________________
૩ ૬/૬ર નિ - ૧૫૫૬ થી ૧૫૬૧
૧૪૯
૧૫o
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ તથા અણુવ્રત ચતુટ્ય ગ્રહણ કરે તેમાં પણ છે. એ રીતે અણુવ્રત ત્રણ ગ્રહણ કરે. તેમાં પણ છે, એ પ્રમાણે અણવત બે ગ્રહણ કરે તેમાં પણ છ તથા કોઈ એક અણુવત ગ્રહણ કરે, તેમાં પણ છે,
આ પ્રમાણે અનેક પ્રકારે વ્રતોને ગ્રહણ કરે કેમકે શ્રાવકધર્મનું આ વૈવિધ્ય છે. અહીં પાંચ x છ = બીશ ભેદો થયા. સ્વીકારેલ ઉતગુણ સાથે એકઝીશમો ભેદ થયો અને - x - કેવળ સમ્યગદર્શની સાથે એક ભેદ ઉમેરતા કુલ બબીશ ભેદ થાય.
(૧) કૃત (૨) કારિત. તે ત્રણ કરવાથી - મન વડે, વચન વડે, કાયા વડે, અર્થાત્
સ્થૂળ પ્રાણાતિપાત પોતે કરતા નથી, બીજા પાસે કરાવતા નથી. તે પ્રમાણે મનથી, વયનથી, કાયાથી, આ પહેલો ભેદ. આમને અનુમતિ પ્રતિષિદ્ધ નહીં, કેમકે સંતાન આદિના પરિગ્રહનો સદ્ભાવ છે. તેના વ્યાવૃત્તિકરણમાં તેમની અનુમતિનો પ્રસંગ આવે છે. અન્યથા પરિગ્રહ અને અપરિગ્રહમાં કંઈ તફાવત નહીં રહે. પ્રવજિત - અપવજિતમાં અભેદ આપત્તિ છે.
અહીં શંકા કરે છે – ભગવતી આગમમાં ત્રિવિધ ત્રિવિધે પણ ગૃહસ્થોને પ્રત્યાખ્યાન કહેલ છે અને તે શ્રુતોક્ત હોવાથી અનવધ જ છે. તો તે અહીં નિર્યુક્તિકારે શા માટે ન કહ્યા ?
[સમાધાન તેના વિશેષ વિષયવથી. તે આ રીતે – નિશે જે પ્રતિમાને અંગીકાર કરે અને સંતતિ પાલનાદિથી મુક્ત છે, તે ત્રિવિધ ત્રિવિધે કરે છે અથવા વિશેષ્ય - કોઈ વસ્તુ સ્વયંભૂરમણના મસ્યાદિ અને સ્થૂળ પ્રાણાતિપાત ઈત્યાદિ. પરંતુ સર્વ સાવધ વ્યાપાર વિરમણોને આશ્રીને નહીં.
શંકા] નિયુક્તિકારે સ્થૂલ પ્રાણાતિપાતાદિમાં પણ વિવિધ ગિવિધ વિકલ્પ કહ્યો નથી, તેનું શું ? • x - [સમાધાન આ વાત સત્ય છે, પરંતુ બાહુલ્ય પક્ષને આશ્રીને નિર્યુક્તિકારે જણાવેલ છે. જે વળી કોઈ અવસ્થા વિશેષમાં કદાચિત જ આયરાય છે, સુષ્ઠસમાચારીમાં નહીં. તે કહેલ નથી. બહુલતાથી ‘દ્વિવિધ ગિવિધેન' વડે છ વિકલ્પો બધાં ગૃહસ્થોને બધાં જ પ્રત્યાખ્યાનમાં થાય છે.
બીજો ભેદ - સ્થૂલ પ્રાણાતિપાત ન કરે, ન કરાવે. મનથી અને વચનથી. અથવા મન અને કાયાથી અથવા વચન અને કાયાથી. અહીં પ્રધાન ઉપસર્જન ભાવ વિપક્ષાથી ભાવાર્થ જાણવો.
તેમાં જ્યારે મનથી અને વચનથી કરે નહીં, કરાવે નહીં ત્યારે મન વડે જ અભિસંધિરહિત જ વચન વડે પણ હિંસક ન બોલે, કાયા વડે જ દુશ્લેષ્ટિતાદિથી અસંજ્ઞિવત કરે છે.
જ્યારે મનથી અને કાયાથી ન કરે, ન કરાવે ત્યારે મનથી અભિસંધિ રહિત જ કાયા વડે દુશેષ્ટિતાદિ પરિહરતો અનાભોગથી વાયા વડે જ હિંસક બોલે. જો વાચા અને કાયાથી ન કરે, ન કરાવે ત્યારે મન વડે જ અભિસંધિને આશ્રીને કરે છે.
અનુમતિ તો ત્રણે વડે પણ સર્વત્ર હોય જ છે. એ પ્રમાણે શેપ વિકલ્પો પણ કહેવા. દ્વિવિધ-એકવિધવી, એકવિધ-ગિવિધથી.
૧૫૫૯] એકવિધ-વિવિધથી. એકવિધ - એકવિધથી છે ભેદ થાય. પ્રતિપક્ષ ઉત્તગુણ સાતમો. અહીં સંપૂર્ણ અસંપૂર્ણ ઉત્તરગુણ ભેદનો અનાદર કરીને સામાન્યથી એક ભેદ કહેલ છે. અવિરત સમ્યગદષ્ટિ એ આઠમો ભેદ છે.
[૧૫૬૦] આ રીતે આ આઠ ભેદો દેખાડ્યા. આનો જ વિભાગ કરાતા બનીશ થાય છે. કઈ રીતે ? તે કહે છે -
પાંચ અણુવતો સમુદિત જ ગ્રહણ કરે. તેમાં ઉક્ત લક્ષણા છ ભેદો થાય છે.
[૧૫૬૧] આ મૂલગુણ અને ઉત્તણુણનો આધાર સમ્યકત્વ છે. તેથી કહે છે - “નિસંકિય નિષંખિય” ગાથા. શંકાદિસ્વરૂપ ઉદાહરણ દ્વારથી આગળ અમે કહીશું.
વીરવદન - મહાવીર વર્ધમાનસ્વામીના પ્રવચનમાં આવા અનંતર કહેલાં બનીશ ઉપાસકો - શ્રાવકો કહેલાં છે.
૦ આ બગીશ પ્રકારના શ્રાવકો – કરણ ત્રિક, યોગ પ્રિક, કાળ ત્રિક વડે વિશેષિત કરાતા ૧૪૭ શ્રમણોપાસક થાય છે કઈ રીતે ?
(૧) પ્રાણાતિપાત મનથી ન કરે અથવા પ્રાણાતિપાત વચનથી ન કરે અથવા પ્રાણાતિપાત કાયાથી ન કરે. એ ત્રણ.
(૨) પ્રાણાતિપાત મન અને વચનથી ન કરે અથવા પ્રાણાતિપાત મન અને કાયાથી ન કરે, અથવા પ્રાણાતિપાત વચન અને કાયાથી ન કરે એ ત્રણ.
(3) અથવા પ્રાણાતિપાત મન, વચન, કાયાથી ન કરે. એ એક
(૪) આ સાત ભંગો કરણથી કહ્યા. એ પ્રમાણે કરાવણ - કરાવવા વડે આ જ સાત ભંગો ગણતાં કુલ ૧૪ ભંગો થાય.
(૫) એ પ્રમાણે અનુમોદનથી આ જ સાત ભંગો ગણતાં ૨૧ ભેદ થાય. - અથવા - (૧) મન વડે ન કરે, ન કરાવે. (૨) વચન વડે ન કરે, ન કરાવે. (3) કાયા વડે ન કરે, ન કરાવે. (૪) મન, વચન વડે ન કરે, ન કરાવે. (૫) મન, કાયા વડે ન કરે, ન કરાવે. (૬) વચન, કાયા વડે ન કરે, ન કરાવે. (૩) મન, વચન, કાયા વડે ન કરે ન કરાવે.
આ કરણ અને કરાવણથી સાત ભંગો થયા. એ પ્રમાણે કરણ અને અનુમોદથી સાત ભંગ થાય. એ પ્રમાણ કારાવણ અને અનુમોદથી સાત ભંગો થાય. એ પ્રમાણે કરણ-કરાવણ-અનુમોદથી સાત ભંગો થાય.
આ પ્રમાણે સાત સાત ભંગોથી ઓગણપચાશ વિકલ્પો થાય. આમાં ૪૯-મો વિકતા આ છે - પ્રાણાતિપાત મન, વચન અને કાયાથી સ્વયે