SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૬/૨૮ અતિક્રાંત થાય છે, પછી બીજા અહોરાત્રમાં પહેલી ક્ષણમાં જ બીજા મંડલને પ્રાપ્ત થાય છે. તેથી કહ્યું છે – ત્યારે બે યોજન અને એક યોજનના ૪૮/૬૧ ભાગમાં એ અહોરાત્રથી વિકપિત કરીને સૂર્ય ચાર ચરે છે. ત્યારે સર્વાન્વંતર અનંતર બીજા મંડલ ચાર ચરણકાળમાં પૂર્વવત્ અઢાર મુહૂર્તનો દિવસ ૨/૬૧ મુહૂર્ત ન્યૂન થાય છે. [/૬૧] બે એકસઠાંશ ભાગ અધિક બાર મુહૂર્તા રાત્રિ થાય છે. તે જ બીજા મંડલમાં પહેલી ક્ષણથી ઉર્ધ્વ તેવા કંઈક પણ ત્રીજા મંડલ અભિમુખ મંડલ પરિભ્રમણ ગતિથી ચાર ચરે છે. જેથી તે અહોરાત્રને અંતે બીજા મંડલગત એક યોજનના ૪૮/૬૧ ભાગ અને બીજા તેનાથી બહિર્મૂત બે યોજન અતિક્રાંત થાય છે. પછી નવા સંવત્સરના બીજા અહોરાત્રમાં પ્રથમ ક્ષણમાં જ ત્રીજા મંડલમાં સંક્રમે છે તથા કહે છે – “તે નિષ્ક્રમણ કરતો'' ઈત્યાદિ. ૫૫ તે સૂર્ય બીજા મંડલથી પહેલાં ક્ષણથી ઉર્ધ્વ ધીમે-ધીમે નીકળતો-બહિર્મુખ ભ્રમણ કરતો નવા સંવત્સરમાં બીજા અહોરાત્રમાં સચિંતર મંડલથી ત્રીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાત્ર વડે જેટલાં ક્ષેત્રને વિકપિત કરીને ચાર ચરે છે, તેને નિરૂપણ કરવા કહે છે તેમાં જ્યારે સૂર્ય સર્વાન્વંતર મંડલથી ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાત્ર વડે સર્વત્યંતર મંડલગત, તેની પછીના બીજા મંડલગત વડે પાંચ યોજન અને એક યોજનના [૩૫/૬૧] પાત્રીશ એકસઠાંશ ભાગ વિકપિત કરીને, તેથી કહે છે – એક અહોરાત્ર વડે બે યોજન અને એક યોજનના ૪૮/૬૧ ભાગ વિકંપિત કરીને બીજા પણ અહોરાત્ર વડે, તેના ઉભયમીલનથી યશોક્ત વિપ પરિમાણ થાય છે. આટલો વિકંપ્ય ચાર યરે છે. - હવે શેષમંડલમાં ગમન કહે છે – એ પ્રમાણે ઉક્ત પ્રકારથી નિશ્ચિત આ ઉપાય વડે તે-તે મંડલ પ્રવેશના પ્રથમ ક્ષણ પછી ધીમે-ધીમે તે-તે બહિર્ભૂત મંડલ અભિમુખ જવા રૂપ, ત્યાંથી તે મંડળથી નીકળતા, તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતા-કરતા એકૈક અહોરાત્રથી બબ્બે યોજનમાં એક યોજનના ૪૮/૬૧ ભાગ વિકંપન કરતાં-કરતાં પહેલાં છ માસના પર્યાવસાનરૂપ ૧૮૩માં અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલમાં સંક્રમીને ચાર ચરે છે. ત્યારે સર્વ અત્યંતર મંડલની અવધિ કરીને તે-તેમાં રહેલ અહરાત્રાદિ કરીને, ૧૮૩ અહોરાત્ર વડે ૧૧૫ યોજન વિકંપીને, તેથી જ કહે છે કે એકૈંક અહોરાત્રમાં બબ્બે યોજનમાં એક યોજનના [૪૮/૬૧] અડતાલીશ એકસઠાંશ ભાગને વિકર્ષિત કરે છે. પછી બબ્બે યોજનમાં ૧૮૩ વડે ગુણતાં, ૩૬૬ની સંખ્યા થાય છે. જે પણ ૪૮/૬૧ ભાગ છે, તેને પણ ૧૮૩ વડે ગુણતાં ૮૭૭૪ની સંખ્યા આવે છે. તેના યોજન કરવા માટે ૬૧ ભાગ વડે ભાંગતા ૧૪૪ની સંખ્યા પ્રાપ્ત થાય છે. તેને પૂર્વની યોજન રાશિમાં ઉમેરતા ૫૧૦ની સંખ્યા આવે છે. આટલા પ્રમાણને વિકપિત કરીને ચાર ચરે છે. ત્યારે પૂર્વવત્ અહોરાત્ર થાય છે. સર્વ બાહ્ય મંડલમાં પ્રવેશતો પહેલી ક્ષણથી આગળ ધીમે-ધીમે અત્યંતર સર્વ બાહ્ય અનંતર બીજા મંડલ અભિમુખ તેવી કોઈક મંડલગતિથી પરિભ્રમણ કરે છે, ૫૬ સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જેથી પહેલાં છ માસના પર્યવસાન રૂપ અહોરણના પવસાનમાં સર્વ બાહ્ય મંડલગત ૪૮/૬૧ ભાગ યોજન અને બીજા બે યોજન અતિક્રમીને સર્વ બાહ્ય અનંતર બીજા મંડલની સીમામાં વર્તે છે. પછી અનંતર બીજા છ માસના પહેલાં અહોરાત્રમાં પહેલી ક્ષણમાં સર્વ બાહ્ય અનંતર, બીજા અત્યંતર મંડલમાં પ્રવેશે છે, તેથી કહે છે – “તે પ્રવેશ કરતો ઈત્યાદિ. તે સૂર્ય સર્વ બાહ્ય અનંતર અત્યંતર બીજા મંડલથી પ્રથમ ક્ષણથી આગળ ધીમે-ધીમે અત્યંતરમાં પ્રવેશ કરતો બીજા છ માસના બીજા અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડલના અત્યંતર ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, તેમાં જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલથી અત્યંતર ત્રીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે બે અહોરાત્ર વડે સર્વ બાહ્ય મંડલગત સર્વ બાહ્યથી અનંતર બીજા મંડલમાં જઈને પાંચ યોજન અને એક યોજનના ૩૫/૬૧ ભાગને વિકપિત કરીને તથા એક અહોરાત્ર વડે પહેલાં છ માસના પર્યવસાન ભૂત બે યોજનમાં એક યોજનના ૪૮/૬૧ ભાગને વિકપિત કરે છે, બીજા પણ અહોરાત્ર વડે બીજા છ માસના પ્રથમથી, તે બંનેને મેળવતાં શોક્ત વિકંપન પરિમાણ પ્રાપ્ત થાય છે ત્યારે થતાં રાત્રિ-દિવસનું પરિમાણ સુગમ ચે. આ ઉપાયથી ઈત્યાદિ પૂર્વવત્ સ્વયં કહેવું. ૦ પ્રાકૃત-પ્રામૃત-૬નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦ — x — x — x — x — x — x –x— આ પ્રામૃત-૧, પ્રાકૃત-પ્રાભૂત છે એ પ્રમાણે છઠ્ઠું પ્રામૃત-પ્રામૃત કહ્યું. હવે સાતમાનો આરંભ કરે છે. તેના આ અર્થાધિકાર પૂર્વે કહેલ છે. જેમકે – મંડલોનું સંસ્થાન કહેવું, તેથી તે વિષયક પ્રશ્નસૂત્ર કહે છે – • સૂત્ર-૨૯ - તે મંડલની સંસ્થિતિ કેવી છે ? તે જેમ કહ્યું છે તે કહો – તે વિષયમાં આ આઠ પ્રતિપત્તિઓ કહેલી છે. તેમાં એક એ પ્રમાણે કહે છે – તે સર્વે પણ મંડલ સમચતુરસ સંસ્થાન સંસ્થિત કહેલ છે, તેમ એક (અન્યતીર્થિક) કહે છે. બીજા કોઈ એક એમ કહે છે કે તે સર્વે મંડલો વિષમ તુસ સંસ્થાન સંસ્થિત કહેલા છે. વળી કોઈ ત્રીજો એમ કહે છે કે બધાં પણ મંડલો સમચતુષ્કોણ સંસ્થિત કહેલા છે. વળી ચોથો કોઈ કહે છે કે સર્વે પણ મંડલ વિષમ ચતુષ્કોણ સંસ્થિત કહેલા છે. વળી પાંચમાં કોઈ કહે છે કે તે સર્વે પણ મંડલ સમ ચક્રવાલ સંસ્થિત છે કહેલા છે. - વળી છટ્ઠા પણ કોઈ કહે છે કે સર્વે પણ મંડલો વિષમ ચક્રવાલ સંસ્થિત કહેલા છે, વળી કોઈ સાતમા કહેલ છે કે તે સર્વે પણ મંડલો અર્ધ
SR No.009014
Book TitleAgam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy