________________
૧3૪
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧ કરે છે. આપ મારે ઘેર પગલાં કરવા પધારો. એ પ્રમાણે તિષ્યગુમ આદિ આવ્યા. ત્યારે તેમના દ્વારા બનાવાયેલ ને વિપુલ ખાધને લાવ્યા. ત્યારે તે એક-એક ટુકડો ટુકડો બધી વસ્તુનો વહોરાવે છે. જરા ભાત, થોડી દાળ, વસ્ત્રાનો ખંડ ઇત્યાદિ.
તિષ્યગુમાદિએ વિચાર્યું કે આ પછીથી બધું આપશે. ત્યાર પછી મિત્રશ્રી પગે પડ્યો અને સ્વજનોને કહ્યું કે • વંદન કરો, સાધુઓને પ્રતિલાભિત કર્યા. અહો ! હું ધન્ય છું કે આપ મારે ઘેર પધાર્યા. ત્યારે તિષ્યગણે કહ્યું કે કેમ અમારું અપમાન કરો છો ? મિત્રશ્રી બોલ્યો કે - કેમ આપનો જ સિદ્ધાંત છે કે પર્યન્ત અવયવ માત્ર જ અવયવી છે. જો તે વાત સત્ય હોય તો પછી અપમાન કઈ રીતે થયું? અથવા “
મિચ્છામિ દુક્ક' આપે મને આપને સિદ્ધાંતથી લાભ આપ્યો. હવે આપને ભગવંત મહાવીરના સિદ્ધાંત પ્રમાણે પ્રતિલાલીશ. એ પ્રમાણે કહેતા સાધુ બોધપામ્યા. હે આર્ય આપે મને સમ્યક રીતે પ્રેરણા કરી. ત્યાર પછી શ્રાવકે પ્રતિલાભિત કરી, મિચ્છામિ દુક્કડં આપ્યું.
એ પ્રમાણે તિષ્યગુમાદિ બધાં બોધ પામીને આલોચના અને પ્રતિક્રમણ કરીને વિચરે છે.
હવે આષાઢાચાર્ય નિમિત્તે ઉત્પન્ન “અવ્યક્તો” ને કહે છે. • લિક્તિ - ૧૬૯ + વિવેચન - આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી આ પ્રમાણે જણાવે છે -
તે કાળે તે સમયે શ્રમણ ભગવંતને ર૧૪ વર્ષ સિદ્ધિ ગયાને થયા. ત્યારે ત્રીજો નિહર ઉત્પન્ન થયો.
શ્વેતાંબી નગરીમાં પોલાસ નામ ઉધાન હતું. ત્યાં આર્ય અષાઢ નામે આચાર્ય અને વાચનાચાર્ય હતા તે પધાર્યા. તેમને ઘણાં શિષ્યો આગાઢ યોગ સ્વીકારીને ભણતાં હતાં. આષાઢાચાર્યને રાત્રિમાં વિસૂચિકા થઈ. તેણે વાયુ વડે નિરોધ કર્યો. કોઈને ઉઠાવ્યા નહીં. ચાવતુ તે કાલધર્મ પામ્યા.
સૌધર્મકલ્પમાં નલિનીગુભ વિમાનમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાન પ્રયો. પોતાનું શરીર જોયું, તે સાધુઓને આગાઢ યોગમાં રહેલા જોયા. સાધુઓ પણ જાણતા નહતા ત્યારે તે જ શરીરમાં તે દેવે પ્રવેશ કર્યો. પછી બધાંને ઉઠાડ્યા, વૈરાણિક કરાવ્યું. એ પ્રમાણે તેમના દિવ્ય પ્રભાવથી બધાંને અધ્યયન પ્રાપ્ત થતાં યોગ પૂરા કર્યા.
યોગ નિષ્પન્ન થયા પછી તેઓને કહ્યું - હે ભગવંતો ! આપ મને ક્ષમા કરજો. કેમકે મેં સયતે વંદન કરાવ્યા. હું અમુક દિવસે કાળધર્મ પામેલો. એ પ્રમાણે તેખમાવીને ગયા. સાધુઓએ પણ ગુરુનાતે શરીરનો ત્યાગ કરીને આવો અભ્યથિત સંકલ્પબધાંએ સ્વીકાર્યો કે આટલો કાળ આપણે અસંયતને વંદન કર્યું તેથી અવ્યક્ત ભાવ ભાવે છે. અર્થાત બધું જ અવ્યક્ત છે. કોણ સંયત છે ? અને કોણ દેવ છે? એ કોણ જાણે છે. તેથી મૃષાવાદ ન થાય અને અસંયતોને વંદન પણ ન થાય, જ્યાં સુધી આપણે પરસ્પર વિશ્વાસ ન બેસે કે- આમાં કોઈ સંયત છે કે નહીં ત્યાં સુધી વંદનાદિ ન કરવા. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org