SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૧૬ ૧૬૧ વડે નિર્વર્તિન, જેમ કોઈ ઘટ આદિ, તેના નિત્ય અભિસંબંધથી તેને સંસ્કારવા તે. જે ઉતકરણ કરવું, તે જ સંસ્કૃત જાણવું. તેથી અંત્ય સંસ્કારની અનુચિતતા થી વિદીર્ણ મુક્તાફળ ઉપમાવાળું તે અસંસ્કૃત જ છે. ‘અસંસ્કૃત' એ સૂત્ર અવયવની આ નિર્યુક્તિ હવે કહેવાનાર લક્ષણવાળી છે. આચારના પાંચમાં અધ્યયનના આવંતિ ઇત્યાદિ પદથી તેની વક્તવ્યતા જાણવી. - આ અધ્યયનનું પણ ‘અસંસ્કૃત' એવું નામ છે. × - ×× હાલ સંસ્કૃતિના પ્રતિષેધથી અસંસ્કૃતને કહે છે, તેથી સંસ્કૃત શબ્દનો નિક્ષેપો કહેવો જોઈએ. જો કે ‘સં' એ ઉપસર્ગ પણ છે. તો પણ ધાત્વર્થના ધોતકત્વથી આના કરણનો જ અહીં ધાત્વર્થ થકી નિક્ષેપો કરવા નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૧૮૩ + વિવેચન . નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તેથી જ વસ્તુરૂપતા લક્ષણ પ્રકારથી ભાવ જ કરણ વિષયમાં નિક્ષેપ છ ભેદે થાય છે. *** (૧) નામકરણ - કરણ એવું નામ જેમ પ્રિયંકર, શુભંકર એવા નામ છે અથવા નામથી કરણ તે નામકરણ. (૨) સ્થાપનાકરણ - અક્ષમાં નિક્ષેપાદિ, અથવા જે જે કરણનો અકાર હોય તે. , - x- (૩) દ્રવ્યકરણ – દ્રવ્ય જ કરાય તે કરણ, ભાય સાધન પક્ષમાં દ્રવ્યથી, દ્રવ્યના કે દ્રવ્યમાં યથા સંભવ ક્રિયાત્મક કરણ - ૪ - તે આગમ અને નોઆગમથી બે ભેદે છે. તેમાં આગમથી જ્ઞાતા, પણ તેમાં અનુપયુક્ત હોય. નોઆગમથી જ્ઞ શરીર, ભવ્ય શરીર અને તદ્ વ્યતિરિક્ત ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં પહેલાં બે પ્રતીત છે, તેનો અનાદર કરીને તેનાથી વ્યતિરિક્ત કહે છે. • નિયુક્તિ - ૧૮૪ + વિવેચન - નોઆગમથી દ્રવ્યકરણ વિશેષથી બે ભેદે છે - સંજ્ઞાકરણ અને નોસંજ્ઞાકરણ. તેમાં સંજ્ઞાકરણ કહે છે - કટકરણ અને અર્થકરણ. તે કટ નિર્વર્તક ચિત્ર, આકારમય અને અર્થ અભિનિર્વર્તક અધિકરણી આદિ જેનાથી હૂકમ આદિ નિપ્પાદિત થાય છે. અથવા અર્થાર્થ કરણ તે અર્થકરણ, જેમાં રાજા અર્થને ચિંતવે છે. અથવા તે તે ઉપાયો વડે કરાય છે તે અર્થકરણ - ૪ -. (શંકા) નામકરણ અને સંજ્ઞાકરણમાં શો ભેદ છે? અહીં નામકરણ તે કરણ એવું અભિધાનમાત્ર છે. સંજ્ઞાકરણ જેમાં અન્વર્થ હોય છે. સંજ્ઞાકરણમાં જ કટકરણ આદિમાં કરાય છે. આમાં કરણ એ અનુગત અર્થ જણાય છે. આ દ્રવ્ય રૂપો છે. ‘કરણ’ એ રૂઢિથી સંજ્ઞાકરણ કહેવાય છે. - ૪ - ૪ - નો સંજ્ઞાકરણ તે, જે કરણ નથી પણ તે સંજ્ઞાથી રૂઢ છે. આને જ ભેદથી જણાવે છે• નિયુક્તિ - ૧૮૫ + વિવેચન -X-X વ્યાપાર, નોસંજ્ઞાકરણ વળી પ્રયોગથી અને વિશ્રસાથી જાણવું. તેમાં પ્રયોગ - જીવ તે હેતુક કરણ તે પ્રયોગ કરણ. - x - તેનાથી વિપરીત તે વિશ્રસાકરણ. તેમાં પશ્ચાત્ કહેવા છતાં અલ્પ વક્તવ્ય, એ વિશ્રસાકરણ કહે છે - આદિ સહિત વર્તે તે સાદિક, તેનાથી અન્ય તે અનાદિક. એ પ્રમાણે બે ભેદે છે. મૂલ ભેદની અપેક્ષાથી, વિશ્રસા કરણ - ઉક્તરૂપ છે. તેમાં અનાદિકને કહેવાને બતાવે છે - 37/11 Jainternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy