________________
૫/-/૬૯૩
૯૩
આત્માઓ હોય છે કે જેઓ ગીતાર્થના ગચ્છમાં રહી ગુરુકૂળવાસ સેવે છે અને કેટલાંક સેવતા નથી.
[૬૪] ભગવન્ ! શું મિથ્યાત્વ આચરણવાળો કોઈ ગચ્છ હોય ખરો ? જે કોઈ અજ્ઞાની વિરાધક ગચ્છ હોય તે નક્કી મિથ્યાત્વા આચરણયુક્ત હોય. ભગવન્ ! ગચ્છ આરાધક થાય તેવી કઈ આજ્ઞા છે ગૌતમ ! સંખ્યાતીત સ્થાનોથી ગચ્છાજ્ઞા ક્હી છે, તેમાં રહી આરાધક થાય.
[૬૫] ભગવન્ ! સંખ્યાતીત ગચ્છ મર્યાદા સ્થાનોમાં એવું કોઈ સ્થાન છે જે ઉત્સર્ગ કે અપવાદ કોઈ રીતે પ્રમાદ દોષથી વારંવાર મર્યાદા કે આજ્ઞા ઉલ્લંઘે તો પણ આરાધક થાય ? નિશ્ચયથી ન થાય. ભગવન્ ! એમ કેમ ક્યું ? તીર્થંો તીર્થને કરનારા છે. તીર્થ-ચાર વર્ણવાળો તે શ્રમણસંઘ ગચ્છોમાં પ્રતિષ્ઠિત હોય છે. ગચ્છોમાં સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિ-પ્રતિષ્ઠિત થયેલ છે.
આ સમ્યગદર્શન જ્ઞાન-ચાસ્ત્રિ-પરમપૂજ્યોમાં પણ વધુ શરણ વા યોગ્ય છે. અતિશય સેવ્ય છે, વિશેષ સેવન યોગ્ય છે. આવા શરણ્ય, પૂજ્ય, સેવ્ય દર્શનાદિને જે કોઈ ગચ્છમાં કોઈ પણ સ્થાનમાં કોઈ પ્રકારે વિરાધે, તે ગચ્છ સમ્યમાર્ગ નાશક, ઉન્માર્ગ દેશક થાય છે. જ્યાં આ બંને થાય તે નિશ્ચે આજ્ઞા વિરાધક થાય છે. આ. કારણે હે ગૌતમ ! એક કહેવાય છે કે સંખ્યાતીત ગચ્છોમાં મર્યાદાનું સ્થાનાંતર થાય છે. ગચ્છમાં જે કોઈ પણ ગમે તે એક કે વધારે સ્થાન, મર્યાદા આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે એઅંતે આજ્ઞા વિરાધક થાય.
-
[૬૬] ભગવન્ ! ગચ્છ મર્યાદા કેટલો ક્મળ પ્રરૂપેલી છે ? કેટલો કાળ ગચ્છ મર્યાદા ન ઉલ્લંઘવી ? ગૌતમ ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાવ (છેલ્લા) દુષ્પ્રસહ અણગાર થશે ત્યાં સુધી ગચ્છ મર્યાદા સાયવવા આજ્ઞા કરેલી છે. એટલે પાંચમાં આરાના અંત સુધી ગચ્છ મર્યાદાનું ઉલ્લંઘન કરવું.
[૬૭, ૬૯૮] ભગવન્ ! આ ચિહ્નોથી મર્યાદાનું ઉલ્લંઘન ક્યું છે ? ઘણી અશાતના ક્થી છે અને ગચ્છ ઉન્માર્ગમાં પ્રવેશ્યો એમ જાણવું ? ગૌતમ ! જે વારંવાર ગચ્છ બદલાવતો હોય, એક ગચ્છમાં સ્થિરતાથી ન રહેતો હોય. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તતો, ગુરુ આજ્ઞા મુજબ ન રહેતો હોય, શાસ્ત્રના રહસ્યો ન જાણતો, વેશથી આજીવિકા કરનાર, પાટ-પાટલા-પાટિયા આદિની મમતા નાર, -પ્રાસુક બાહય પ્રાણવાળા સચિત્ત જળનો ભોગ કરનાર, માંડલીના પાંચ દોષથી અજાણ, તે દોષો સેવનાર, સર્વ આવશ્યક ક્રિયા કાળનું ઉલ્લંઘન કરનાર, આવશ્યક પ્રતિક્રમણ ન નાર, ઓછું કે અધિક આવશ્યક નાર, ગણના પ્રમાણથી ઓછા કે અધિક રજોહરણ પાત્ર, દંડ, મુહપત્તિ આદિ ઉપરણ-ધારણનાર, ગુરુના ઉપણનો પરિભોગી, ઉત્તરગુણ વિરાધક, ગૃહસ્થની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ નાર તેના સન્માનમાં પ્રવર્તતો, પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ, બીજ કાય, ત્રસાય બેત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોને સારણ કે નિષ્કરણ પ્રમાદ દોષથી સંઘટ્ટન વગેરેમાં દોષને ન જોતો આરંભ, પરિગ્રહમાં પ્રવૃત્તિ કરી, ગુરુ પાસે આલોચના ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org