SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મનને રોકીને પોતાના આત્માને નિંદીને ગહેં. પણ ફરી તે જન્મમાં બીજી વખત સ્ત્રીની અભિલાષા મનથી પણ ન જે. [૩વળી જે ઉત્તમોત્તમ પ્રકારના પુરુષ હોય તે અભિલાષા ક્રતી સ્ત્રીને જોઈને ક્ષણવાર કે મુહૂર્ત સુધી દેખીને મનથી પણ તેને ન ઇચ્છે. પ્રહર કે અર્ધ પ્રહર સુધી તે સ્ત્રી સાથે અયોગ્ય કર્મ ન સેવે. [૩૩] જો તે બ્રહ્મચારી હોય કે અભિગ્રહ પ્રત્યાખ્યાન રેલ હોય કે તે બંને ન હોય તો પોતાની પત્નીના વિષયમાં ભજના, તે કામભોગમાં તીવ્ર અભિલાષી ન હોય. ગૌતમ ! આ પુરુષને કર્મનો બંધ થાયપણ તે અનંત સંસારમાં રખડવા યોગ્ય કર્મ ન બાંધે. ફિ૪ વળી જે વિમધ્યમ પૂરુષ હોય તે સ્વપત્ની સાથે આ પ્રમાણે કર્મ સેવન રે, પણ પરસ્ત્રી સાથે તેવું અયોગ્ય કર્મ ન સેવે. પરંતુ પરસ્ત્રી સાથે આવો પુરુષ જો પછી ઉગ્ર બ્રહ્મચારી ન થાય તો અધ્યવસાય વિશેષ અનંત સંસારી થાય કે ન પણ થાય. અનંત સંસારી કોણ ન થાય? કોઈ તેવો ભવ્ય આત્મા જીવાદિ નવ પદાર્થોનો જાણકાર હોય, આગમશાસ્ત્રાનુસાર ઉત્તમ સાધુને ધમપારી, આહારાદિ દાન દેનાર, દાનાદિ ચતુર્વિધ ધર્મનું યથાશક્તિ અનુષ્ઠાન જતો હોય. કોઇપણ પ્રકારે ગમે તેવા સંક્ટમાં પણ ગૃહીત નિયમો અને વ્રતોનો ભંગ ન રે તો શાતા ભોગવતો પરંપરાએ ઉત્તમ મનુષ્યત્વ કે ઉત્તમ દેવત્વ, તેમજ સમ્યત્વથી પ્રતિપતિત થયા સિવાય નિસર્ગ કે આભિગમિક સમ્યક્વ થઈ ઉત્તરોત્તર ૧૮૦૦૦ શીલાંગઘર થઈ આશ્રવ દ્વારોનો બંધ ક્રીને કર્મરાજ અને પાપમલથી રહિત બની પાપ ક્રમોને ખપાવીને સિદ્ધિગતિ પામે. [3લ્પ] જે અધમપુરુષ હોય તે સ્વ કે પર સ્ત્રીમાં આસક્ત મનવાળો હોય, દરેક સમયમાં ક્રુર પરિણામ જેના ચિત્તમાં ચાલુ હોય આરંભ-પરિગ્રહાદિ વિશે તલ્લીન મનવાળો હોય. તેમજ વલી જે ધમાધમ પુરુષ હોય તે મહાપાપ મૈ ક્રનાર સર્વ સ્ત્રીઓનો વચન, માયા, કાયાથી ત્રિવિધે દરેક સમય અભિલાષ રે. અત્યંત ક્રુર અધ્યવસાયોથી પરિણામેલા ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં આસક્ત રહીને પોતાનો આયુષ્ય કાલ ગમન કરે છે. આ પ્રમાણે અધમ અને અધમાધમ બંનેનું અનંત સંસારીપણું સમજવું. [૩૬] ભગવન ! જે અધમ અને અધમાધમ પુરુષ બંનેનું એક સરખું અનંત સંસારીપણું આમ જણાવ્યું. તો અધમ અને અધમાધમ વચ્ચે તફાવત શો ? ગૌતમ! અધમપુરુષ સ્વ કે પરસ્ત્રીમાં આસક્ત મનવાળો, ક્રુર પરિણામ ચિત્ત, આરંભ-પરિગ્રહ તલ્લીન હોવા છતાં પણ દીક્ષિત સાધી તેમજ શીલસંરક્ષણની ઇચ્છાવાળો હોય, પોષધ-વ્રત-ઉપવાસ પ્રત્યાખ્યાનમાં ઉધમવાળી દુઃખી ગૃહસ્થ સ્ત્રીના સહવાસમાં આવી પડી હોય, તેને અયોગ્ય અતિચારની માંગણ રે, પ્રેરણા રે, આમંત્રણ કરે, પ્રાર્થના રે તો પણ કામવશ બની દુરાચાર ન સેવે. પરંતુ જે અધમાધમ પુરુષ હોય તે પોતાની માતા, બહેન વગેરે સાવ દીક્ષિત સાધ્વીની સાથે પણ શારીરિક અયોગ્ય અનાચાર સેવન ક્રે. તે કારણે તેને મહાપાપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy