SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬/-/-/૬૦૧ દંડક સુધી કહેવું. એમ તૈજસ સમુદ્દાત સુધી જાણવું, એ પ્રમાણે પાંચ સમુાતો ચોવીસ દંડકે કહેવા. ૧૬૯ ભગવન્ ! એકેક નૈરયિકને પૂર્વે આહાકસમુાતો કેટલા થયા છે. કોઈને હોય, કોઈને ન હોય, જેને હોય તેને જઘન્યથી એક, બે અને ઉત્કૃષ્ટથી ત્રણ હોય. ભાવિકાળે કેટલાં થવાના છે ? કોઈને હોય અને કોઈને ન હોય. જેને હોય તેને જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર હોય. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેવું. પણ મનુષ્યને પૂર્વે થયેલ અને ભાવિકાળે થનાર, નૈરયિકને ભાતિ કાળે થનારા છે તેમ કહેવા. ભગવન્ ! એકૈંક નૈરયિકને કેવલિ સમુદ્ઘાત કેટલા થયેલા છે ? પૂર્વે થયા નથી. ભાવિમાં કેટલા થવાના છે ? કોઈને થાય અને કોઈને ન થાય. જેને થનાર છે તેને એક સમુદ્દાત થવાનો છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. પણ મનુષ્યને કોઈને થયેલ છે - કોઈને નથી. જેને છે તેને એક છે, ભાવિકાબે થનાર પણ એક જ છે. • વિવેચન-૬૦૧ - એકૈક નૈરયિકને કેટલા વેદના સમુ થયા છે? ઈત્યાદિ. ગૌતમ! અનંતા થયા છે. કેમકે નારકાદિ સ્થાનો અનંતવાર પ્રાપ્ત થયા છે અને એકૈક નાકાદિ સ્થાનની પ્રાપ્તિ સમયે પ્રાયઃ અનેકવાર વેદના સમુદ્દાત થાય છે. આ કથન ઘણાં જીવોની અપેક્ષાથી છે. કેમકે ઘણાં જીવો અવ્યવહાર રાશિથી નીકળેલા અનંતકાળ સુધી હોય. તેથી તેમની અપેક્ષાથી અનંત વેદના સમુદ્દાત ઘટી શકે. પરંતુ થોડાં કાળથી અવ્યવહાર રાશિથી નીકળેલાં હોય તેઓને યથા સંભવ સંખ્યાતા કે અસંખ્યાતા વેદના સમુદ્ઘાતો જાણવા. પણ તેઓ થોડાંક જ છે. ભાવિમાં કેટલાં થનાર છે? સૂત્રપાઠ સુગમ છે. પરંતુ પુ: - આગળ, કૃત - પરિણામ પ્રાપ્તિની યોગ્યતા વડે કેટલા થનાર છે? અર્થાત્ ભાવિમાં થનારા. કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ ઉત્તર સૂત્ર છે. અર્થાત્ જે કોઈ જીવ વિવક્ષિત પ્રશ્ન સમય પછી વેદના સમુદ્ઘાત કર્યા વિના જ નરકથી નીકળી, મનુષ્યભવમાં વેદના સમુદ્દાત ન પામીને જ સિદ્ધ થાય છે. તેને ભાવિકાળમાં એક પણ વેદના સમુદ્દાત થવાનો નથી. પણ વિવક્ષિત જીવ બાકીના આયુકાળમાં કેટલોક કાળ નકમાં રહી પછી મનુષ્યભવ પામી સિદ્ધ થાય, તેને એકાદિ સમુદ્ઘાતનો સંભવ છે. સંખ્યાતા આદિ કાળ સુધી સંસારમાં રહેનારને સંખ્યાતાઅસંખ્યાતા-અનંતા વેદના સમુદ્ધાતો થાય. - x - બધાં અસુકુમારાદિ સ્થાનોમાં અતીતકાળે અનંત વેદના સમુદ્ઘાતો કહેવા. અનાગત કાળે વેદના સમુદ્ઘાતો કોઈને થાય - કોઈને ન થાય. ઈત્યાદિ પૂર્વે કહ્યા મુજબ જાણવું. એ પ્રમાણે ચોવીશ દંડકના ક્રમે કષાય સમુદ્દાત, મારણાંતિક સમુદ્ઘાત, વૈક્રિય સમુદ્ઘાત, વૈજસ સમુદ્દાત પ્રત્યેક દંડકે કહેવા. તેથી ૧૨૦-દંડક E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (85) ૧૭૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ સૂત્રો થાય. બાકી સૂત્રમાં કહેલ બધું સુગમ છે. ભગવન્ ! એકૈંક નૈરયિકને પૂર્વે બધાં અતીતકાળની અપેક્ષા કેટલાં આહારક સમુદ્ઘાતો પૂર્વે થયા છે ? ગૌતમ ! કોઈને હોય, કોઈને ન હોય. - X - ૪ - જેણે પૂર્વે મનુષ્યપણું પામીને તેવા પ્રકારની સામગ્રીના અભાવે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યુ નથી, ચૌદ પૂર્વનું જ્ઞાન હોવા છતાં આહાસ્ક લબ્ધિના અભાવે કે તેવા પ્રયોજનના અભાવે આહાસ્ક શરીર કર્યુ નથી, તેને હોતાં નથી. જેને હોય તેને જઘન્યથી એક કે બે અને ઉત્કૃષ્ટથી ત્રણ જ હોય. કેમકે જણે ચાર વાર આહાસ્ક શરીર કર્યુ છે, તેમનું નકમાં ગમન થતું જ નથી, ભાવિકાળે પણ કોઈને હોય - કોઈને ન હોય. તેમાં મનુષ્યત્વ પામી તેવી સામગ્રીના અભાવે ચૌદ પૂર્વનું જ્ઞાન અને આહાસ્ક સમુદ્દાત વિના સિદ્ધ થાય તેને હોતા નથી. બાકીનાને યથાસંભવ ઉત્કૃષ્ટથી ચાર સમુ થાય પછી અવશ્ય બીજી ગતિમાં ઉત્પન્ન ન થવાથી આહાક સમુ સિવાય સિદ્ધિગમન થાય છે. એમ વૈમાનિક સુધી કહેવું. – પરંતુ મનુષ્યને અતીતકાળે - અનાગત કાળે પણ જેમ નૈરયિકોને કહ્યું, તેમ કહેવું અર્થાત્ ઉત્કૃષ્ટથી અતીતકાળે પણ ચાર અને અનાગતકાળે પણ ચાર સમુદ્કાતો ઉત્કૃષ્ટથી કહેવા. તેનો સૂત્રપાઠ આમ થાય - એકૈક મનુષ્યને કેટલાં આહારક સમુદ્ઘાત પૂર્વે થયેલા છે ? ઈત્યાદિ બધું કહેવું. પરંતુ તાત્પર્ય એ કે ચોથી વખત આહારક શરીર કરનારો અવશ્ય તે ભવે જ મુક્તિ પામે. એમ કેમ જાણ્યું ? સૂત્રના પૂર્વપર વિચારથી. જો ચોથી વેળા આહારક શરીર કરીને બીજી કોઈ ગતિમાં જાય તો નાકાદિ કોઈપણ ગતિમાં અતીત કાળે ચાર આહારક સમુદ્દાત કહ્યા હોત, પણ કહ્યા નથી. તેથી જાણી શકાય છે કે ચોથી વેળા આહાક શરીર કરી અવશ્ય તે ભવમાં જ મુક્તિગામી થાય છે, બીજી ગતિમાં જતો નથી. જો આહારક સમુદ્ધાત ન કર્યો હોય તો તેની અપેક્ષાએ ‘નથી’ તેમ જાણવું. પરંતુ જે - x - ચાર આહારક સમુદ્ઘાતથી નિવૃત્ત થયેલો હોય અને હજી મનુષ્યભવનો ત્યાગ કર્યો નથી તેને ચાર સમુદ્ધાતો પૂર્વકાળે જાણવા. ભાવિકાળે થનારા સમુદ્દાત પણ કોઈને હોય કોઈને ન હોય. જે ચોથી વેળા આહાસ્ક શરીર કરીને આહાસ્ક સમુથી નિવૃત્ત થયેલ છે, અથવા જેણે આહાક શરીર કર્યુ નથી કે જેણે એક-બે કે ત્રણ વખત કરેલ છે, પણ તથાવિધ સામગ્રીના અભાવે આહાકશરીર કર્યા વિના જ મુક્તિ પામશે, તેને ભાવિમાં આહારક સમુદ્ઘાત કરવાના હોતા નથી. જેને કરવાના છે, તેને જઘન્યથી એક-બે-ત્રણ અને ઉત્કૃષ્ટથી ચાર સમુદ્ઘાતો કરવાના હોય છે. તેમાં એકાદિ સમુદ્ઘાતનો સંભવ પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં જાણવો. હવે કેવળી સમુદ્દાત સંબંધે દંડક સૂત્ર કહે છે એક એક વૈરયિકને અનંત અતીતકાળને આશ્રીને કેટલા કેવલીસમુદ્ઘાત પૂર્વે થયા છે ? એક પણ નહીં, કેમકે કેવલી સમુદ્દાત પછી અંતર્મુહૂર્તમાં અવશ્ય જીવો પરમ પદને પામે છે. તેથી કેવલી સમુ થયો હોત, તો તે જીવ નકે જ ન જાત, પણ નરકમાં છે, માટે કેવલી
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy