________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ અનંતગુણત્વથી કહેલ છે. આના વડે સચિતાદિ સંયોગદ્રવ્યના જૈવિધ્યથી સંયુક્ત સંયોગનું જૈવિધ્ય કહેલ છે. તેમાં વૃક્ષાદિનું સચિત સંયુક્ત દ્રવ્ય સંયોગના વિવરણને માટે કહે છે -
૩૨
• નિયુક્તિ - ૩૨ વિવેચન -
મૂલ - સ્વ અવયવ વડે નીચે પ્રસરેલ, કંદ - તે જ મૂળ અને સ્કંધના અંતરાલવર્તી, સ્કંધ-થડ, ત્વચા - ચામડી રૂપ, છાલ. સાલ - શાખા, પ્રવાલ - પલ્લવ, પત્ર - પાન, ફળપુષ્પ અને બીજો વડે સંબંધ છે તેથી વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ આદિનો સંયુક્તક સંયોગ છે. તેજ પહેલાં ઉગતાં અંકુરા રૂપે પૃથ્વી સાથે સંયુક્ત જ મૂળ વડે જોડાય છે, પછી મૂળથી સંયુક્તક જ કંદથી છે, કંદસંયુક્ત જ સ્કંધથી છે. એ પ્રમાણે છાલ, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજો વડે પૂર્વ સંયુક્ત જ ઉત્તરોત્તરથી સંયોજાય છે, એમ ભાવના કરવી. એ પ્રમાણે ધર્મ અને ધર્મી વચ્ચે કથંચિત અનન્યત્વથી આ પ્રમાણે કહેલ છે, તેથી દોષ રહિત છે. એ પ્રમાણે ઉત્તર ભેદો પણ જાણવા.
"
.
હવે અણુ આદિ અચિત સંયુક્ત દ્રવ્ય સંયોગ કહે છે • નિયુક્તિ - ૩૩ - વિવેચન -
.
·
એકરસ - તિક્ત આદિ રસમાંનો કોઈ એક, એક વર્ણ - કૃષ્ણ આદિ વર્ણમાંથી કોઈ એક, એક ગંધ - સુગંધી કે દુર્ગન્ધી, તથા બે અવિરુદ્ધ સ્નિગ્ધ, શીત આદિ સ્પર્શ જેનો છે તે, ચ શબ્દથી સ્વગત અનંત ભેદો જાણવા. આવો પરમ - જેનાથી અન્ય સૂક્ષ્મતરનો અસંભવ છે, તેવો પ્રકર્ષવાન અણુ, તે પરમાણુ અને બે અણુ આદિ. સ્કંધ • જેના બે પ્રદેશ છે તેવો દ્વિપ્રદેશ - દ્વિઅણુક, ત્રિપ્રદેશ આદિથી અચિત્ત મહાસ્કંધ સુધી, તેના વડે સંયોજ્ય. વિજ્ઞેય - સંખ્યાત, અસંખ્યાત, અનંત ભંગ વિભાવના રૂપથી જાણવું. અચિત સંયુક્ત સંયોગ – પરમાણુ જો ત્રિઅણુક આદિ સ્કંધ પરિણતિને પામે ત્યારે રસાદિ સંયુક્ત જ દ્વિ અણુકાદિ સ્કંધ વડે સંયોજાય છે, જો તિક્તતા આદિ પરિણતિને છોડીને કટુત્વાદિ પરિણતિને પામે છે, ત્યારે પણ વર્ણાદિ વડે સંયુક્ત જ કટુકાદિ વડે સંયોજાય છે. તે સંયુક્ત સંયોગ કહેવાય છે. અહીં કૃષ્ણ પરમાણુ કૃષ્ણત્વને છોડીને નીલત્વને પામે. તે એક ભંગ છે. એ પ્રમાણે બાકીના વર્ણોમાં, તથા રસ, ગંધ, સ્પર્શમાં કહેવું. એ પ્રમાણે બીજો પરમાણું દ્વિપ્રદેશાદિ વડે યોજવાથી સંખ્યાતાદિ ભંગ રચના પામે છે. હવે જીવના મિશ્ર સંયુક્તક દ્રવ્ય સંયોગને કહે છે -
• નિયુક્તિ - ૩૪ વિવેચન -
જે રીતે “ધાતુઓ' કનક આદિ યોનિ રૂપ માટી આદિ, સુવર્ણ તામ્ર આદિ વડે સ્વભાવથી સંયોગ કરે - પ્રકૃતિ, ઈશ્વર આદિ બીજા અર્થોના વ્યાપારની અપેક્ષા વિના જે સંબંધ, તેના વડે મિશ્રિત, તે સ્વભાગ સંયોગ સંયુત હોય છે. આ જ અર્થાન્તર નિરપેક્ષત્વ લક્ષણ પ્રકારથી સંતતિ - ઉત્તરોત્તર નિરંતર ઉત્પત્તિરૂપ પ્રવાહ, તેને આશ્રીને કર્મ - જ્ઞાનાવરણ આદિ સંતતિકર્મ, તેના વડે આની આદિ ન હોવાથી અનાદિ. તે અહીં ક્રમથી આવેલ સંયોગ, તેના વડે તે યુક્ત હોવાથી અનાદિ સંયુક્ત છે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org