________________
૧૨/-/૯૯
સંવત્સર થાય છે.
હવે સર્વ નક્ષત્ર સંવત્સરગત અહોરાત્ર પરિમાણમુહૂર્ત પરિમાણ વિષય પ્રશ્નઉત્તર સૂત્રો કહે છે - ૪ - સુગમ છે. વિશેષ એ કે – અહોરાત્રની વિચારણામાં નક્ષત્ર માસ અહોરાત્ર પરિમાણ, મુહૂર્ત વિચારણામાં નક્ષત્ર માસ મુહૂર્વ પરિમાણને બાર વડે ગુણતાં થોક્ત અહોરાત્ર સંખ્યા અને મુહૂર્ત સંખ્યા થાય છે. - ૪ -
ભગવંત કહે છે – ૩૧ અહોરાત્ર અને અહોરાત્રના ૩૨/૬૨ ભાગ, આટલું પરિમાણ ચંદ્રમાસ અહોરાત્ર વડે કહેવું. તેથી કહે છે – યુગમાં ૬૨ ચંદ્રમાસ છે અને તે પૂર્વે પણ ભાવિત છે. પછી યુગના ૧૮૩૦ અહોરાત્રને ૬૨ વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨/૬૨ ભાગો.
-
પછી પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે – ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩૦/૬૨ ભાગ, આટલું પરિમાણ ચંદ્રમાસનું મુહૂર્ત પરિમાણથી કહેવું. તેથી કહે છે – ચંદ્રમાસ પરિમાણ ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨/૬૨ ભાગ. તેમાં સવર્ણનાર્થ ૨૯ અહોરાત્રને ૬૨ વડે ગુણીએ. ગુણીને ઉપરના ૩૨/૬૨ ઉમેરીએ. તેથી આવશે ૧૮૩૦, પછી તેને ૩૦ વડે ગુણીએ. આવશે - ૫૪,૯૦૦ મુહૂર્ત ગત ૬૨ ભાગો. એ રીતે ૫૪,૯૦૦ને ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે - ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના ૩/૬૨ આ અદ્ધા પૂર્વવત્ કહેવું.
ત્રીજા ઋતુસંવત્સર વિષય પ્રશ્નપત્ર સુગમ છે. ભગવંત ઉત્તરમાં કહે છે - x - ૩૦ અહોરાત્ર પ્રમાણથી ઋતુમાસ કહે છે. તેથી કહે છે – ઋતુમાસ યુગમાં ૬૧ છે. પછી યુગ-૧૮૩૦ અહોરાત્રને ૬૧ વડે ભાંગતા પ્રાપ્ત થશે ૩૦ અહોરાત્ર. મુહૂર્ત વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે તે ૯૦૦ મુહૂર્તના મુહૂર્ત પ્રમાણથી કહેવું તે આ રીતે – ૩૦ અહોરાત્રના ઋતુમાસ પરિમાણ એક-એક અહોરાત્રમાં ૩૦મુહૂર્ત છે, તે ૩૦ને ૩૦ વડે ગુણતાં ૯૦૦ થાય. - ૪ - શેષ પૂર્વવત્ કહેવું.
-
ચોથા સૂર્ય સંવત્સર વિષયક પ્રશ્નસૂત્ર, તે સુગમ છે ભગવંત કહે છે - x - ૩૦ અહોરાત્ર, એક અહોરાત્રનો એક અદ્ભુભાગ. આટલાં પ્રમાણ સૂર્યમાસ અહોરાત્ર પરિમાણથી કહેવું. તેથી કહે છે – સૂર્યમાસ યુગમાં ૬૦ છે, પછી યુગના અહોરાત્રો ૧૮૩૦ને ૬૦ ભાગ વડે ભાંગતા, રહેશે સાદ્ધ-૩૦ અહોરાત્ર. મુહૂર્ત વિષય પ્રશ્ન સૂત્ર સુગમ છે, ભગવંત કહે છે – ૯૧૫ મુહૂર્ત પરિમાણથી કહેવા. તેથી કહે છે – સૂર્ય માસ પરિમાણ ૩૦ અહોરાત્ર અને અર્હ અહોરાત્રાધિક. તેની ૩૦ વડે ગુણીએ. તેથી ૯૦૦ આવશે. અહોરાત્રનું અડધું એટલે ૧૫ મુહૂર્તો. - x - શેષ પૂર્વવત્. - X -
પાંચમા અભિવદ્ભુિત સંવત્સર પ્રશ્નસૂત્ર-સુગમ છે ભગવંતે કહ્યું - ૪ - તે ૩૧ અહોરાત્ર, ૨૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧/૬૨ ભાગ અહોરાત્ર પરિણામથી કહેવું. તેથી કહે છે – ૧૩ ચંદ્ર માસ વડે અભિવર્ધિત સંવત્સર છે. ચંદ્રમાસનું પરિમાણ ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨/૬૨ ભાગ છે. તેને ૧૩ વડે ગુણીએ. તેથી યથાસંભવ ૬૨ ભાગ અહોરાત્રમાં આ ૩૮૩ અહોરાત્ર અને એક અહોરાત્રના
96
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
૪૪/૬૨ ભાગ. આ અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ છે. તેથી આને ૧૨-વડે ભાંગીએ. તેમાં ૩૮૩ અહોરાત્રને ૧૨-ભાગ વડે ભાંગતા આવશે ૩૧ અહોરાત્ર. પછી શેષ રહેશે૧૧ તેના મુહૂર્ત કરવાને માટે ૩૦ વડે ગુણીએ. તેથી આવશે-૩૩૦ અને જે ૪૪/૬૨ ભાગ અહોરાત્ર છે, તેના મુહૂર્તકરણને માટે-૩૦ વડે ગુણીએ. તેનાથી આવશે - ૧૩૨૦. તેને ૬૨ ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત થશે-૨૧ મુહૂર્તો. શેષ રહે છે - ૧૮. તેમાં૨૧ મુહૂર્તો, મુહૂર્તરાશિમાં ઉમેરીએ. તેનાથી મુહૂર્તો થશે - ૩૫૧. તેમાં ૧૨ વડે ભાગ દેવાતાં, પ્રાપ્ત થશે-૨૯ મુહૂર્તો અને શેષ વધે છે - ત્રણ. તે ૬૨-ભાગ કરણને માટે ૬૨-વડે ગુણીએ. તેનાથી આવશે-૧૮૬. પછી પૂર્વોક્ત બાકી રહેલ મુહૂર્તના ૧૮૧૬૨ ભાગ ઉમેરીએ. તેથી આવશે - ૨૦૪, તે ૧૨ ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત મુહૂર્તના ૧૭/૬૨ ભાગ. - ૪ -
..
તે અભિવર્ધિત માસ કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેવો? ભગવંત કહે છે – ૯૫૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૭/૬૨ ભાગ. તેથી કહે છે – ૩૧ અહોરાત્રને ૩૦ વડે ગુણીએ. તેથી આવે ૯૩૦ મુહૂર્તો. પછી ઉપરના ૨૯ મુહૂર્તો, તેમાં ઉમેરીએ. તેથી આવશે - મુહૂર્તોના ૯૫૯.
-
તા Ç î ઈત્યાદિ - પૂર્વવત્ કહેવા. અહોરાત્ર વિષયક પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું – તે ૩૮૩ અહોરાત્ર, ૨૧ મુહૂર્તો અને એક મુહૂર્તના ૧૨/૬૨ ભાગ અહોરાત્ર પરિમાણથી કહેવા. તેથી કહે છે ૩૧ અહોરાત્રને ૧૨-વડે ગુણીએ, તેથી આવશે - ૩૭૨ અહોરાત્ર. પછી ૨૯ મુહૂર્તને ૧૨-વડે ગુણીએ. તેથી આવશે ૩૮૪. તેના અહોરાત્ર કરવાને માટે ૩૦ વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે ૧૧ અહોરાત્ર, અઢાર રહ્યા. જે ૧૭/૬૨ ભાગ મુહૂર્ત, તેને પણ ૧૨-વડે ગુણીએ. તેથી આવશે ૨૦૪, તેમને ૬૨ ભાગ વડે ભાંગીએ. પ્રાપ્ત થશે-૩-મૂહૂર્તો. તે પૂર્વે કહેલ ૧૮-માં ઉમેરીએ. તેથી આવશે-૨૧-મુહૂર્તો અને બાકી વધશે ૧૮/૬૨ ભાગ મુહૂર્ત.
તા સે પf ઈત્યાદિ. પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું – ૧૧૫૧૧ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગ, મુહૂર્ત પરિણામથી અભિવદ્ધિત સંવત્સર કહેવું. તેથી કહે છે – અભિવર્ધિત સંવત્સર પરિમાણ ૩૮૩ અહોરાત્ર અને ૨૧ મુહૂર્ત તથા એક મુહૂર્તના ૧૮૧૬૨ ભાગ. તેમાં એક અહોરાત્રમાં ૩૦ મુહૂર્તો, એ રીતે ૩૮૩ અહોરાત્રોને ૩૦ વડે ગુણીએ, ગુણીને ઉપરના ૨૧-મુહૂર્તો, તેમાં ઉમેરીએ. તેથી યયોક્ત મુહૂર્ત
સંખ્યા થાય.
હવે આ પાંચ સંવત્સરો ભેગા મળીને જેટલાં પ્રમાણમાં અહોરાત્ર પરિમાણથી
થાય છે, તેટલાંનો નિર્દેશ કરવાને માટે પહેલાથી પ્રશ્ન સૂત્ર કહે છે – • સૂત્ર-૧૦૦ :
નોયુગ કેટલાં અહોરાત્રથી કહેલ છે, તેમ કહેવું? તે ૧૭૯૧ અહોરાત્ર અને ૧૯ મુહૂર્ત તથા મુહૂર્તના ૧/૨ ભાગ, અને ૬૨-ભાગને ૬૭ વડે છેદીને ૫૫-ચૂર્ણિકા ભાગથી અહોરાત્રનું પરિમાણ કહેલ છે, તેમ કહેવું.