________________
૬૨
સૂર્યપાતિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૧/૮/૩૦ છે. તેથી ભગવન તેનાથી પૃથક્ સ્વમતને જ જણાવે છે – અમે વળી આ રીતે કહીએ છીએ -
બધાં જ સૂર્યમંડલો પ્રત્યેકને યોજનના ૪૮/૬૧ ભાગ બાહલ્યથી અને લંબાઈ, પહોડાઈ તથા પરિધિથી વળી અનિયત કહ્યા છે. કોઈપણ મંડલની કેટલી લંબાઈ, પહોડાઈ અને પરિધિ છે તે પોતાના શિષ્યોને કહેવું.
એ પ્રમાણે ભગવંતે કહેતાં ગૌતમે પૂછ્યું - મંડલ પદોમાં લંબાઈ, પહોડાઈ અને પરિધિના નિયતપણામાં શો હેતુ છે, તે કહો - અહીં ભગવંત કહે છે - આ જંબૂદ્વીપ આદિ વાક્ય પૂર્વવત્ પરિપૂર્ણ સ્વયં વિચારવું અને વ્યાખ્યા કરવી.
તેમાં જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે મંડલપદ જાડાઈથી યોજના ૪૮/૬૧ ભાગ જાણવું. લંબાઈ-પહોડાઈથી ૯,૬૪૦ યોજન જાણવું. તેથી જ કહે છે કે – એક તફથી સવચિંતર મંડલ ૧૮૦ યોજન જંબૂલીપને અવગાહીને રહે છે, તેમ બીજી તરફ પણ જાણવું. તેથી ૧૮૦ યોજનને બે વડે ગુણતાં ૩૬૦ થાય છે. આ જંબૂઢીપ વિઠંભ પરિમાણથી લાખ રૂપે શોધિત કરતાં ૩,૧૫,૦૮૯ પરિધિ થાય. તેથી કહે છે - તે સવન્જિંતર મંડલનો વિડંભ ૯૯,૬૪૦ છે. તેનો વર્ગ કરીએ તો ૯,૯૨,૮૧,૨૯,૬૦૦ આવે છે, તેને ૧૦ વડે ગુણતાં ૯૯,૨૮,૧૨,૯૬,ooo થાય. તેનું વર્ગમૂળ કરવામાં આવે તો ચોક્ત પરિધિ પ્રમાણ આવે છે. શેષ રહે છે - ૨,૧૮,૦૩૯, એટલું છોડી દેવું. રાત્રિ-દિવસ પરિમાણ સુગમ છે.
તે સૂર્ય સવવ્યંતર મંડલથી પૂર્વોક્ત પ્રકાચી નીકળતા નવા સંવત્સરનો આરંભ કરતા, નવા સંવત્સરના પહેલાં અહોરાકમાં સવચિંતર અનંતર બીજા મંડલમાં સંકમીને ચાર ચરે છે, ત્યારે જો સવચિંતર અનંતર બીજા મંડળને સંક્રમીને ચાર ચરે ત્યારે તે મંડલ પદ ૪૮/૬૧ ભાણ યોજનના બાહચથી, ૯૯,૬૩૫ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ લંબાઈ-પહોડાઈથી થાય છે. તેથી જ કહે છે કે- એક પણ સૂર્ય સર્વાચિંતર મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અને બીજા બે યોજનમાં બહાર રહીને બીજા મંડલમાં ચાર ચરે છે. બીજો સૂર્ય પણ તેટલો જ ચાર ચરે છે.
પછી બે યોજન અને ૪િ૮/૬૧ અડતાલીશ એકસઠાંશ ભાણ યોજનને બે વડે. ગુણવાથી પાંચ યોજન અને ૩૫/૬૧ ભાગ યોજન થાય છે. આ પ્રથમ મંડલ વિઠંભ પરિમાણમાં અધિકત્વથી ઉમેતા, યશોક્ત બીજા મંડલના વિકુંભ અને આયામ પરિમાણ પ્રાપ્ત થાય છે. તેમાં 3,૧૫,૧૦૩ યોજનથી કંઈક વિશેષાધિક પરિધિ કહેલી છે, તેથી કહે છે કે - પૂર્વ મંડલના વિડંભ, આયામ, પરિમાણથી આ મંડલના વિડંભ, આયામ પરિમાણ પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગ અધિકપણે પ્રાપ્ત થાય છે. તેથી આ રાશિનું પૃથક્ પરિમાણ લાવવું -
તેમાં પાંચ યોજનના ૬૧ ભાગ કરવાને માટે ૬૧ વડે ગુણતાં ૩૦૫ આવે છે. એમની મધ્યે ઉપરના [૩૫] પામીશ એકસઠાંશ ભાગ ઉમેરતા 3૪૦ થશે. તેનો વર્ગ કQો. વર્ગ કરીને દશ વડે ગુણવા, તેનાથી ૧૧,૫૬,૦૦૦ આવશે. પછી આ
સંખ્યાનું વર્ગમૂળ કાઢતાં ૧૦પની સંખ્યા આવશે, તેના યોજન કરવાને માટે ૬૧ ભાગ વડે ભાગતા સત્તર પૂર્ણાંક આડત્રીશ એકસઠાંશ - [૧૭-૮/૧ી સંખ્યા આવશે. આ સંખ્યાને પૂર્વમંડલ પરિધિ પરિમાણમાં અધિકત્વથી ઉમેરીએ. તેનાથી ચોક્ત અધિકૃત મંડલ પરિધિ પરિમાણ થાય છે. જો કે તેમાં કંઈક વિશેષ ન્યૂન કહ્યું છે, આ ન્યૂનતા ૩/૬૧ ભાગ જાણવી. ત્યારે - બીજા મંડલના ચાર ચરણકાળમાં દિવસ અને રાત્રિનું પ્રમાણ પૂર્વવત્ જાણવું. તે આ પ્રમાણે છે - ત્યારે અઢાર મુહૂર્તનો દિવસ થાય તેમાં ૨૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન થાય અને રાત્રિ ૨૧ ભાગ અધિક બાર મુહૂર્તની જાણવી.
ત્યારપછી સુર્ય બીજા મંડલથી ઉકત પ્રકારથી નીકળતો નવા સંવત્સરમાં બીજા અહોરમાં સવવ્યંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. તો
જ્યારે સૂર્ય સર્વાભિંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે ત્રીજું મંડલપદ એક યોજનના અડતાલીશ એકસઠાંશ ભાગ [ ૧] બાહલ્યથી ૯,૬૫૧ યોજન અને એક યોજનના [૧] નવ એકસઠાંશ ભાગ લંબાઈ-પહોડાઈ વડે થાય. તેથી કહે છે – પૂર્વવત્ અહીં પણ પૂર્વમંડલના વિડંભ, આયામ પરિમાણથી પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ પ્રાપ્ત થાય છે. તેથી યથોક્ત આયામવિકંભ પરિમાણ થાય છે - ૩,૧૫,૧૨૫ યોજન પરિધિ કહી છે – તેથી કહે છે કે પૂર્વમંડલથી આ વિકંભમાં પાંચ યોજન અને યોજનના ૩૫/૧ ભાગ અધિકપણે પ્રાપ્ત થાય છે. તેનાથી યથોક્ત અહીં લંબાઈ-પહોડાઈ પરિમાણ થાય છે -
- તેનું પૃથક પરિધિ પરિમાણ ૧૭ યોજન અને એક યોજનના ભાગ એ નિશ્ચય મતથી છે. પણ સૂત્રકૃત વ્યવહારનય મતને આશ્રીને પરિપૂર્ણ ૧૮ યોજનની વિવા કરેલી છે. વ્યવહાર નયના મતથી જ કંઈક ન્યૂન હોય તો પણ પરિપૂર્ણ છે, તેમ વિવક્ષા કરાય છે. તથા જે પણ પૂર્વમંડલની પરિધિના પરિમાણમાં કંઈક ન્યૂનત્વ કહ્યું, તે પણ વ્યવહાર નયના મતથી પરિપૂર્ણવત્ જ વિવક્ષા થાય.
તેથી પૂર્વ મંડલ પરિધિ પરિમાણમાં ૧૮ યોજનો અધિકત્વથી ઉમેરાય છે, તેનાથી થોક્ત અધિકૃત મંડલ પરિધિ પરિમાણ થાય છે. ત્યારે – ત્રીજા મંડલના ચાર ચરણ કાળમાં દિવસ-રાત્રિ તે પ્રમાણે પૂર્વવત્ કહેવા. તે આ પ્રમાણે છે - ત્યારે ચાર-એકસઠાંશ ભાગ [૧મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ થાય છે અને ચાર એકસઠાંશ મુહૂર્ત અધિક બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ ઉપાય વડે પ્રતિ અહોરાત્ર એકૈક મંડલ છોડતો, નિકળેલો સૂર્ય, તે અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો કરતો એક એક મંડલમાં પાંચ-પાંચ યોજન અને યોજનના ૩૫૧ ભાગ, એવા પરિમાણની વિઠંભની વૃદ્ધિને વધારતો-વધારતો એક-એક તે મંડલમાં અઢાર-અઢાર યોજનની પરિધિ વૃદ્ધિને વધારતો-વઘારતો અહીં અઢાર-અઢાર એ વ્યવહારથી કહેલ છે. નિશય મતથી તો ૧૭-૧૭ યોજન અને યોજનનો ૮૬૧ ભાગ જાણવો. આ પૂર્વવત્