________________
૧૦૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જોયા. ત્યારે હે ગીતમાં અતિશય સુંદર-મધુર શબ્દોના આલાપપૂર્વક ગચ્છાધિપતિએ
હ્યું કે અરે ઉત્તમ કુળ અને નિર્મળ વંશના આભુષણ સમાન અમુક અમુક મહાસત્વવાળા સાધુઓ ! તમે ઉન્માર્ગ પામી રહેલા છે. પંચમહાવ્રતધારી દેહવાળા મહાભાગ્યશાળી સાધુ-સાધ્વી માટે ર૭૦૦૦ ચંડીલ સ્થાનો સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલા છે. શ્રુતના ઉપયોગવાળાએ તેની વિશુદ્ધિ તપાસવી જોઈએ. તમે શૂન્યાશૂન્ય ચિત્તે અનુપયોગથી કેમ ચાલી રહ્યો છો ? તમારી ઈચ્છાથી તમે ઉપયોગ રાખો.
તમે આ સૂત્ર અને અર્થ ભૂલી ગયા છો? સર્વ પરમ તત્વોના પરમસારભૂત એવા પ્રકારે આ સૂત્ર છે. એક સાધુ એક-બે ઈંદ્રિયવાળા પ્રાણીને પોતાના હાથ કે પગથી કે બીજા પાસે અથવા સળી વગેરે અધિક્રણથી કોઈ પણ પદાર્થભૂત ઉપક્રણથી સંઘટ્ટો રે-વે-અનુમોદે તેનાથી બાંધેલ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે યંત્રમાં શેરડી પીલાય તેમ તે કર્મનો ક્ષય થાય. જો ગાઢ પરિણામથી ર્મ બાંધેલ હોય તો પાપ કર્મ બાર વર્ષ સુધી ભોગવે. અગાઢ પણે પમાડે તો ૧૦૦૦ વર્ષ સુધી વેદના ભોગવે ત્યારે તે કર્મ ખપે. ગાઢ પરિતાપનથી ૧૦,૦૦૦ વર્ષ સુધી એ પ્રમાણે આગાઢ કલામણાથી દશાલામાં વર્ષે તે પાપકર્મ ખપાવે અને ઉપદ્રવ રે તો ક્રોડ વર્ષ દુઃખ ભોગવીને પાપર્મ ક્ષય કરી શકાય. એ જ પ્રમાણે ત્રણ ઈન્દ્રિયવાળા જીવને વિશે પણ સમજી લેવું. તમે આટલું સમજનારા છો માટે તેમાં મુંઝાવ નહીં.
ગૌતમ ! એ રીતે સ્ત્રાનુસાર આચાર્યએ સારણા ક્રવા છતાં મહાપાપકર્મી, ચાલવાની વ્યાકુળતામાં એક સાથે બધાં ઉતાવળ ક્રતા, તેઓ સર્વ પાપર્મથી મુક્ત ક્રનાર એવા આચાર્યના વચનને બહુમાન્ય ક્રતા નથી. ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ મારા શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ ક્રી રહેલા છે. સર્વ પ્રકારે પાપમતિવાળા આ દુષ્ટ શિષ્યો છે, તો મારે પાછળ શા માટે ખુશામતના શબ્દો બોલતા બોલતા તેમનું અનુસરણ ક્રવું? અથવા આ જળ વગરની સુક્કી નદીના પ્રવાહમાં વહેવા જેવું છે. આ સર્વે ભલે દેશ દ્વારોથી જતાં રહે. હું હવે મારા આત્મહિતની સાધના ક્રશી. આગમોક્ત તપ અને સંયમના અનુષ્ઠાને વડે પોતાના પરાક્રમથી જ આ ભવ સમુદ્ર તરી શકાશે. તીર્થક્ર ભગવંતોની આ જ આજ્ઞા છે કે
[૮] આત્મહિત ક્રવું અને જો શકય હોય તો પરહિત પણ ક્રવું. આત્મહિત અને પરહિત બે ક્રવાનો વખત આવે તો પહેલાં આત્મહિત જ સાધવું જોઈએ.
૮િ૧૮] બીજું આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેમનું જ શ્રેય ક્રશે અને જો નહીં આયરશે તો તેમને જ અનુત્તર દુર્ગતિમાં ગમન ક્રવું પડશે. છતાં પણ મને ગચ્છ સમર્પણ થયેલો છે તો મારે તેમને સાચો માર્ગ જ હેવા જોઈએ.
વળી તીર્થક્ય ભગવંતે આચાર્યના ૩૬ ગુણો નિરૂપેલા છે. તેમાંથી હું એનું અતિક્રમણ ક્રીશ નહીં. મારાપ્રાણનો ભોગે પણ હું આરાધક થઈશ. આગમમાં ક્યું છે કે આલોક કે પરલોક વિરુદ્ધ કાર્ય ન આચરવું. ન આચરાવવું કે આચરનારને અનુમોદવા નહીં. આવા ગુણયુક્ત તીર્થનું હેલું પણ તેઓ ક્રતાં નથી તો હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org