SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩/૩૫૪, ૩૫૫ ૩૯ ભાવવી તે સાંભળ. રિપ૬ થી ૩૫ ધુ સમાન સૂક્ષ્મ પ્રાણી મારા મલીન શરીરે ભ્રમણ રે, સંચરે, ચાલે તો પણ ખણીને વિનાશ ન . પરંતુ રક્ષણ ક્રે. આ કંઇ હંમેશા અહીં વસવાનો નથી. લાંબો સમય રહેવાનો નથી. એક ક્ષણમાં ચાલી જશે, બીજી ક્ષણ નહીં રહે. દાય રહે તો પણ આ પ્રમાણે ભાવના ભાવવી કે આ ફંક્યુ રાગથી નથી વસ્યો કે મારા ઉપર તેને દ્વેષ નથી. ક્રોધ-ઇર્ષ્યા-વૈરથી મને ડંખતો નથી. ક્રીડા ક્રવાની ઇચ્છાથી ક્રડતો નથી, વૈરભાવથી કોઇનાં શરીરે ચડતો નથી. તે તો અમસ્તો જ ગમે તેના શરીરે ચડી જાય છે. વિક્લેન્દ્રિય, બળક કે કોઇ પ્રાણી હોય તે સળગતા અગ્નિ કે વાવના પાણીમાં પ્રવેશ ક્રે, તે દી એમ ન વિચારે કે આ મારો પૂર્વ વૈરી કે સંબંધી છે. માટે આત્મા એમ વિચારે કે મારી શાતા-પાપના ઉદયે આવ્યો છે. - આવા જીવો પ્રત્યે મે કંઈ અશાતાનું દુ:ખ ક્યું હશે. પૂર્વ ભવમાં રેલા પાપર્મફળ ભોગવવાનો કે તે પાપપુંજનો છેડો લાવવા માટે મારા આત્મહિતાર્થે આ ક્ય તીર્ણ, ઉર્ધ્વ, અધો દિશા વિદિશામાં મારા શરીર ઉપર આમતેમ ફરે છે. આ દુઃખને સમભાવે સહીશ, તો મારા પાપકર્મનો અંત આવશે. કદાચ કુંથુને શરીરે ફરતા ફરતા મહાવાયરાનો ઝપાટો લાગ્યો તો તે કુંથુને શારીરિક દુસહ દુઃખ તથા આર્તરોદ્ર ધ્યાન વૃદ્ધિ પામે. આવા સમયે વિચાર કે કુંથુના સ્પર્શથી તને નામમાત્ર દુઃખ થયું છે. તે પણ સહન થતું નથી અને આર્ત - રોદ્ર ધ્યાનમાં જાય છે. તો તે દુઃખથી તું શલ્યનો આરંભ કરીને મન-વચન-કાય યોગ સમય, આવલિક, મુહૂર્ત સુધી શષ્યવાળો થઇશ, તેથી તેનું ફળ તારે ઘણાં લાંબા કાળ સુધી વેઠવું પડશે. તે વખતે તેવા દુઃખોને તું શી રીતે સહન ક્રીશ ? [૩૬] તે દુખો કેવા હશે? ચારગતિ, ૮૪ લાખ યોનિરૂપ અનેક ભવો અને ગર્ભવાસ સહેવો પડશે. જેમાં અહોરાત્ર સતત ઘોર પ્રચંડ, મહાભયંક્ર દુઃખ સહેવું પડશે. મરી ગયો એમ આજંદવું પડશે. [૩૬] નરક કે તિર્યંચગતિમાં કેઇ રક્ષક કે શરમ્ય નથી. બિચારા એક્લાપોતાના શરીરને કોઈ સહાયક મળે નહીં ત્યાં ડવા અને આક્ત વિરસ પાપના ફળો ભોગવવા પડે. [૩૬૮] નારકીઓ તલવારની ઘા સમ પત્રવાળા વૃક્ષોના વનમાં છાયાર્થે જાય તો પવનથી પાંદડા શરીરે પડે એટલે શરીરના ટૂકડા થાય. લોહી, પરુ, ચરબીવાળી દુર્ગધી પ્રવાહવાળી વૈતરણી નદીમાં તણાવાનું, યંત્રોમાં પીલાવાન, ક્રવતથી ક્યાવાનું, શાભલીવૃક્ષ સાથે આલીંગન, ભીમા રંધાવાનું, ઝગડાં આદિ પક્ષીની ચાંચના બટકા સહેવાનું સિંહાદિથી ફાડી ખવાવું, આ અને આવા અનેક દુઃખો નરક ગતિમાં પરાધીન પણે ભોગવવા પડે. [૩૬૯, ૩૦] તિર્યંચોને નાક-કાન વિંધાવા, વધ-બંધન-આકંદન ક્રતા પ્રાણીના શરીરમાંથી માંસ ાપે, ચામડી ઉતારે, હળ-ગાડાં ખેંચવા, અતિભાર વહેવો, પરોણી ભોંકવી, ભૂખ-તરસ, લોઢાની નાળ પગમાં ખીલીથી જડે, બળાક્તરે બાંધી શસ્ત્રથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy