SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ગોદ અધ્યયન-૧ - શલ્ય ઉમરણ જ - ૪ - ૪ - ૪ - ૪ – ૪ - ૪ - – તીર્થને નમસ્કાર થાઓ. – અરહંત ભગવંતને નમસ્કાર થાઓ. [૧] આયુષ્યમાન એવા ભગવંતો પાસે મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – અહીં જે કોઈ છદ્મસ્થ ક્રિયામાં વર્તતા એવા સાધુ કે સાધ્વી હોય તેઓ– આ પરમતત્વ અને સાર ભૂત પદાર્થને સાધી આપનાર અતિ મહા અર્થગર્ભિત, અતિશય શ્રેષ્ઠ એવા “મહાનિશીથ' શ્રુતસ્કંધ મૃતના અનુસારે વિવિધ મિન, વચન, કયા ત્રિવિધ ક્રિણ, ફ્રાવણ, અનુમોદન સર્વ ભાવથી અને અંતરઅભાવી શલ્ય રહિત થઇને આત્માના હિતને માટે - અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ષ્ણકારી, તપ અને સંયમના અનુષ્ઠાનો ક્રવા માટે સર્વ પ્રમાદના આલંબનોને સર્વથા છોડીને સર્વ સમય રાત્રે અને દિવસે આળસ રહિત, સતત ખિન્નતા સિવાય, અનન્ય મહાશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યમાર્ગને પામેલા, નિયાણા રહિત, બળ-વીર્ય-પુરુષાર પરાક્રમને છૂપાવ્યા સિવાય, ગ્લાનિ પામ્યા વિના, વોસિરાવેલ-ત્યાગ ક્રેલા દેહવાળા, સુનિશ્ચિત એકાગ્ર ચિત્તવાળા બનીને વારંવાર તપ, સંયમ આદિ અનુષ્ઠાનોમાં રમણતા ક્રવી જોઈએ. રિ] પરંતુ રાગ, દ્વેષ, મોહ, વિષય, કષાય, જ્ઞાન આલંબનને નામે થતાં અનેક પ્રમાદ, ઋદ્ધિ, રસ, શાતા એ ત્રણ પ્રક્વરના ગારવો, રોદ્ર ધ્યાન આર્તધ્યાન, વિક્યા, મિથ્યાત્વ, અવિરતિ, મિન-વચન-ક્કયાના] દુષ્ટ યોગો, અનાયતન સેવન, કુશીલ આદિનો સંસર્ગ, ચાડી ખાવી, ખોટું આળ ચઢાવવું, કલહ ક્રવા, જાતિ આદિ આઠ ભેદે મદ રવો, ઇર્ષ્યા, અભિમાન, ક્રોધ, મમત્વભાવ, અહંકાર વગેરે અનેક ભેદોમાં વહેંચાયેલ તામસભાવ યુક્ત હૃદયથી હિંસા, ચોરી, જૂઠ, મૈથુન, પરિગ્રહના આરંભ-સંકલ્પ આદિ અશુભ પરિણામવાળા ઘોર, પ્રચંડ, મહારોદ્ર ગાઢ, ચિકણા પાપકર્મ મળરૂપ લેપથી ખરડાયેલ આશ્રવ દ્વારોને બંધ ક્યાં વિનાના ન થવું. – આ જણાવેલા આશ્રવમાં સાધુએ પ્રવૃત્ત ન થવું. ]િ આ પ્રમાણે સાધુ કે સાધ્વી પોતાના દોષ જાણે ત્યારે એક ક્ષણ એક લવ, મુહૂર્ત, આંખનો પલકારો, અર્ધ પલકરો, અર્ધ પલારાની અંદરના ભાગ જેટલો કાળ પણ શલ્ય રહિત થાય. [૪ થી ૬] જ્યારે હું સર્વ ભાવથી ઉપશાંત થઇશ તેમજ સર્વ વિષયોમાં વિરક્ત બનીશ, રાગ દ્વેષ અને મોહને ત્યાગીશ.. ત્યારે સંવેગ પામેલો આત્મા પરલોક્ના પંથને એમણ મનથી સમ્યક પ્રારે વિચારે, અરે ! હું અહીંથી મૃત્યુ પામીને ક્યાં જઈશ?.મેં ક્યો ધર્મ પ્રાપ્ત ક્ય છે? મારે ક્યા વ્રત-નિયમ છે? મેં ક્યા તપનું સેવન છે? મેં શીલ કેવું ધારણ કરેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy