SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ પ/-/03 છે. ભાવિમાં જેમનું લ્યાણ થવાનું છે. તે દેવતાની જેમ ગુરુની પર્યાયાસના ક્રે છે. [૭૦૪ થી ૨૦૬] અનેક લાખ પ્રમાણ સુખોને આપનાર, સૅક્કો દુઃખોથી મુક્ત ક્રાવના આચાર્ય ભગવંતો છે, તેના પ્રગટ દષ્ટાંતરૂપે કેશી ગણધર અને પ્રદેશી રાજા છે. પ્રદેશી રાજાએ નરક્શમનની બધી તૈયારી રેલી, પણ આચાર્યના પ્રભાવે દેવ વિમાન પામ્યો. આચાર્ય ભગવંત ધર્મમતિવાળા અતિશય સુંદર, મધુર, કરણ, કર્ય, ઉપમાસહિત એવા વચનો વડે શિષ્યોના હૃદયને પ્રસન્ન કરતા રતા પ્રેરણા આપે છે. ૦િ૭, ૭૦૮] પ૫, ૫, પપ, પપપ સંખ્યા પ્રમાણે આચાર્યો છે. તેમાંથી મોટા ગણવાળા ગુણ સમુહયુક્ત એક નીવડે છે. જેઓ સર્વ પ્રકારના ઉત્તમ ભાંગા વડે તીર્થર સમાન ગુરુ મહારાજ હોય. [૯] તેઓ પણ હે ગૌતમ! દેવતાના વચનસમાન છે. તે સૂર્ય સમાન બાકીના આચાર્યોની પણ ચોવીશે તીર્થક્રની આરાધના સમાન આરાધના ક્રવી જોઈએ. [૧૦] આ આચાર્યપદ વિશે દ્વાદશાંગનું શ્રુત ભણવાનું હોય છે, તો પણ આ વાત સારરૂપે આ પ્રમાણે હું છું– [૧૧, ૧ મુનિ, સંઘ, તીર્થ, ગણ, પ્રવચન, મોક્ષમાર્ગ આ સર્વે એમર્થક શબ્દો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, ઘોર ઉગ્ર તપ આ સર્વે ગચ્છના પર્યાય નામો જાણવા. જે ગચ્છમાં ગુરુઓ રાગ, દ્વેષ કે અશુભ આશયથી શિષ્યને સારણાદિ પ્રેરણા આપતા હોય, ધર્માળને ધ્રુજાવતા હોય તે ગૌતમ ! ગચ્છ નથી. | [૧૩ થી ૨૦] મહાનુભાવ એવા ગચ્છમાં ગુરુકૂળ ક્રતાં સાધુને ઘણી નિર્જરા થાય છે. તથા સારણા, વાસણા, ચોયણા આદિથી દોષની નિવૃત્તિ થાય છે. ગુરુના મનને અનુસરનાર, અતિવિનીત, પરિષહ જિતનાર, ધૈર્ય સખનાર, સ્તબ્ધ ન થનાર, લુબ્ધ ન થનાર, ગારવો ન જ્યનાર, વિક્યા ન નાર, ક્ષમાધારી ઈન્દ્રિયદમી, સંતોષી, છાયરક્ષક, વૈરાગ્ય માર્ગલીન, દશવિધ સમાચારી સેવનક્ત, આવશ્યકોને આચરનાર, સંયમમાં ઉધમી, સૅક્કો વતન ઠોર, આક્યા, ક્રા, અનિષ્ટ, દુષ્ટ, નિષ્ફર વચનથી તિરસ્કાય, અપમાનની ન ક્રાય, તો પણ જે રોષાયમાન ન થાય, જેઓ અપકીર્તિ-અપયશ કે સાર્ય જનાર થતાં નથી. નિરંતર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન મન વાળા, ઘોર તપ અને ચરણથી શરીર શોષવી દેનાર, ક્રોધ-માનમાયા-લોભ ચાલી ગયેલા, રાગ-દ્વેષને દૂરથી ત્યાગ કરેલા, વિનયોપચાર કુશળ, ૧૬ ભેદે વચન શદ્ધિપૂર્વક બોલવામાં કુશળ, નિરવધ વચન બોલનાર, અતિશ ય ન બોલનાર, વારંવાર બોલબોલ ન ક્રનારા, ગુરુએ સકારણ કે અકરણ કઠોર, આા, ર્કશ, નિષ્ઠર, અનિષ્ટ શબ્દો કહ્યા હોય ત્યારે તહરિ ક્રનાર ઇત્યાદિ ગુણવાન જેમાં હોય તે ગચ્છ છે. રિ૧ થી ૨૩] યાત્રાદિમાં મમત્વ ભાવનો સર્વથા ત્યાગ કરીને, પોતાના શરીર વિશે નિસ્પૃહ ભાવવાળી, સંયમ નિર્વાહ પૂરતા જ આહાર ગ્રહણ ક્રનારા, તે પણ કરદોષ રહિત, શરીર-રૂપ કે ઈન્દ્રીયના રસને પોષવા નહીં, ભોજન ક્રતા ક્રતા પણ પોતાને અનુકૂળ આહાર મળવા બદલ અભિમાન ન ક્રનાર, માત્ર સંયમ યોગ વહન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy