SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૬/૧૬૬, ૧૬૭ • સુણ - ૧૬૬ ૧૭ કર્મોથી દુઃખ પામતા પ્રાણીને સ્થાવર - જંગમ સંપત્તિ - ધન, ધાન્ય અને ગૃહોપકરણ પણ નથી મુક્ત કરવાને સમર્થ નથી થતા. બધાને બધાં તરફથી સુખ પ્રિય છે, બધાં પ્રાણીને પોતાનું જીવન પ્રિય છે, તે જાણીને ભય અને વરણી ઉપરત થઈ ફઈ પ્રાણીના પ્રાણ ન કરી • વિવેચન - ૧૬, ૧ - અઢામ - આત્મામાં જે વર્તે છે, અથવા અધ્યાત્મ એટલે મન, તેમાં જે રહે છે, તે અધ્યાત્મસ્થ, આના પ્રસ્તાવથી સુખાદિ, જે ઇષ્ટ સંયોગ અને અનિષ્ટ વિયોગાદિ હેતુથી જન્મેલ છે. નિરવશેષ પ્રિયત્ન આદિ સ્વરૂપથી અવધારીને, તથા પ્રાણ - પ્રાણી, આત્મવતુ સુખપ્રિયત્વથી પ્રિય દયા - જેનું રક્ષણ કરે તે પ્રિયદયાવાળો. અથવા જેને આત્મા પ્રિય છે, તે પ્રિયાત્મક. તેને જાણીને ન હણે, અતિપાત ન કરે તેમજ ન હણાવે ઇત્યાદિ - x-. પ્રાણ - ઇંદ્રિયાદિ, કેવો થઈને? ભય અને વૈર-પ્રઢષ, તેનાથી નિવૃત્ત થઈને અથવા અધ્યાત્મસ્થ શબ્દના અભિપ્રેત પર્યાયત્વથી રૂઢ-પણાથી અધ્યાત્મસ્થ - જે જેને અભિમત છે, તે સુખ જ બધી દિશાથી કે બધાંના મનો અભિમત શબ્દાદિથી જન્મેલ બધું શારીરિક-માનસિક તને ઇષ્ટ છે. તે પ્રમાણે બીજા પ્રાણીને પણ ઇષ્ટ છે, તેમ વિચારીને પ્રાણી પરત્વે પ્રિયદા થાય. - *- અહીં પ્રાણાતિપાત લક્ષણ આશ્રય નિરોધને જાણીને બાકીના આશ્રયનો નિરોધ કહે છે - ૦ - ૧૬૮ - અદત્તાદાન નરક છે, એમ જાણીને ન પામેલ તરાલ પણ ન લે. અસંયમ પ્રતિ જુગુપ્સા રાખનાર મુનિ પોતાના પાત્રમાં દેવાયેલું ભોજન જ કરે. • વિવેચન : ૧૬૮ અપાય તે આદાન - ધન, ધાન્યાદિ. નરકના કારણ પણાથી નરક છે તેમ જાણીને શું? ન ગ્રહણ કરે, ન સ્વીકારે યાવત તણખલું પણ ન લે, તો ચાંદી - સોનાની વાત ક્યાં રહી? તો પ્રાણ ધારણ માટે શું કરે? પોતાને આહાર વિના ધર્મધુરાને ધારણ કરવા સમર્થ ન હોવાના સ્વભાવથી જુગુપ્સા કરે. આત્મનઃ એટલે પોતાના ભાજન કે પાત્રમાં ભોજન સમયે ગૃહસ્થો વડે અપાયેલ આહારનું જ ભોજન કરે. આના વડે આહારનો પણ ભાવથી અસ્વીકાર કહ્યો. જુગુપ્તા શબ્દ વડે તેનો પ્રતિબંધ દર્શાવ્યો. પછી પરિગ્રહ આશ્રયનો નિરોધ કહ્યો. તેના ગ્રહણથી તેની મધ્યેના મૃષાવાદ, અદત્તાદાન, મિથુન રૂપ ત્રણે આશ્રયનો નિરોધ કહ્યો. અથવા “સત્ય” શબ્દથી સાક્ષાત્ સંયતને કહેતા મૃષાવાદ નિવૃત્તિ બતાવી. કેમકે તેના દ્વારથી પણ તેનું સત્યત્વ છે. “આદાન' આદિ વડે સાક્ષાત્ અદત્તાદાન વિરતિ કહી. અદત્તનું આદાન- ગ્રહણ રૂઢ છે. તેને નરકનો હેતુ જાણીને તણખલું પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy