SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭/૧/-/૪૫૧ થી ૪૫૩ - કૃષ્ણ નીલ, કાપોત. ભગવન્ ! તિર્યંચોને કેટલી વેશ્યા છે? ગૌતમ! છ - યાવત્ શુકલલેશ્યા. ભગવન્ ! એકેન્દ્રિયોને કેટલી વેશ્યા છે ? ગૌતમ ! ચારૂ કૃષ્ણ યાવત્ તેજોવેશ્યા. ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલી લેશ્યા છે ? ગૌતમ ! એ પ્રમાણે જાણવું. અકાયિક અને વનસ્પતિકાયિકોને પણ એમજ જાણવું તે વાયુ વિકલેન્દ્રિયોને નૈરયિકો માફક જાણવા. પંચે તિર્યંચની પૃચ્છા. ગૌતમ ! તેમને છ લેશ્યા હોય કૃષ્ણ યાવત્ શુકલલેશ્યા. સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયની પૃચ્છા-ગૌતમ ! નૈરયિકોવત્ જાણવું. ગર્ભજ પંચેન્દ્રિય તિરચોની પૃચ્છા-ગૌતમ ! છ લેશ્યા હોય - કૃષ્ણ યાવત્ શુકલ તિર્યંચયોનિક સ્ત્રી સંબધી પૃચ્છા - ગૌતમ ! એ જ છ લેશ્યાઓ હોય છે. - ૧૫૧ મનુષ્યોની પૃચ્છા – ગૌતમ ! એ જ છ લેશ્યા હોય છે. સંમૂર્ત્તિમ મનુષ્યોની પૃચ્છા - ગૌતમ ! નૈરયિકોવત્ જાણવું. ગર્ભજ મનુષ્યોની પૃચ્છા છ વેશ્યા છે, કૃષ્ણ યાવત્ લેક્ષ્ય મનુષ્ય સ્ત્રી વિશે પૃચ્છા - ગૌતમ ! એમ જ જાણવું. દેવ પૃચ્છા એ જ છ લેશ્યાઓ હોય. દેવી વિશે પૃચ્છા - ચાર લેશ્યા હોય, કૃષ્ણ યાવત્ તેોલેશ્યા ભવનવાસી દેવો વિશે પૃચ્છા - ગૌતમ ! એમ જ છે. વિશે ભવનવાસી દેવી પણ તેમજ જાણવા. વ્યંતર દેવ અને દેવી પણ તેમજ જાણવા. - જ્યોતિષ્ક વિશે પૃચ્છા - ગૌતમ ! એક તેજોલેશ્યા હોય. એ પ્રમાણે જ્યોતિક દેવી પણ જાણવી. વૈમાનિક વિશે પૃચ્છા - ગૌતમ ! ત્રણ-તેજો, પદ્મ, શુક્લ લેશ્યા. વૈમાનિકીને એક તેજોવેશ્યા. [૪૫૩] ભગવન્ ! આ સલેશ્તી, કૃષ્ણ, યાવત્ શુકલ લેશ્મી અને અલેશ્મી જીવોમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં જીવો શુકલલેશ્તી છે, પાલેશ્તી સંખ્યાતગણા, તેજોલેશ્તી સંખ્યાતગણા, અલેશ્ત્રી અનંતગણાં, કાપોતલેશ્મી અનંતગણા, નીલલેશ્તી વિશેષાધિક, કૃષ્ણલેશ્તી વિશેષાધિક અને તેનાથી સલેી જીવો વિશેષાધિક છે. • વિવેચન-૪૫૧ થી ૪૫૩ - આ સૂત્રનો પૂર્વના ઉદ્દેશા સાથે શો સંબંધ છે ? ઉદ્દેશા-૧-માં લેશ્યાવાળા સમાનાહારી છે આદિ કહ્યું, અહીં તે જ લેશ્યાનો વિચાર કરાય છે. તેમાં ત્ત્તવા - કૃષ્ણદ્રવ્યરૂપ કે કૃષ્ણ દ્રવ્યથી જનિત લેશ્યા. એ પ્રમાણે નીલલેશ્યાદિ પણ વિચારવા. અલ્પબહુત્વ વક્તવ્યતા પહેલાં બધું સૂત્ર સુગમ છે. પણ વૈમાનિકીને એક તેજોલેશ્યા કહી, તેનું કારણ - વૈમાનિક દેવીઓ સૌધર્મ અને ઈશાનમાં જ છે, તેમાં કેવળ તેજોલેશ્યા છે. અહીં સંગ્રહણી ગાથા મૂકી છે – ભવનપતિ, વ્યંતરને કૃષ્ણાદિ ચાર લેશ્યા હોય, જ્યોતિષ્ઠ-સૌધર્મ-ઈશાનને તેજોલેશ્યા હોય, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં પદ્મ, ત્યારપછીનાને શુક્લલેશ્યા હોય. બાદર પૃથ્વી અ પ્રત્યેક વનસ્પતિને ચાર લેશ્યા, ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને છ લેશ્યા, બાકીનાને ત્રણ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ લેશ્યા હોય છે. કે હવે સલેશ્યાદિ આઠનું અલ્પબહુત્વ-કયા જીવો કોનાથી અલ્પ, કોનાથી ઘણાં, કોની તુલ્ય, કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં શુક્લલેશ્યાવાળા – શુક્લ કે શુલદ્રવ્ય જનિત લેશ્યા જેમને છે તેવા જીવો. કેટલાંક પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, લાંતકાદિ દેવોમાં શુકલલેસ્યા હોય, તેનાથી પાલેશ્તી સંખ્યાતગુણા, કેમકે સંખ્યાતગણાં પંચે તિર્યંચ, મનુષ્યો અને સનત્કુમારાદિ ત્રણ દેવોને પાલેશ્યા હોય છે. (પ્રશ્ન) લાંતકાદિ દેવોથી સનત્કુમારાદિ ત્રણના દેવો અસંખ્યાતગણાં છે, તો અહીં સંખ્યાતગણાં કેમ કહ્યા ? (ઉત્તર) અહીં જઘન્યપદે પણ અસંખ્યાતા, સનત્કુમારાદિ ત્રણ દેવોથી પણ અસંખ્યાતગણાં પંચેન્દ્રિય તિર્યંચોને શુક્લલેશ્યા હોય છે, તેથી પાલેશ્યાના વિચારમાં - ૪ - સંખ્યાતપણું જ રહે છે, માટે શુક્લલેશ્તી કરતાં પાલેશ્તી સંખ્યાતગણાં કહ્યા. ૧૫૨ તેનાથી સંખ્યાતગણાં તેજોલેશ્તી છે. કેમકે બાદર પૃથ્વી અધ્ પ્રત્યેક વનસ્પતિ તથા સંખ્યાતગણા તિર્યંચપંચે અને મનુષ્યોને, ભવન૫ત્યાદિ ત્રણ, સૌધર્મ, ઈશાન દેવોને તેજોલેશ્યા હોય છે. - ૪ - તેનાથી અલેશ્તી અનંતગણાં છે. કેમકે લેશ્તારહિત સિદ્ધો પૂર્વ કરતાં અનંતગણાં છે. તેનાથી કાપોતલેશ્તી અનંતગણાં છે. કેમકે સિદ્ધોથી અનંતગણાં વનસ્પતિ કાપોતલેશ્તી છે. તેથી નીલલેશ્યી વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્મી વિશેષાધિક છે. એ રીતે સામાન્યથી અલ્પબહુત્વ કહ્યું. - હવે તૈરયિકોમાં અલ્પબહુત્વ કહે છે - સૂત્ર-૪૫૪,૪૫૫ ઃ ભગવન્ ! આ કૃષ્ણલેી, નીલલેશ્તી, કાર્યોતલેશ્તી નૈરયિકોમાં કોણ કોનાથી અા છે? સૌથી થોડાં નૈરયિકો કૃષ્ણલેશ્મી છે, નીલલેશ્મી અસંખ્યાતગણાં, કાપોતલેશ્મી અસંખ્યાતગણાં છે. [૫૫] ભગવન્ ! આ કૃષ્ણ યાવત્ શુકલલેશ્તી તિયોમાં કોણ કોનાથી આપ આદિ છે ? શુક્લલેશ્તી તિર્યંચો સૌથી થોડાં છે, ઔધિકવત્ બધું કહેવું, પણ અલેશ્મીને વવા. ભગવન્ ! કૃષ્ણ યાવત્ તેજલેશ્મી એકેન્દ્રિયોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં એકેન્દ્રિયો તેજોલેશ્તી, કાપોત અનંતગણા, નીલ વિશેષાધિક, કૃષ્ણ વિશેષાધિક છે. ભગવન્ ! કૃષ્ણ યાવત્ તેજો પૃથ્વી, કોણ કોનાથી અલ્પાદિ છે ? ઔધિક એકેન્દ્રિયોવત્ કહેવા. પણ કાપોતલેશ્મી અસંખ્યાતગણાં છે. એમ આ કહેવા. ભગવન્ ! કૃષ્ણ-નીલ-કાપોતલેશ્મી તેઉકાયિકોમાં કોણ કોનાથી અલ્પાદિ છે? સૌથી થોડાં કાપોતલેશ્મી તે છે, નીલ વિશેષાધિક, કૃષ્ણ વિશેષ એ પ્રમાણે વાયુકાયિકોને કહેવા. ભગવન્ ! કૃષ્ણ યાવત્ તેજો વનસ્પતિકાયિકોમાં અલ્પબહુવ ઔધિકવત્ જાણવું. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયને -
SR No.009012
Book TitleAgam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy