SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૬-૧૦૫૫ થી ૧૦૫૮ ૧૨૯ મકાન ઉપર એક સ્ત્રી બેઠેલી હતી. તે નજીમાં બીજા મકાનમાં લંઘન કરીને જવાની અભિલાષા ક્રતી હતી. ત્યારે આ સાધ્વીએ મનથી તેને અભિનંદી, એટલામાં તે બંને સળગી ઉઠી. તે સાધ્વીએ પોતાના નિયમનો સુક્ષ્મ ભંગ થયો તેની નિંદા ન ક્રી. તે નિયમ ભંગના દોષથી બળીને પહેલી નરકે ગઈ. આ રીતે સમજીને તમોને અક્ષય-અનંતઅનુપમ સુખની અભિલાષા હોય તો અતીતના નિયમ કે વ્રતની વિરાધના થવા ન દેશો. [૧૦૫૯ થી ૧૬૧ તપ, સંયમ, કે વ્રતને વિશે નિયમ એ દંડનાયક કોટવાળ સરખો છે. તે નિયમને ખંડિત નારના વ્રત નથી કે સંયમ રહેતો નથી. માછીમાર આખા જન્મમાં માછલા પડીને જે પાપ બાંધે છે. તેના કરતાં વ્રત ભંગની ઈચ્છા જનારા આઠગણું પાપ બાંધે છે. પોતાની દેશના શક્તિ કે લબ્ધિથી જે બીજાને ઉપશાંત રે અને દીક્ષા લે તે પોતાના વ્રતને ખંડિત ન તો તેટલાં પુણ્યને ઉપાર્જન ક્રનારો થાય છે. [૧૦] જે ગૃહસ્થ સંયમ અને તપને વિશે પ્રવૃત્તિ કરનાર અને પાપની નિવૃત્તિ ક્રનારા હોય છે, જ્યાં સુધી તેઓ દીક્ષા અંગીકાર કરતાં નથી. ત્યાં સુધી, જે કંઈ પણ ધમનુષ્ઠાન ક્રે તેમાં તેને લાભ થાય છે. [૧૦૬૩, ૧૦૬] સાધુ સાધ્વીઓના વર્ગે અહીં સમજી લેવું જોઈએ કે હે ગૌતમ ઉચ્છવાસ નિઃશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા ગુરુની રજા સિવાય વાની હોતી નથી, તે પણ જાણ્યાથી જ ક્રવાની આજ્ઞા છે. અજાણ્યાથી તો શ્વાસોચ્છશ્વાસ પણ સર્વથા લેવા મૂકવાના નથી. અભ્યણાથી ઉચ્છવાસ લેનારને તપ કે ધર્મ ક્યાંથી હોય ? [૧૦૬૫ થી ૧૦૬૯] ભગવન્! જેટલું દેખ્યું કે જાણ્યું હોય તેનું પાલન તેટલા પ્રમાણમાં કેવી રીતે કરી શકાય ? જેઓએ હજુ પરમાર્થ જાણ્યો નથી. કૃત્ય અને અન્યના જાણકાર થયા નથી. તેઓ પાલન ક્વી રીતે કરી શકશે ? ગૌતમ ! વાલીઓ એવંત હીતવચનને ધે છે, તેઓ પણ જીવોના હાથ પક્કીને બળાત્કારે ધર્મ ક્રાવતા નથી. પરંતુ તીર્થક્ટ ધેલ વચનને જે તહત્તિ કહેવાપૂર્વક જેઓ તે પ્રમાણે વર્તન કરે છે, જેમણે હજુ પરમાર્થ જાણ્યો નથી. ત્યાત્મનો વિવેક જાણ્યો નથી. તેઓ આંધળા પાછળ આંધળો ચાલ્યા રે, ખાડો છે કે ટેક્રો, પાણી છે કે જમીન ઈત્યાદિનું તેને ભાન ન હોય. તેમ અજ્ઞાનીને ધર્મની આરાધના થાય છે કે વિરાધના તેનું જાણ પણું હોતું નથી. તેથી કાંતો પોતે ગીતાર્થ વિહારી હોય અથવા ગીતાર્થની નિશ્રામાં રહીને વિહાર કરે. તેવી ઉત્તમ સાધુને માટે શાસ્ત્રક્ટ અનુજ્ઞા આપેલી છે, આ બે સિવાય બીજો વિકલ્પ શાસ્ત્રમાં નથી. [૧૦૭૦ થી ૧૦૦૧ સારી રીતે સંવેગ પામેલા હોય, આળસ રહિત હોય, દઢવતી 3િ0/9] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy