SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ઘાત નિ ૧૦૫,૧૦૬ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ છે, કેમકે જીવને કમજનિત ચીકણ રાગદ્વેષનો પરિણામ છે. આ કર્મગ્રંથિ ભેદાવાથી જ સમ્યકત્વ લાભ થાય છે. તે ગ્રંથિ ભેદ મનો વિઘાતના પરિશ્રમાદિથી દુ:સાધ્ય છે, તે આ પ્રમાણે - તે જીવ કર્મ રિસ્પના મધ્યમાં ગયેલો, તે ગ્રંથીને પામીને ઘણો થાકી જાય છે, કેમકે ત્યાં ઘણાં અંતકર કર્મબુ એકઠા થઈને ખેદ આપે છે. - x • બીજો વાદી કહે છે – તે કર્મગ્રંથિ ભેદવાથી શું પ્રયોજન છે ? અથવા સમ્યકત્પાદિના લાભથી શું પ્રયોજન ? ઘણી લાંબી કર્મસ્થિતિ સમ્યકત્વાદિ રહિત હતો ત્યારે પણ ક્ષય કર્યો તેમજ ગણરહિતપણે બાકીના કોડાકોડી સાગરોપમથી કંઈક ન્યૂન ખપાવીને મોક્ષનો ભાગી થાય તો શું વાંધો ? તેવી અવસ્થામાં રહેલો, જો બીજા ગુણો સંપાદન ન કરે તો બાકી રહેલી સ્થિતિનો ક્ષય કરવામાં તથા મોક્ષમાં જવાને સમર્થ નથી કેમકે ચિત્તવિઘાત આદિ ઘણાં વિનો છે, પૂર્વે અપ્રાપ્ય એવા વિશિષ્ટ ફળની નજીક આવી પહોંચેલ છે, પૂર્વે ભોગવેલ સુખાદિથી મોફાફળ મેળવવું અશક્ય થાય * * * * * * * કર્મની સ્થિતિ ખપાવતા પહેલાં ઘણું સહેલું છે. પણ મોક્ષ સાધતી વખતે ઘણી કઠણ છે, તે વખતે ચારિક પાલન અને સમ્યગદર્શન પાલન બધું કઠિન અને વિનવાળું થાય છે. * * • x • સમ્યક્ત્વ પ્રાપ્તિ વિના અા કર્મ પણ દૂર કર્યા વિના મોક્ષ ન સાધી શકે. હવે સમ્યક્ત્વ ગુણ પ્રાપ્તિ વિધિ કહે છે - જીવો બે ભેદે છે - ભવ્ય, અભવ્ય. ભવ્યને ત્રણ કરણ થાય છે પરVT - એક જાતનો વિશેષ પરિણામ. તે આ - યુવા પ્રવૃત્ત કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિ કરણ. યથા પ્રવૃત - જે રીતે પ્રવર્તે છે. તે અનાદિ છે. અપ્રાપ્ત પૂર્વ તે અપૂર્વ, પાછું ન ફરે તે અનિવર્તિ. સમ્યગદર્શન લાભથી ન તિવર્તે છે. તેમાં અભવ્યોને યથાપ્રવૃત કરણ જ હોય. જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પહેલું કરણ છે, તેને ઉલ્લંઘવાથી બીજું થાય. સમ્યક્ દર્શન લાભાભિમુખને બીજું કરણ હોય. હવે ત્રણ કરણોને આશ્રીને સમ્યકત્વ સામાયિક આદિ લાભની દષ્ટાંતોને કહે પ્રશ્ન - આ દેહાંત જ અનુપપન્ન છે. કેમકે સંસારી વ્યાપારવાળા જીવને દરેક સમયે ચય-અપચય બતાવ્યા છે. તેમાં અસંયતને ચય ઘણો થાય અને અપચય થોડો થાય. કહ્યું છે કે - જેમ કોઈ મોટા પાયામાં ઘડો ભરી ભરીને નાંખે અને નળ ભરી-ભરીને કાઢે તેવું અસંયત અવિરતિને હોય છે, તે ઘણાં બાંધે અને થોડાં ખપે છે. ચાસ્ટિવંતને ઉલટું છે - પ્રમત સંયતને ઘણી નિર્જરા અને થોડો કર્મબંધ થાય છે.. - હવે અપ્રમત્તને બીલકુલ બંધ ન થાય તે કહે છે – જેમ મોટા પાયામાં ઘડો ભરી-ભરીને કાઢે અને નાંખે જરા પણ નહીં, તેમ અપમત સંયત ઘણી નિર્ભર કરે અને જરા પણ ન બાંધે. અસંયત મિથ્યાર્દષ્ટિને ઘણો બંધ અને થોડી નિર્જરા થાય, તો તેને ગ્રંથિ ભેદની પ્રાપ્તિ ક્યાંતી થાય? તે બાહુલ્યતાને આશ્રીને કહેલ છે. જો સર્વથા તેમજ માનીએ, તો ઘણો ચય થવાથી બધાં કર્મ પુદ્ગલો તેઓ ગ્રહણ કરી લે, પણ તેમ માનવું અનિષ્ટ છે. સમ્યગદર્શનાદિની પ્રાપ્તિ અનુભવ સિદ્ધ છે. માટે પલ્યાદિ દટાંત કોઈ-કોઈ જીવને આશ્રીને જાણવા. અનાભોગમાં વધુ કર્મનો ક્ષય કેવી રીતે થાય, તેને આશ્રીને પર્વતીય પત્થરના દેટાંતો છે. પર્વતીય નદીના પત્થરો પરસ્પર ઘસાઈને વિના પ્રયત્ન ગોળ-ગોળ થાય છે, તેમ યથાપ્રવૃત્તિકરણે જીવો થાય છે. - કીડીનું દષ્ટાંત - તે પૃથ્વીમાં સ્વભાવથી જ ગમન કરે છે, પછી ઠુંઠા ઉપર ચડે છે, પાંખો આવતા ત્યાંથી ઉડી જાય છે, ટોચે ચડીને પાછી ઉતરે છે, એમ જીવોનું પણ પૃથ્વીમાં ગમન માફક યથાપ્રવૃત્તકરણ થાય છે. હુંઠે ચડવાની જેમ અપૂર્વકરણ થાય, ઉડવા માફક અનિવર્તિકરણ થાય, ટોચેથી ઉતરવા માફક સ્થિતિ વધારવા જેવું થાય. પુરષદષ્ટાંત - કોઈ ત્રણ પુરૂષો મોટા નગરે જવાની ઈચ્છાથી પોતાના ગામથી નીકળીને અટવીએ આવ્યા. ઘણો લાંબો રસ્તો ઓળંગી થોડા વખતમાં પહોંચવાને, ભય સ્થાન જોઈને ઘણાં જોરથી ચાલતા બંને બાજુ ઉઘાડી તલવારવાળા બે ચોરને જોયા, તેમાં એક સામો થયો, બીજો ચોરોએ પકડી લીધો, બીજો મુસાફર ચોરોને હરાવીને ઈચિત નગરે પહોંચ્યો. એ પ્રમાણે સંસાર અટવીમાં ત્રણ પ્રકારે સંસારી પુરુષો છે. પંચરૂપ કર્મની દીર્ધસ્થિતિ છે, ભયસ્થાન તે ગ્રંથિની જગ્યા છે, તકર રૂ૫ રાગ દ્વેષ છે. તેમાં શત્રુ સામે થનાર ગ્રંથિ દેશ પામીને પછી અનિષ્ટ પરિણામી થતાં કર્મની વધુ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, બીજો પુરુષ કે જે ત્યાં અટકી ગયો. ત્રીજો પુરુષ તે અપૂર્વકરણ પામીને રાગદ્વેષરૂપ ચોરોને હરાવી છેલ્લે સમકિત પામ્યો. પિની આ સમ્યગદર્શન ઉપદેશથી મળે કે વિના ઉપદેશથી? બંને પ્રકારે મળે. કેવી રીતે? તે કહે છે – રસ્તામાં ભુલા પડેલા ત્રણ મુસાફર માફક. એક મુસાફર પોતાની મેળે જ રસ્તો શોધી કાઢે છે, બીજો જાણીતાને પૂછીને સીધા • નિયુક્તિ -૧૦૭ : પાલો, ગિરિનદીનો પત્થર, કીડી, પુરુષ, માર્ગ, તાવ, કોદ્રવ, જળ, વસ્ત્રો વગેરે સામાયિકની પ્રાપ્તિના દૃષ્ટાંતો છે. • વિવેચન-૧૦૭ : તેમાં પલકનું દટાંત કહે છે - લાટદેશમાં ધાન્યના માપને પાલો કહે છે. તે માપ મોટું હોય, તેમાં થોડું થોડું ધાન્ય નાંખે, ઘણું ઘણું કાઢે, તો તે કાળાંતરે. ખાલી થાય. એમ કર્મરૂપ ધાન્યના પાલામાં જીવ અનાભોગવી ચચા પ્રવૃતકરણ વડે થોડું થોડું કર્મ બાંધે અને ઘણું ઘણું ખપાવે તો આ ગ્રંથિ આગળ આવે, જો ભવ્ય હોય તો તેને ઉલંઘીને અપૂર્વકરણવાળો થાય છે અને સમ્મદર્શન સન્મુખ જાય તો અનિવર્તિ થાય.
SR No.009022
Book TitleAgam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy