SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ 3-/પલ્પ ત્યારે યથાશક્તિ જગત ગુરુ તીર્થક્ય ભગવંતને પૂજવા યોગ્ય ઉપક્રણો એકઠાં રીને. સાધુ ભગવંતોને પ્રતિભાભીને ભક્તિપૂર્ણ હૃદયી, રોમાંચિત બની, પુલક્તિ થયેલા શરીરવાળો, હર્ષિત થયેલ મુખારવિંદવાળો, શ્રદ્ધા-સંવેગ-વિવેપરમાં વૈરાગ્યથી તેમજ જેણે ગાઢ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વરૂપ મલíન્ને નિમૅળપણે વિનાશ ક્યાં છે. તેવી, સુવિશુદ્ધ-અતિનિર્મળ, વિમળ, શુભ, વિશેષ શુભ એવા પ્રકારે ઉલ્લાસ પામતા, ભુવનગુરુ, જિનેશ્વરની પ્રતિમા વિશે સ્થાપન કરેલો નેત્ર અને માનસવાળો, એકાગ્ર ચિત્તવાળો ખરેખર હું ધન્ય છું, પુણ્યશાળી છું. જિનેશ્વરોને વંદન ક્રવાથી મેં મારો જન્મ સફળ ર્યો છે, એમ માનતા ક્યાળની ઉપર બે હાથ જોડી, અંજલિ રચી, સજીવ વનસ્પતિ બીજ આદિથી રહિત ભૂમિ વિશે બંને જાનુઓ સ્થાપન ક્રીને સારી રીતે સ્પષ્ટપણે સુંદર રીતે જાણેલા, સમજેલા જેણે યથાર્થ સૂત્ર-અર્થ-તદુભય-નિઃશક્તિ ક્ય છે તેવો, પદે પદોના અર્થની ભાવના ભાવતો, દેઢ ચારિત્રી, શાસ્ત્રોનો જાણકાર, અપમાદાતિશયાદિ અનેક ગુણ સંપત્તિવાળા ગુરુની સાથે સાધુ, સાધ્વી, સાધર્મિક સમગ્ર બંધુવર્ગ કુટુંબ પરિવાર સહિત પ્રથમ તેણે ચેત્યોને જુહારવા જોઈએ. ત્યાર પછી યથાશક્તિ, સાધર્મિક બંધુને પ્રણામ ક્રવાપૂર્વક અતિ કિંમતી, કોમળ, સ્વચ્છ વસ્ત્રોની પહેરામણી ક્રીને તેમનો મહાઆદર રવો. તેમનું સુંદર સન્માન ક્રવું. આ સમયે જેમણે શાસ્ત્રના સાર સારી રીતે જાણેલા છે. એવા ગુરુમહારાજે વિસ્તારથી આક્ષેપથી, નિક્ષેપણી, ધર્મક્યા કહી સંસારનો નિર્વેદ, ઉન્માદ, શ્રદ્ધાસંવેગવર્ધક ધર્મોપદેશ ક્લેવો. પિ૬, પલ્ટ] ત્યારપછી પરમ શ્રદ્ધા સંવેગ તત્પર બનેલો જાણીને જીવન પર્યાના કેટલાંક અભિગ્રહ આપવા જેવા કે હે દેવાનપ્રિય! તે ખરેખર આવો સુંદર મનુષ્ય ભવ મેળવ્યો. તેને સફળ ક્યું ત્યારે આજથી જીવજીવ હંમેશા ત્રણે કાળ વરા રહિત, શાંત અને એકગ્ર ચિત્તે ચૈત્યોના દર્શન-વંદન વા. અશુચિ અશાશ્વત ક્ષણભંગુર એવા મનુષ્યત્વનો આજ સાર છે. - રોજ સવારે ચૈત્ય અને સાધુને વંદન ન ક્યું- દર્શન ન ક્યું ત્યાં સુધી ભૂખમાં પાણી ન નાંખવું, બપોરે ચૈત્યાલયમાં દર્શન ન ક્યું ત્યાં સુધી મધ્યાહ્ન ભોજન ન ક્યું, સાંજે પણ ચૈત્ય દર્શન ક્ય સિવાય સંધ્યાકાળનું ઉલ્લંઘન ન ક્રવું. આવા પ્રકારના અભિગ્રહના નિયમો જીવનપર્યન્ત ક્રાવવા. પછી હે ગૌતમ! આગળ ક્વીશું તે [વર્ધમાન વિધાથી મંત્રીને ગુરુએ તેના મસ્તક ઉપર સાત મુટ્ટી ગંધચૂર્ણ નાખવી અને એવા આશીવચનો કહેવા કે - આ સંસાર સમુદ્રનો વિસ્તાર ક્રીને પાર પામનારો થા. વર્ધમાન વિધા - નો માવો મરદ સિફ એ માવતિ મતિજ્ઞા वीरे महावीरे जयवीरे, सेणवीरे वद्धमाणवीरे जये विजये जयंते अपराजिए स्वाहा. ઉપવાસ કરીને વિધિપૂર્વક સાધના દ્રવી જોઈએ. આ વિધા વડે દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy