________________
૧૦/૬/૪૯
૧૨/૬૭ જતાં પૂર્ણ કરે છે.
બીજી જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યાને કૃતિકા નક્ષત્ર ત્રેવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૯/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના ૨૫/૬૭ ભાગ અર્થાત્ ૨૩ | ૧૯/૬૨ / ૨૫/૬૭ જતાં પૂર્ણ કરે છે.
૧૬૭
ત્રીજી જ્યેષ્ઠા મૂલી અમાવાસ્યાને રોહિણી નક્ષત્ર બાવીશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૯/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના ૩૯/૬૭ ભાગ અર્થાત્ ૩૨ / ૫૯/૬૨ / ૩૯/૬૭ જતાં પૂર્ણ કરે છે.
ચોથી જ્યેષ્ઠામૂલી અમાવાસ્યાને રોહિણી નક્ષત્ર છ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૨/૬૨ ભાગમાંના ૧/૬૨ ભાગના ૫૨/૬૩ ભાગમાં અર્થાત્ ૬ / ૩૨/૬૨ / ૫૨/૬૭ માં પૂર્ણ કરે છે.
પાંચમી જ્યેષ્ઠામૂલી અમાવાસ્યાને કૃતિકા નક્ષત્ર દશ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૬૫/૬૭ ભાગ જતાં અર્થાત્ ૧૦ | ૫/૬૨ / ૬૫/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે.
આષાઢી અમાવાસ્યા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? ભગવંતે કહ્યું – ત્રણ નક્ષત્રો યોગ કરે છે – આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય. આ પણ વ્યવહારથી કહ્યું છે. પરમાર્થથી તો આ ત્રણ નક્ષત્રો અષાઢી અમાસને પૂર્ણ કરે છે – મૃગશિર્ષ, આર્દ્રા, પુનર્વસુ. તેમાં પ્રથમ આષાઢી અમાસને આર્દ્રા નક્ષત્ર બાર મુહૂર્તોમાં એક મુહૂર્તના ૫૧/ ૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૧૩/૬૭ ભાગ જતાં પૂર્ણ કરે છે.
બીજી આષાઢી અમાવાસ્યાને મૃગશિર્ષ નક્ષત્ર ચૌદ મુહૂર્તોમાં એક મુહૂર્તના ૨૪/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૨૬/૬૭ ભાગ અતિક્રાંત થતાં પૂર્ણ કરે છે. ત્રીજી આષાઢી અમાવાસ્યાને પુનર્વસુ નક્ષત્ર નવ મુહૂતોમાં એક મુહૂર્તના ૨/ ૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૪૦/૬૩ ભાગ જતાં પૂર્ણ કરે છે.
ચોથી આષાઢી અમાવાસ્યાને મૃગશિર્ષ નક્ષત્ર ૨૭-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૩૭/૬૨ ભાગોમાં ૧/૬૨ ભાગના ૫૩/૬૭ ભાગો જતાં પૂર્ણ કરે છે.
પાંચમી આષાઢી અમાવાસ્યાને પુનર્વસુ નક્ષત્ર ૨૨-મુહૂર્તોમાં એક મુહૂર્તના ૧૬/૬૨ ભાગો સમતિક્રાંત થતાં અર્થાત્ ૨૨ / ૧૬/૬૨ / ૦ ને પરિસમાપ્ત કરે છે. એ પ્રમાણે બારે પણ અમાવાસ્યાના ચંદ્ર યોગથી યુક્ત નક્ષત્ર વિધિ કહી. હવે કુલાદિ યોજના કહે છે –
શ્રાવિષ્ઠી - - શ્રાવણ માસ ભાવિની અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપકુલને જોડે છે ?
ભગવંતે કહ્યું – તે કુલને પણ જોડે છે. #શબ્દ અહીં શબ્દના અર્થમાં છે. ઉપકુલને પણ જોડે છે. પણ યોગને આશ્રીને કુલોપકુલને જોડતી નથી. તેમાં કુલ સંજ્ઞક નક્ષત્ર, શ્રાવિષ્ઠી અમાસને મઘાનક્ષત્ર જોડે છે. આ વ્યવહાર થકી કહ્યું. વ્યવહારથી જ ગયેલ અમાવાસ્યામાં વર્તમાનમાં પણ એકમે જે અહોરાત્ર
૧૬૮
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ મૂળમાં અમાવાસ્ય સંબદ્ધ છે, તે સર્વે પણ અહોરાત્ર અમાસનું છે તેવો વ્યવહાર છે. તેથી એ પ્રમાણે વ્યવહારથી શ્રાવિષ્ઠી અમાસ મઘા નક્ષત્રના સંભવથી કહ્યું
કે કુલને જોડતાં મઘા નક્ષત્રને જોડે છે. પરમાર્થથી વળી કુલને જોડતાં પુષ્ય નક્ષત્રને જોડે છે, તેમ જાણવું. તે જ કુલ પ્રસિદ્ધિથી પ્રસિદ્ધ શ્રાવિષ્ઠી અમાવાસ્યાના સંભવી આમ કહ્યું – આ પૂર્વે કહ્યું જ છે. ઉત્તરસૂત્ર પણ વ્યવહારનયને આશ્રીને યથાયોગ વિચારવું.
-
ઉપકુલને જોડતાં આશ્લેષા નક્ષત્ર જોડે છે. હવે ઉપસંહારમાં કહે છે – જે કારણે ઉપ્રકારથી કુલ-ઉપકુલ બંને વડે શ્રાવિષ્ઠી અમાવાસ્યામાં ચંદ્રયોગ સમ થાય છે, કુલોપકુલ સાથે યોગ ન થાય. તેથી શ્રાવિષ્ઠી અમાસમાં કુલ ૫ણ જોડાય છે અને ઉપકુલ પણ જોડાય છે. એમ કહેવું. કુલ વડે યુક્ત અને ઉપકુલ વડે પણ યુક્ત શ્રાવિષ્ઠી અમાસ યુક્ત એમ કહેવું.
=
ઉકત પ્રકારે બાકીની અમાવાસ્યાઓ પણ કહેવી. વિશેષ એ કે – માર્ગશીર્ષી, માઘી, ફાલ્ગુની, આષાઢી અમાવાસ્યામાં કુલોપકુલને જોડે છે, તેમ કહેવું. બાકીની અમાવાસ્યામાં કુલોપકુલ નથી. હવે પાઠકના અનુગ્રહને માટે સૂમાલાપક બતાવે છે – પ્રૌષ્ઠપદી અમાવાસ્યાને શું કુલ જોડે છે, ઉપકુલ જોડે છે કે કુલોપલ જોડે છે ? કુલને જોડે છે અને ઉપકુલને પણ જોડે છે પરંતુ કુલોપકુલને જોડતાં નથી. કુલને જોડતાં ઉત્તરાફાલ્ગુનીને જોડે છે. ઉપકુલને જોડતાં પૂર્વાફાલ્ગુનીને જોડે છે. તે પ્રૌષ્ઠપદી અમારા એ રીતે કુલને જોડે છે, ઉપકુલને પણ જોડે છે. તેથી કુલ વડે પણ અને ઉપકુલ વડે પણ જોડાયેલ પ્રૌષ્ઠપદી અમાવાસ્યા મુક્ત છે, તેમ કહેવું જોઈએ.
આસોજા અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોપકુલને જોડે છે ? તે કુલને ૫ણ જોડે, ઉપકુલને પણ જોડે છે, પણ કુલોકુલને જોડતા નથી. કુલને જોડતા ચિત્રા નક્ષત્રમાં જોડે છે. ઉપકુલને જોડતાં હસ્ત નક્ષત્રને જોડે છે તે આસોજા અમાવાસ્યાને કુલ જોડે છે, ઉપકુલ જોડે છે. કુલ કે ઉપકુલ વડે જોડાયેલી આસોજા અમાસ કહેવી જોઈએ.
કાર્તિકી અમાવાસ્યાને કુલ પણ જોડે છે, ઉપકુલ પણ જોડે છે, કુલોપકુલ પણ જોડે છે ? તે કુલને જોડે છે, ઉપકુલને પણ જોડે છે પણ કુલો૫કુલને જોડતાં નથી. કુલને જોડતાં વિશાખા નક્ષત્રને જોડે છે, ઉપકુલને જોડતાં સ્વાતી નક્ષત્રને જોડે છે, એ રીતે કુલ અને ઉપકુલ વડે જોડાયેલ કાર્તિકી અમાવાસ્યા યુક્ત છે તેમ કહેવું જોઈએ.
મૃગશિર્ષી અમાવાસ્યા શું કુલને જોડે છે, ઉપકુલને જોડે છે કે કુલોકુલને જોડે છે ? તે કુલને પણ જોડે છે, ઉપકુલને પણ જોડે છે, કુલોપકુલને પણ જોડે છે. કુલને જોડતાં મૂળ નક્ષત્રમાં જોડે છે, ઉપકુલને જોડતાં જ્યેષ્ઠા નક્ષત્રમાં જોડે છે, કુલોપકુલને જોડતા અનુરાધાનક્ષત્રને જોડે છે. કુલ વડે, ઉપકુલ વડે, કુલોપકુલ વડે