________________
૩૪/-/-/૫૮૪ થી ૫૮૬
ઉપભોગ થાય છે ? પછી વૈક્રિયલબ્ધિ વડે અનેક પ્રકારે - અનેક રૂપવાળા વૈક્રિય શરીર થાય છે ? એમ પ્રશ્ન કર્યો. ભગવન્ કહે છે – હા, ગૌતમ ! એ પ્રમાણે છે. એમ નૈયિકોની અનંતરાહારાદિની વક્તવ્યતા મુજબ અસુરકુમારાદિ દશે ભવનપતિ કહેવા. વિશેષ એ કે – અસુકુમારાદિને પહેલા વિક્ર્વણા અને પછી પ્રવિચાર હોય. કેમકે તેઓ પહેલાં ઈષ્ટ વૈક્રિયરૂપ કરે છે, પછી શબ્દાદિ વિષયોનો ઉપભોગ કરે છે, એ નિયમ છે. બાકીના જીવો શબ્દાદિ વિષયના ઉપભોગની પ્રાપ્તિ થતાં હર્ષના વશથી અત્યંત વિશિષ્ટ શબ્દાદિના ઉપભોગની ઈચ્છાથી કે અન્ય કારણે વિપુર્વણા કરે છે.
૧૫૧
પૃથ્વીકાયના વિષયમાં પ્રશ્નસૂત્ર તેમજ કહેવુ. ઉત્તર સૂત્ર પરિચારણા સુધી કહેવું. કેમકે તેમને પણ સ્પર્શના ઉપભોગનો સંભવ છે. પણ તેમને વિધુર્વણા ન કહેવી, કેમકે તેમને વૈક્રિયલબ્ધિ અસંભવ છે. પૃથ્વી માફક વાયુકાય સિવાયના અકાયથી ચઉરિન્દ્રિય સુધી જાણવા. કેમકે તે બધાંને પણ વૈક્રિયલબ્ધિ નથી.
વાયુકાયમાં વિશેષતા કહેવા વાયુકાય સહિત પંચે તિર્યંચ અને મનુષ્યોનું અતિદેશપણું બતાવે છે, નૈરયિકોની માફક વાયુકાયિકાદિ કહેવા. તેમને વૈક્રિય લબ્ધિનો સંભવ હોવાથી વિકુર્વણા પણ કહેવી. પણ તે વિકુર્વણા વિષયભોગ પછી હોય છે. અંતરાદિ દેવો અસુરકુમાવત્ જાણવા, તેથી તેમને પણ પૂર્વે વિકુર્વણા અને પછી પ્રવિચારમા કહેવી. કેમકે બધાં દેવોનો તેવો સ્વભાવ છે.
હવે આહાર વિશે આભોગ વિચારવા કહે છે –
• સૂત્ર-૫૮૭ :
ભગવન્ ! નૈરયિકોનો આહાર શું આભોગ નિવર્તિત છે કે અનાભોગ નિવર્તિત ? ગૌતમ ! તે બંને પ્રકારે હોય. એ પ્રમાણે અસુકુમારથી વૈમાનિક સુધી જાણતું. પરંતુ એકેન્દ્રિયોનો આહાર આભોગ નિર્તિત નથી, પણ અનાભોગ
નિવર્તિત હોય છે.
ભગવન્ ! નૈરયિકો જે પુદ્ગલો આહારપણે ગ્રહણ કરે તે શું જાણે - જુએ અને તેનો આહાર કરે કે ન જામે, ન દેખે અને આહાર કરે છે ? ગૌતમ ! તેઓ ન જાણે - ન દેખે અને આહાર કરે છે એ પ્રમાણે તેઈન્દ્રિયો સુધી જાણવું. ઉરિન્દ્રિયો સંબંધે પૃચ્છા - કેટલાંક જાણે નહીં - જુએ છે અને આહાર કરે છે. કેટલાંક જાણે નહીં - જુએ નહીં અને આહાર કરે છે. પંચેન્દ્રિય તિર્યંચો ? તેમાં (૧) કેટલાંક જાણે-જુએ-અને આહાર કરે. (૨) કેટલાંક જાણે-જુએ નહીં અને આહાર કરે. (૩) કેટલાંક ન જાણે - જુએ અને આહાર કરે. (૪) કેટલાંક ન જાણે - ન જુએ અને આહાર કરે છે. એ પ્રમાણે મનુષ્યો કહેવા.
અંતર અને જ્યોતિષ્ક નૈરયિકોવત્ જાણવા. વૈમાનિક વિશે પ્રન – (9) કેટલાંક જાણે-જુએ અને આહાર કરે. (ર) કેટલાંક ન જાણે ન જુઓ અને આહાર કરે. એમ કેમ કહો છો? ગૌતમ! વૈમાનિક બે ભેટે છે માસી મિથ્યાદષ્ટિ ઉત્પન્ન, અમાસી સભ્યદૃષ્ટિ ઉત્પન્ન એમ જે રીતે પહેલાં ઈન્દ્રિય
-
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (76)
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ઉદ્દેશામાં કહ્યું તેમ કહેવું - ૪ -
ભગવન્ ! નૈરસિકોને કેટલાં અધ્યવસાયો છે ? ગૌતમ ! અસંખ્યાતા. તે પ્રશસ્ત છે કે આપશસ્ત? તે બંને છે. એમ વૈમાનિક સુધી જાણતું. ભગવન્ ! નૈરયિકો સમ્યકત્વાધિગામી છે, મિાત્વ અધિગામી છે કે મિશ્ર અધિગામી ? ગૌતમ ! તે ત્રણેના ધિગામી હોય. એમ વૈમાનિકો સુધી જાણવું. પરંતુ એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો સાધિગમી નથી. મિશ્રાધિગમી નથી, મિથ્યાત્વાધિગમી છે. • વિવેચન-૫૮૭ :
૧૫૨
વૈરયિકોને આભોગ નિર્વર્તિત આહાર હોય ? ઈત્યાદિ. મનોવ્યાપાર પૂર્વક આહાર ગ્રહણ કરે ત્યારે આભોગ નિર્વર્તિત. તે સિવાય અનાભોગ નિર્વર્તિત આહાર હોય. તે લોમાહાર જાણવો. એ પ્રમાણે બાકીના જીવોનો આહાર કહેવો. પણ એકેન્દ્રિયો અતિ અલ્પ અને અસ્પષ્ટ મનોદ્રવ્યની લબ્ધિ હોવાથી સ્પષ્ટ મનોવ્યાપાર હોતો નથી. તેથી તેમને હંમેશાં અનાભોગનિર્વર્તિત જ આહાર છે.
હવે આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલોના જ્ઞાન-દર્શનનો વિચાર કરે છે – જે પુદ્ગલોને નૈરયિકો આહારપણે લે, તેને જાણે - જુએ કે ન જાણે - ન જુએ ? તેઓ અવધિજ્ઞાન વડે ન જાણે, કેમકે તે લોમાહાર રૂપે અતિ સૂક્ષ્મ હોવાથી નાસ્કોના અવધિજ્ઞાનનો વિષય ન થાય. તેમ જુએ પણ નહીં કેમકે તે ચક્ષુઈન્દ્રિયનો વિષય નથી. બેઈન્દ્રિયો પણ ન જાણે, કેમકે તેઓ મિથ્યાજ્ઞાની છે. બેઈન્દ્રિયોને મતિ અજ્ઞાન છે, તે પણ અસ્પષ્ટ છે, તેથી પ્રક્ષેપાહારને સમ્યક્ ન જાણે, તેમજ ચક્ષુઈન્દ્રિયો ન હોવાથી જુએ પણ નહીં.
એ રીતે તેઈન્દ્રિયો પણ જ્ઞાનદર્શન રહિત જાણવા. ચઉરિન્દ્રિયો કેટલાંક ન જાણે કેમકે મિથ્યાજ્ઞાની છે. તેમને બેઈન્દ્રિય સમાન કહેવા. પણ ચક્ષુઈન્દ્રિય વડે જુએ છે, કેમકે ચક્ષુઈન્દ્રિય હોય છે. કેમકે માખી આદિ ગોળ વગેરેને જુએ છે અને આહાર કરે છે બીજા કેટલાંક મિથ્યાજ્ઞાની ચરિન્દ્રિયો જાણતા નથી. અંધકારાદિને
કારણે અનુપયોગના સંભવથી ન જુએ. પંચેન્દ્રિયતિર્યંચો સંબંધે લોમાહાર અને
પ્રક્ષેપાહારને આશ્રીને ચભંગી જાણવી. તેમાં પ્રક્ષેપાહાર અપેક્ષાએ આ પ્રમાણે છે – (૧) સમ્યજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો પ્રક્ષેપાહારને જાણે છે, ચક્ષુઈન્દ્રિયથી જુએ છે અને આહાર કરે છે. (૨) કેટલાંક જાણે પણ અંધકારાદિથી અનુપયોગ થતાં જુએ નહીં. (૩) મિથ્યાજ્ઞાની હોય તે જાણે નહીં પણ ચક્ષુઈન્દ્રિયથી જુએ. (૪) કેટલાંક મિથ્યાજ્ઞાનથી જાણે નહીં. અંધકારાદિથી જુએ નહીં. લોમાહાર અપેક્ષાએ આમ કહેવું – (૧) વિશિષ્ટ અવધિજ્ઞાન અભાવે લોમાહારને ન જાણે પણ ઈન્દ્રિયના અતિ વિશુદ્ધ સામર્થ્યથી જુએ અને આહાર કરે. (૨) પૂર્વવત્ ન જાણે, સામર્થ્ય અભાવે ન જુએ. (૩) કેટલાંક જાણે નહીં પણ ઈન્દ્રિય સામર્થ્યથી જુએ છે. (૪) કેટલાંક મિથ્યાજ્ઞાનને કારણે ન જાણે, ઈન્દ્રિય સામર્થ્ય અભાવે ન જુએ.
વ્યંતર અને જ્યોતિકો નૈરયિકવત્ જાણવા. કેમકે નૈરયિકોના અવધિજ્ઞાનની