે. બાકી યથાયોગ્ય જાણી લેવી. પરમાણુનો ઇતરેતરયોગ કહ્યો. હવે તેના જ પ્રદેશોને કહે છે - • નિર્યુક્તિ - ૪૨ - વિવેચન ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પગલોના પ્રદેશો, તેના પાંચ સંખ્યાપણાથી સંયોગ જાણવો. તે ઋતત્વથી ધમદિ વડે સ્કંધોથી તથા તેના અંતર્ગત દેશોથી અને પ્રદેશાંતરથી, સજાતીય અને વિજાતીયથી પ્રદેશોનો સંયોગ “ઇતરેતર” નામે પ્રદેશ સંયોગ કહેવાય છે. આના જ વિભાગ કહે છે - ધર્મ, અધર્મ અને આકાશ પ્રદેશોના ધર્માદિ વડે જ ત્રણથી, તેના જ દેશો અને પ્રદેશાંતરથી પ્રકૃતત્વથી ઇતરેતર સંયોગ અનાદિ અને આદિ બે ભેદે છે. તે પારિશેષ્યથી જીવપ્રદેશ અને પુગલ પ્રદેશ જાણવા. તેથી જ કહે છે કે - સંસારી જીવ પ્રદેશો અને કર્મપુદગલ પ્રદેશો પરસ્પર અને ધર્માદિ પ્રદેશો સાથે સંયોજાય છે અને છુટા પડે છે. જીવ પ્રદેશોનો ધમદિ ત્રણેના દેશ, પ્રદેશની અપેક્ષાથી પુગલ અને સ્કંધાદિની અપેક્ષાથી આદિ સંયોગ છે, ધમિિદ સ્કંધ ત્રણની અપેક્ષાદિથી અનાદિ છે. પગલ પ્રદેશોના પણ ધમદિ સ્કંધ ત્રણની અપેક્ષાથી અનાદિ અને શેષ અપેક્ષાથી આદિ છે. - x x પ્રદેશોનો ઇતરેતર સંયોગ કહ્યો. હવે તેના અભિપ્રેત અને અનભિપ્રેત ભેદરૂપને કહે છે - • નિર્યુક્તિ - ૩ - વિવેચન • અભિપ્રેત અને અનભિપ્રેત ઇતરોતર સંયોગ શબ્દાદિ પાંચ વિષયોમાં જાણવો. અર્થથી ઇંદ્રિય અને મનની તેમાં ગ્રહણ પ્રવૃત્તિમાં ગ્રાહ્ય - ગ્રાહક ભાવ છે. તે અભિપ્રેતાર્થ વિષયક અભિપ્રેત અને અનભિપ્રેત અર્થ વિષયથી અનભિપ્રેત થાય છે, તેમ જાણવું. અહીં અભિપ્રેત અને અનભિપ્રેત વિષયત્વમાં અભિપ્રેત અને અનભિપ્રેતનો ઇતરેતર સંયોગ છે. તેમાં ઇંદ્રિયોના પ્રમોદ હેતુતાથી અનુકૂળ થવ્યકાકલીગીતાદિથી અભિપ્રેત અને પ્રતિલોમ - ઉક્ત વિપરીત કાકસ્વરાદિ તે અનભિપ્રેત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy