SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ તે વખતે શરદ ઋતુમાં તે ગંગદેવાચાર્ય, આચાર્ય મહાગિરિના વંદનને માટે ત્યાંથી નીકળ્યા. તે ઉપરી ખલ્વાટથી, તે ઉત્સુક નદીને પાર ઉતરતા હતા, ત્યારે તે ખલતિ ઘણી ઉષ્ણ હોવાથી દઝાડતી હતી અને નીચે શીતળ પાણી વડે પગમાં ઠંડી લાગતી હતી. ત્યારે તેને વિચાર આવ્યો કે- જેમ સૂત્રમાં કહેલ છે કે- એક જ ક્રિયા વેદાય છે - શીત અથવા ઉષ્ણ. પરંતુ હું હાલ બે ક્રિયાનું વેદન કરું છું - શીત અને ઉષ્ણનું. તેથી એક સમયે બે ક્રિયાનું વેદના થાય છે. ત્યારે તેણે આચાર્યને આ વાત કરી. આચાર્ય ભગવંતે તેને સમજાવ્યું કે- હે આર્ય તું આવી પ્રરૂપણા ન કર, એક સમયે બે ક્રિયા કદી વેચાતી નથી. જે જ્યારે જણાય છે, તે ત્યારે હોય છે. જેમ શ્વેત વર્ણ શ્વેતપણે જ જણાય છે. ઉપયોગ એક સાથે બે વર્તતા નથી. પણ ક્રમાનુલક્ષણ માત્રથી જ વર્તે છે. (આ પૂર્વે ત્રણ નિલવોમાં અમે વૃત્તિકાર કથિત વાદ, તર્ક, પ્રતિવાદાદિ મૂકેલા છે. પણ અહીં માત્ર અનુવાદથી આર્થને સમજવો કઠિન છે, વાસ્તવમાં આ આક્ષેપ-પરિહાર તજજ્ઞ પાસે જ સમજી શકાય તેવા હોવાથી અમે નોંધેલ નથી, જિજ્ઞાસુઓએ મૂળ વૃત્તિથી સમજવા પ્રયત્ન કરવો જ સલાહ ભરેલો છે, અથવા ગ્રંથાંતરથી જાણવો શક્ય છે.) - બહુ બહુવિધ આદિના ગ્રહણમાં ખરેખર ઉપયોગની બહુતા ભૃતમાં કહેલી નથી. તેના અનેકના ગ્રહણમાં પણ ઉપયોગમાં અનેકતા નથી. - જીવ ઉપયોગમય છે, તેમાં જે કાળે ઉપયોગરાખે છે. તે ઇંદ્રિયના ઉપયોગમાં તન્મય ઉપયોગ રહે છે. તે ઉપયોગ પૂરતી જ તે શક્તિ રોકાય છે. તેથી જ્યારે શીત ઉપયોગ હોય તે સમયે ઉષ્ણ ઉપયોગ ન હોય અને ઉષ્ણ ઉપયોગ સમયે શીત ઉપયોગ ન હોય. આ પ્રમાણે ગુરુ ભગવંત દ્વારા પ્રાપના કરાવા છતાં તે ગંગાચાર્ય તેની શ્રદ્ધા કરતા નથી. અને અસતુ ભાવનાથી આત્માને, બીજાને અને ઉભયને વ્યગ્રહિત કરે છે. સાધુને પણ તેવી પ્રરૂપણા કરતા હતા. આ બધું પરંપરાએ આચાર્યએ સાંભળતા, તેમણે ગંગાચાર્યને વાય, તે પણ સ્થિર ન થયા, ત્યારે સંઘમાંથી બહાર કાઢી મૂકાયા. તે ગંગાચાર્ય ચાલતા - ચાલતા રાજગૃહીએ ગયા. ત્યાં એક ચૈત્ય મહાતપસ્વીરપ્રભ નામે હતું. ત્યાં મણિનાગ નામે નાગ (યક્ષ) તે ચૈત્યમાં રહેતો હતો. ત્યાં ગંગાચાર્યએ પર્ષદાની મધ્યે આ પ્રમાણે પ્રરૂપણા કરી કે - નિશ્વે જીવો એક સમયે બે ક્રિયાને વેદે છે. ત્યારે તે મણિનાગે તે જ પર્યાદામાં કહ્યું કે- તમે આવી પ્રજ્ઞાપના ન કરો, આ પ્રજ્ઞાપના સુંદર નથી. હે દુષ્ટ શૈક્ષ! હું આટલા લાંબા કાળથી વર્ધમાન સ્વામીની પાસે ધર્મ શ્રવણ કરતો આવેલ છે. તેમણે કહ્યું છે કે એક જ ક્રિયા વેદાય છે. તમે તેનાથી પણ વિશેષતર જ્ઞાની થયા છો શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009028
Book TitleAgam Satik Part 37 Uttaradhyanan Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy