SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ આદિથી કામવેદના સહી લે, અસભ્યાચરણ ન સેવે, તે સ્ત્રી ધન્ય છે. પુન્યવંતી, વંદનીય, પૂજય, દર્શનીય, સર્વ લક્ષણવાળી, સર્વ ક્લ્યાણ સાધિકા, સર્વોત્તમ મંગલનિધિ શ્રુત દેવતા, સરસ્વતી પવિત્ર દેવી, અચ્યુતા, ઇંદ્રાણી, પરમ પવિત્રા, ઉત્તમા છે. સિદ્ધિ-મુક્તિ-શાસ્વતા-શિવગતિ નામે સંબોધ્યા છે. [૪૪] જો તે સ્ત્રી વેદના ન સહે, અાર્યાચરણ રે, તો તે સ્ત્રી અધન્યા, અપુન્યવંતી, અપૂજયા, અદર્શનીય, અલક્ષણી, ભંગ ભાગ્યા, સર્વે અમંગલ અને અક્લ્યાણના કારણવાળી, શીલ-ભ્રષ્ટા, આયાર ભ્રષ્ટા, નિંદનીયા, તિરસ્કાર્ય, ધૃણા યોગ્યા, મહાપાપીણી અપવિત્રા છે. ગૌતમ ! સ્ત્રીઓ આપલ્ય, ભય, કાયરતા, લોલુપતા, ઉન્માદ, કંદર્પ, અભિમાન, પરાધીનતા, અને બળાત્કારથી જાણી જોઈને આ સ્ત્રીઓ શીલ-સંયમથી ભ્રષ્ટ થાય છે. દૂરસ્થ માર્ગ, ગામ, નગર રાજધાનીમાં વંશ તજયા વિના પુરુષ સાથે અયોગ્ય આચરણ રે, વારંવાર પુરુષ ભોગવવા અભિલષે, પુરુષ સાથે ક્રીડા રે તો પૂર્વે ક્યા પ્રમાણે તે પાપિણી દેખવા લાયક પણ નથી. તે જ પ્રમાણે કોઈક સાધુ તેવી સ્ત્રીને જુએ પછી ઉન્માદ, અભિમાન, કંદર્પ, પરાધીનતા અને સ્વઇચ્છાથી જાણી જોઈને, પાપના ડર વિના કોઈક આચાર્ય સાધુ, રાજાથી પ્રશંસિત, વાયુલબ્ધિક, તપલબ્ધિક, યોગ લબ્ધિક, વિજ્ઞાનલબ્ધિક, યુગ પ્રધાન, પ્રવચન પ્રભાવક એવા મુનિ પણ જો તે કે બીજી સ્ત્રી સાથે રમણ રે, અભિલાષા રે, ભોગવવા ઇચ્છે, ભોગવે યાવત્ અતિ રાગથી અનાચરણીય સેવે, તો તે મુનિ અતિ દુષ્ટ, તુચ્છ, ક્ષુદ્રલક્ષણ અધન્ય, અવંદનીય અદર્શનીય, અહિતકારી, અપ્રશસ્ત, અસ્ક્યામ, અમંગલ, નિંદનીય, ગહણીય, તિરસ્કાર્ય, દુર્ગંછનીય, પાપી-મહાપાપી-અતિ મહાપાપી, ભ્રષ્ટશીલ, ભ્રષ્ટ ચારિત્રી, તથા મહાપાપર્મ કરનાર છે. તેથી જ્યારે તે પ્રાયશ્ચિત્તાર્થે તૈયાર થાય ત્યારે મંદજાતિ કે અશ્વવત્, વજ્રઋષભનારાચસંઘયણી, ઉત્તમ પરાક્રમી, ઉત્તમ સત્વવાળા, ઉત્તમ તત્વજ્ઞાતા, ઉત્તમ વીર્ય, સામર્થ્યવાન ઉત્તમ સંયોગવાળા ધર્મશ્રદ્ધા વાળા, પ્રાયશ્ચિત્ત કરતી વેળા ઉત્તમ સમાધિચરણ સ્થિતિ અનુભવતા હોય છે. ગૌતમ ! તેથી તેવા સાધુને શાસ્ત્રોમાં મહાનુભાવ, પાપ સ્થાનક પરિહારી, બ્રહ્મચર્ય ગુપ્તિ પાલકાદિ ગુણવાળા ક્યા છે. [૪૦૫] ભગવન્ ! શું પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ જાય ? ગૌતમ ! કેટલાંક્ની થાય અને કેટલાંક્ળી ન થયા. ભગવન ! એમ કેમ ઝ્હો છો ? ગૌતમ ! જે કોઈ પુરુષ માયા, દંભ, પટ, ઠગવાના સ્વભાવાળા હોય, વફાચારી હોય, તે આત્મા શચિત રહીને પ્રાયશ્ચિત્ત સેવે છે. તેનું અંતઃકરણ વિશુદ્ધ ન હોવાથી ક્લુષિત આશય છે તેથી તેમની શુદ્ધિ થતી નથી. કેટલાંક આત્મા સરળ હોય છે. જેથી જેમ દોષ લાગ્યો હોય તેમ ગુરુને યથાર્થ નિવેદન કરે છે. તેથી તેઓ નિશલ્ય, નિઃશંક તદ્દન સ્પષ્ટપણે પ્રગટ આલોચના સ્વીકારી યથોક્ત પ્રાયશ્ચિત્ત સેવે. તે નર્મળતા નિજ્જુષતાથી વિશુદ્ધ થાય છે. તે કારે એમ કહેવાય છે કે નિઃશલ્યાશય શુદ્દ થાય, શસ્થિત શુદ્ધ ન થાય. [૪૦૬, ૪૦૭] ગૌતમ ! આ સ્ત્રીઓ પુરુષો માટે સર્વે પાપ કર્મોની, સર્વે અધર્મોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy