________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
_ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪ 5 આવશ્યક પ્રગ-ટીકા સહિત-અનુવાદ
- X - X - X - X - X - X - X - X - X -
ભાગ-૩૪ ૪૦ આવશ્યક-મૂલરા-૧/૪
આ પૂર્વે ભાગ-૧ થી 3માં આવશ્યક સૂત્રની નિયુક્તિ ૧ થી ૧૨૭૩, સાથળ ૧ થી 3 સંપૂર્ણ અને અધ્યયof-defl સૂમો ૧ થી ૨૬ળું ટીકા સહિત વિવેચક, સાનુવાદ કરેલ છે. આ ભાગ-૪માં અધ્યયન-૪-ળી સૂત્ર-૨૬નું છેલ્લું સૂત્ર “બમીશ યોગસંગ્રહ''થી આરંભીને છ એ અધ્યયન સહિતનું આખું “આવશ્યક સૂઝ” નિયુક્તિ અને મૂળ સૂક્કો સહિત સોનુવાદ વિવેચન પૂર્ણ થાય છે. તેથી ૧૬૩ સુધીની નિયુક્તિ ૯૨ સુધી મૂળ સૂછો તથા અધ્યયન-
૪૫ટેથી આરંભી અધ્યયન-૧ તથા ૬ બધું જ પર થશે.
ભાગ-૧ અને ર માં અમે નિયુક્તિ અને તેનું વિવેચન બંને અલગ અલગ ભાગમાં લીધેલા ભાગ-૩ અને ૪માં નિયુક્તિ અને તેનું વિવેચન બંને સાથે જ લીધેલ છે. અલગઅલગ વિભાગ કરેલ નથી. વાંચતી વખતે સહેલું પડે તે રીતે ટાઈપ-કમ્પોઝ ગોઠવેલ છે.
અધ્યયન-૪-“પ્રતિક્રમણ”...ભાગ-3 થી ચાલુ છે
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે જે ચાર મૂળસૂત્રોમાં પહેલું સૂત્ર છે. તે ‘આવશ્યક’ નામથી પ્રસિદ્ધ છે તેનું પ્રાકૃતમાં શ્રાવણ એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તેને “આવવા' નામે જ ઓળખવામાં આવે છે. આમાં છ અધ્યયનો છે.
મૂળ આવશ્યકનું કદ તો ઘણું જ નાનું છે. માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે. પરંતુ તેની નિયુકિતની સંખ્યા-૧૬૨૩ છે. વળી તેમાં ભાષ્ય અને હાભિદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ મોટુ થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, બૃહભાષ્ય ઈત્યાદિ વિવરણો સાથે રાખવામાં આવે તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તૃત થઈ જાય.
મૂળ આવશ્યકમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પરચખાણ એ છ વિષયો છે. પણ નિયુક્તિ સાથે વૃદ્ધિ અને વૃત્તિ લઈએ તો જેના વાડ્મય બની જાય તેટલા વિષયો અને કથા-દૈટાંત સહ આ આગમ પ્રચૂર માહિતીનો સોત બની રહેલ છે.
અહીં અમે અનુવાદમાં નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, હારિભદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે, પરંતુ વિશેષાવશ્યક ભાષ્યાદિ પણ જોઈ લેવા યોગ્ય જ છે. તેમાં ઘણું જ તાત્વિક ઉંડાણ સમાવાયેલ છે.
અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયેલ છે, તો ક્યાંક વ્યાકરણાદિ પ્રયોગો છોડી દીધા છે. કથા-દષ્ટાંતો પણ ક્યાંક વાક્યપૂર્તિ આદિથી લંબાયા છે, તો ક્યાંક સંક્ષેપ પણ કર્યો છે.
અમે આ આગમને નિર્યકિરણના આધારે ચાર વિભાગમાં વહેંચેલ છે, જેમાં પહેલા ત્રણ ભાગમાં કુલ-૧ થી ૧૨૭૩ નિયુક્તિ અને વિવેચન કર્યા છે. આ ભાગમાં બાકી રહેલી બધી નિયુક્તિ આવી જાય છે.
આ ચોથા ભાગમાં ચોથા અધ્યયનના બાકી રહેલા સૂત્રો અને અધ્યયન-૫ અને ૬ સમાવી આવશ્યક સૂત્ર વિવેચન પૂરુ કરેલ છે. 342]
[અવશ્યકસૂઝના ભાગ-3માં સૂત્ર-૨૬ નોધેલ છે. તેમાં છેલ્લું પેટા સૂત્ર : “બઝીશ યોગસંગ્રહ” વિરો છે. માં છેલ્લા સૂમનો સ્માર્ય ત્યાં નોંધેલ છે, તેનું વિવેચન આ ભાગમાં કરવાનું છે. તે બંને આ પ્રમાણે -
• સૂત્ર-૨૬ :- નિો શેષ ભાગ -1
જમીશ યોગ સંગ્રહને કારણે જે અતિચાર સેવાયેલ હોય તેનું હું પ્રતિક્રમણ રું છું.
• વિવેચન-૨૬ :
જે યોજાય તે યોગ અર્થાતુ મન-વચન-કાયાનો વ્યાપાર, તે અશુભ પ્રતિકમણના અધિકારથી પ્રશસ્ત જ ગ્રહણ કરાય છે, તેમાં શિષ્ય અને આચાર્યની આલોચના નિરાલાપ આદિ પ્રકારથી સંગ્રહ તે યોગ સંગ્રહ. પ્રશાં યોગ સંગ્રહના નિમિતવથી આલોચનાદિ જ તે રીતે કહે છે –
તે બત્રીશ ભેદે હોય છે, તેને દર્શાવવાનો નિર્યુક્તિકાર કહે છે – • નિયુક્તિ-૧૨૩૪ થી ૧૨૩૮ નું વિવેચન :
(૧) આલોચના – પ્રશસ્ત મોક્ષ સાધક યોગોના સંગ્રહને માટે શિષ્ય વડે આચાર્યને સમ્યક્ આલોચના આપવી જોઈએ. (૨) નિપલાપ – આચાર્ય પણ પ્રશસ્ત મોક્ષ સાધક યોગસંગ્રહને માટે જ અપાયેલ આલોચનામાં નિરપલાપ રહે. અર્થાત બીજાને ન કહે. (3) આપત્તિમાં દેઢ ધર્મત્વ- યોગસંગ્રહને માટે બધાં સાધુ વડે દ્રવ્યાદિ ભેદશી આપત્તિમાં દેઢ ધર્મના કવી અર્થાતુ આપત્તિમાં સારી રીતે દે ધમથી રહેવું. (૪) અનિશ્રિતોપધાન – પ્રશસ્ત યોગના સંગ્રહ માટે અનિશ્રિત ઉપધાન કરવા અથવા અનિશ્રિત ઉપધાનમાં ચન કરવો. ઉપધાન એટલે તપ,