SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્સ્ય-છેદસૂત્ર-૨ [૧૩૧] જો સાધુ બીજા ગણના આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવાને માટે જવા ઇચ્છે તો પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછ્યા વિના બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું ન ક્યે. પરંતુ આચાર્ય યાવત્ ગણાવચ્છેદને પૂછીને જ જવાનું ક્શે છે. જો તેઓ આજ્ઞા આપે તો અન્ય આચાર્ય, ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું Ò, આજ્ઞા ન આપે તો ન Ò. તેમને કારણ બતાવ્યા વિના અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું ન ૫ે. [૧૩૨] ગણાવચ્છેદક જો બીજા ગણના આચાર્ય, ઉપાધ્યાયને વાંચના દેવા જવાને ઇચ્છે તો પોતાનું પદ છોડ્યા વિના બીજા આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવાનું ન ક્લે –×– ઇત્યાદિ બધું પૂર્વ સૂત્રવત્ જાણવું. -- [૧૩૩] આચાર્ય કે ઉપાધ્યાય જો અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને વાંચના દેવા જવા ઇચ્છે તો પોતાનું પદ છોડ્યા વિના -X- · જવું ન Ò ઇત્યાદિ બધું —X— - પૂર્વ સૂત્રવત્ જાણવું. [૧૩૪] જો કોઈ સાધુ રાત્રે કે વિકાલે મૃત્યુ પામે તો તે મૃતભિક્ષુના શરીરની કોઈ વૈયાવૃત્ત્વ કરનારા સાધુ એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવવા ઇચ્છે ત્યારે – ત્યાં ઉપયોગમાં આવવા યોગ્ય ગૃહસ્થના અચિત્ત ઉપરણ-વહન યોગ્ય કાષ્ઠ હોય તો તેને પ્રાતિહારિક્ષણે ગ્રહણ કરે, અને તેનાથી મૃતભિક્ષુના શરીરને એકાંતમાં સર્વથા અચિત્ત પ્રદેશે પરઠવી, તે વહનકાષ્ઠને યથાસ્થાને રાખી દેવું જોઈએ. [૧૩૫] જો કોઈ સાધુ ક્લહ ીને તેને ઉપશાંત ન કરે તો તેને ગૃહસ્થોના ઘરમાં ભોજન-પાનને માટે નિષ્ક્રમણ-પ્રવેશ કરવો ન ક્યે. તેને ઉપાશ્રય બહાર સ્વાધ્યાય ભૂમિમાં કે ઉચ્ચાર અને પ્રસવણ ભૂમિમાં આવવું-જવું ન Ò. તેને ગ્રામાનુગ્રામ વિહાર કરવો ન Ò. તેને એક ગણથી બીજા ગણમાં સંક્રમણ કરવું અને વર્ષાવાસ અર્થાત્ ચોમાસું રહેવું ન પે. પરંતુ જ્યાં પોતાના બહુશ્રુત અને બહુઆગમજ્ઞ આચાર્ય અને ઉપાધ્યાય હોય, તેની પાસે આલોચના કરે, પ્રતિક્રમણ કરે, નિંદા કરે, ગર્હા રે, પાપથી નિવૃત્ત થાય, પાપફળથી શુદ્ધ થાય, ફરી પાપર્મ ન વાને માટે પ્રતિજ્ઞાબદ્ધ થાય અને યથાયોગ્ય તપરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે. તે પ્રાયશ્ચિત્ત જો શ્રુતાનુસાર અપાય તો તેને ગ્રહણ કરવું જોઈએ, પણ શ્રુતાનુસાર ન અપાય તો ગ્રહણ ન કરવું. જો શ્રુતાનુસાર પ્રાયશ્ચિત્ત દેવાયા પછી પણ જો સ્વીકાર ન કરે તો તેને ગણથી કાઢી મૂક્વો જોઈએ. [૧૩૬] જે દિવસે પરિહાર તપ સ્વીકારે, તે દિવસે પરિહાર ક્પસ્થિત સાધુને એક ઘેરથી આહાર અપાવવાનું આચાર્ય અથવા ઉપાધ્યાયને ૫ે છે. ત્યાર પછી તે સાધુને અશન યાવત્ સ્વાદિમ દેવું કે વારંવાર દેવું કલ્પતું નથી. પરંતુ જો આવશ્યક હોય તો તેની વૈયાવચ્ચ કરવાનું ક્લે છે, જેમ કે... પરિહાર ક્લ્પસ્થિત સાધુને ઊભો કરવો, બેસાડવો, પડખાં બદલાવડાવવા, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009020
Book TitleAgam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy