SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯/૧૩૩૩ ઉદ્દેશો-૧૯ • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૩૩૩ થી ૧૩૬૯ એટલે કે કુલ ૩૭-સૂત્રો છે. તેમાં કહેવાયેલ કોઈપણ દોષનું ત્રિવિધે સેવન કરનારને “ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક” પ્રાયશ્ચિત્ત આવે, જેને લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહે છે. • પ્રત્યેક સૂત્રાર્થના અંતે “લઘુ યૌમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જોડી દેવું. જેથી પ્રાયશ્ચિત્ત અધિકાર સ્પષ્ટ સમજાય. [૧૩૩૩] જે સાધુ-સાધ્વી ઔષધ ખરીદે, ખરીદાવે, સાધુને માટે ખરીદીને આપે તો ગ્રહણ રે કે ગ્રહણ કરનારને અનુમોદે. [૧૩૩૪] જે સાધુ-સાધ્વી ઔષધ ઉધાર લાવે, ઉધાર લેવડાવે, ઉધાર લાવનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ નારને અનુમોદે. [૧૩૩૫] જે સાધુ-સાધ્વી ઔષધને બદલાવે, બદલાવડાવે, બદલાવીને દેનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે. [૧૩૩૬] જે સાધુ-સાધ્વી છીનવીને લાવેલ, સ્વામીની આજ્ઞા વિના લવાયેલી અથવા સામેથી લાવેલ ઔષધ ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે. [૧૩૩૭] જે સાધુ-સાધ્વી ત્રણ માત્રાથી અધિક ઔષધ ગ્રહણ કરે કે કરનારને અનુમોદે. [૧૩૩૮] જે સાધુ-સાધ્વી ઔષધ સાથે લઈને ગ્રામાનુગ્રામ વિચરે કે વિચરનારને અનુમોદે. [૧૩૩૯] જે સાધુ-સાધ્વી ઔષધને સ્વયં ગાળે, ગળાવે, ગાળીને દેનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ કરનારને અનુમોદે. [૧૩૪૦] જે સાધુ-સાધ્વી પ્રાતઃકાળાદિ ચાર સંધ્યામાં અર્થાત્ સૂર્યોદય, મધ્યાહ્ન, સંધ્યા, મધ્યરાત્રિ એ ચાર સંધ્યામાં સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારાની અનુમોદના રે. [૧૩૪૧] જે સાધુ-સાધ્વી કાલિકશ્રુતની ત્રણ પૃચ્છાથી અધિક પૃચ્છા અકાળમાં પૂછે કે પૂછનારની અનુમોદના કરે. [૧૩૪૨] જે સાધુ-સાધ્વી દષ્ટિવાદની સાત પૃચ્છાથી અધિક પૃચ્છા અાલમાં રે કે પૂછનારની અનુમોદના કરે. [૧૩૪૩] જે સાધુ-સાધ્વી ઇન્દ્ર-સ્કંદ-યક્ષ-ભૂત એ ચાર મહોત્સવોમાં સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારને અનુમોદે, [૧૩૪૪] જે સાધુ-સાધ્વી આશ્વિની - કાર્તિકી - ચૈત્રી - આષાઢી એ ચાર મહાપ્રતિપદાઓમાં અર્થાત્ આસો, કારતક, ચૈત્ર અને અષાઢ પૂર્ણિમા પછીની એમે સ્વાધ્યાય રે કે સ્વાધ્યાય કરનારની અનુમોદના કરે તે પ્રાયશ્ચિત્ત. [૧૩૪૫] જે સાધુ-સાધ્વી યારે સ્વાધ્યાયકાળ [યારે પોરિસિમાં] અર્થાત્ દિવસ અને રાત્રિના પહેલા-છેલ્લા પ્રહરમાં જે સ્વાધ્યાય ર્ષ્યા વિના વ્યતીત કરે અથવા કરનારનું અનુમોદન કરે તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy