SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪/-/-/૫૮૮ થી ૫૩ ૧૫૫ (18) ઉદાર યાવત મનોરમ ઉત્તર વૈક્રિયરૂપને દર્શાવતી-દશવિતી ઉભી રહે, ત્યારે તે દેવો તે આસરાની સાથે રૂપ પરિચારણા કરે છે. બાકી પૂર્વવત્ ચાવતું વારંવાર પરિણમે છે. તેમાં જે શબ્દ પરિચક દેવો છે, તેમના મનમાં ઈચ્છા થાય કે - અમે સસરા સાથે શબ્દ વિચાર કરીએ ત્યારે પૂર્વવત્ યાવતુ વૈક્રિય રૂપ વિકુવીને દેવો પાસે આવે છે. આવીને તે દેવોની કંઈક સમીપે રહીને અનુત્તર એવા અનેક પ્રકારના શબ્દો બોલતી બોલતી ઉભી રહે છે. ત્યારબાદ તે અટારાની સાથે શબ્દ પ્રવિચાર કરે છે. બાકી બધું પૂર્વવત્ યાવતું વારંવાર પરિણમે છે. તેમાં જે મન પ્રવિચાસ્ક દેવો છે, તેઓ મનમાં ઈચ્છા કરે કે 'અમે આસસ સાથે મન વડે પવિચાર કરવા ઈચ્છીએ છીએ' ત્યારે તે અપ્સરાઓ જલ્દી ત્યાં આવી અનુત્તર અનેક પ્રકારે સંકલ્પો કરતી ઉભી રહે છે. ત્યારપછી દેવો તે અપ્સરાની સાથે મન વડે વિષય સેવન કરે છે, બાકી બધું પૂર્વવત, યાવત્ વારંવાર પરિણમે છે. પિs] ભગવના કાયપરિચારક યાવત મનપરિસ્થાક અને અપરિચારક દેવોમાં કોણ કોનાથી અલ્ય આદિ છે ? ગૌતમ ! સૌથી થોડા દેવો અપરિસ્યાસ્ક છે, મન પરિચક સંખ્યાલગણાં, શબ્દ પરિચારક અસંખ્યાતપણાં, રૂપપરિચાક અસંખ્યાતગણાં, સ્પર્શ પચિાક અસંખ્યાતગણ, કાયપસ્મિારક અસં છે. - વિવેચન-૫૮૮ થી ૫૯૩ : સબ સુગમ છે, પરંતુ ભવનપતિથી ઈશાન ક૫ સુધીના દેવો દેવી સહિત છે. કેમકે ત્યાં દેવીઓની ઉત્પત્તિ છે. તેથી જ તેઓ વિષય સેવન કરનારા છે. કેમકે દેવીઓનો દેવો વડે યથાયોગ્ય પરિગ્રહ થવાથી ઈચ્છા થતાં શરીર વડે વિષય સેવન થાય છે. સનકુમાર અને માહેન્દ્ર, બ્રહ્મલોક અને લાંતક, મહાશુક્ર અને સહસાર તથા આનતાદિ ચાર કલામાં દેવો દેવી સહિત હોય છે. કેમકે ત્યાં દેવીની ઉત્પત્તિ નથી. તેઓ પરિચારણા યુક્ત છે. કેમકે સૌધર્મ અને ઈશાનની દેવીઓ સાથે અનુક્રમે સ્પર્શ-૫-શબ્દ-મન વડે વિષય સેવન થાય છે. વેચક અને અનુત્તરપપાતિક દેવો દેવી હિત હોય છે અને વિષય સેવન હિત હોય છે. કેમકે ત્યાં અત્યંત મંદ પુરુષવેદનો ઉદય હોવાથી મન વડે પણ વિષયસેવન સંભવ નથી, પરંતુ કોઈ દેવો તથાવિધ ભવસ્વભાવથી દેવી સહિત અને પરિચાર રહિત હોતા નથી. ઈત્યાદિ • x - x - શરીર વડે મનુષ્ય સ્ત્રીપુરુષ માફક મૈથુન સેવન જેમને છે તેવા અતિ ભવનપતિથી ઈશાન કલા સુધી દેવો સંકિલષ્ટ ઉદયવાળા પુરુષવેદ કર્મના પ્રભાવથી મનુષ્ય માફક મૈથુન સુખમાં લીન થતાં અને કાયક્લેશ જન્ય સર્વ અંગે સ્પર્શ સુખ પામી પ્રસન્ન થાય છે. ત્રીજા-ચોથા કલ્પના દેવો સ્પર્શ પરિચાક - સ્તન, હાથ, સાથળ અને જઘનાદિ શરીર સ્પર્શથી મૈથુન સેવનારા હોય છે. તેઓ મૈથુન સેવવા ઈચ્છે છે ત્યારે મૈથુન સેવન ઈચ્છાથી નીકટ રહેલી દેવીઓના સ્તનાદિ અવયવોનો સાર્શ કરે છે, તેટલા માત્રથી કાયમવિયાર વડે અનંતગુણ સુખ અને an-40\Book-40B (PROOF-1) ૧૫૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩ વેદની ઉપશાંતિ થાય છે. પાંચમા-છઠા કલાના દેવો રૂપ પરિચારક - રૂપના જોવા વડે મૈથુન સેવી છે. તેઓ દેવાંગનાઓનું કામની રાજધાની જેવું દીવ્ય અને ઉત્પાદક રૂપ જોઈને કાયપ્રવિચારથી અનંતગુણ મૈથુન સુખ અનુભવે છે. તેટલા માગથી તેમનો વેદ ઉપશાંત થાય છે. સાતમ-આઠમાં કો દેવો શબ્દ પરિચાક - શબ્દના શ્રવણ માત્રથી મૈથુન સેવી હોય છે. તેઓ ઈષ્ટ દેવીના ગીત, હાસ્ય, સવિકાર ભાષણ, નૃપુસદિના ધ્વનિના શ્રવણ માત્રથી કાયપવિચારી અનંતગુણ સુખનો ઉપભોગ કરે છે. તેટલા માગથી તેનો વેદ શાંત થાય છે. આનતાદિ ચારે કપમાં દેવો મનપવિચાર વડે વૃદ્ધિ પામેલા પરસ્પર અનેક પ્રકારના મનોસંકલાથી મૈથુનસેવી હોય છે. તેઓ પરસ્પર મનના સંકલા માથી કાય પ્રવિચારથી અનંતગુણ સુખને પામે છે. એટલા માત્રથી તેઓ તૃપ્ત થાય છે. રૈવેયક અને અનુત્તર દેવો અપરિચાક છે. કેમકે તેઓ અલા મોહોદયથી પ્રશમ સુખમાં લીન થયેલા છે. [પ્રશ્નો જો એમ છે, તો તેઓ બ્રહ્મચારી કેમ ન કહેવાય ? રાત્રિના પરિણામના અભાવથી. •x• કાય પચિાક દેવોનો કાયમવિચાર કહે છે – કાય પ્રવિચારી દેવોને કાય વડે મૈથુન સેવવાની ઈચ્છાયુકત મન થાય છે. કેવી રીતે ? “અમે અપ્સરા સાથે કાય પ્રવિચાર કરવા ઈચ્છીએ છીએ' તે પછી તે દેવો તેમ વિચારે એટલે જલ્દી જ અપ્સરા પોતપોતાને ઉપભોગ્ય દેવોનો અભિપ્રાય જાણી વિષય સેવન અભિલાષાથી ઉત્તર વૈક્રિય રૂપો કરે છે. તે રૂપો ઉદાર, પણ હીન અવયવવાળા નહીં, આભૂષણાદિથી વિભૂષિત, તે રૂપો કદાચ કોઈને અમનોજ્ઞ હોય, તેથી કહે છે - સ્વ ઉપભોગ્ય દેવના મનોગત ભાવને ગમે તેવાં, મનોજ્ઞ રૂપો લેશથી પણ સંભવે, તેથી કહે છે – મનોહર - સ્વ ઉપભોગ્ય દેવના મનું હરણ કરે તેવા, વળી સ્વ ઉપભોગ્ય દેવોના મનને રમાડે તેવા મનોરમ, પ્રતિ સમય ઉત્તરોત્તર અનુરાગ સહિત કરે તેવાં. એવો રૂપો કરીને દેવો પાસે પ્રગટ થાય છે. પછી જેમ મનુષ્ય-માનુષી સાથે મૈથુન સેવે તેમ દેવો અપ્સરા સાથે સર્વ અંગના કાયકલેશ પૂર્વક મૈથુન સેવન કરે છે, કેમકે એ પ્રમાણે જ તેમને વેદ ઉપશાંતિ થાય છે. દષ્ટાંત કહે છે - તે વિવક્ષિત શીતયોતિક પ્રાણીને આશ્રીને શીતપુદ્ગલો અતિશય શીતપણે પરિણમે છે. અર્થાત શીત પુદ્ગલો શીતયોનિક પ્રાણીને વિશેષ સુખને માટે થાય છે અને ઉષ્ણ યુગલો ઉણયોનિક પ્રાણીને - X • વિશેષથી સુખને મરાટે થાય છે. એ પ્રમાણે તે દેવોએ તે અપ્સરા સાથે કાયમવિચાર કરતાં, વિષયેચ્છા પ્રધાન મન જદી જ અતિવૃપ્તિ થવાથી શાંત થાય છે. અર્થાત શીત કે ઉણ પુગલ તે-તે યોનિક પ્રાણીનો સ્પર્શ થતાં વિશેષ શીત કે ઉણપણું પામી તેના સુખને માટે થાય છે. તેમ દેવીના શરીર પુદ્ગલો દેવના શરીરને પામીને અને દેવના શરીરના પુદ્ગલો દેવીના શરીરને પામીને પરસ્પર એક ગુણપણે પરિણમતા એકબીજાના સુખને E:\Maha:
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy