SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/−/૩૬૮ સમય પંચેન્દ્રિય, પ્રથમ સમય રાઉરિન્દ્રિય વિશેષાધિક, પ્રથમ સમય તેઈન્દ્રિય વિશેષાધિક, એ પ્રમાણે નીચે-નીચે જતાં યાવત્ પ્રથમ સમય એકેન્દ્રિય વિશેષાધિક છે. પ્રથમ સમય પંચેન્દ્રિય અસંખ્યાતગણાં, પ્રથમ સમય ઉરિન્દ્રિય વિશેષાધિક યાવત્ પ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણાં છે. તે આ સંસારી જીવ કહ્યા. તે સંસારી જીવાભિગમ કહ્યું. • વિવેચન-૩૬૮ : તેમાં જેઓ સંસારી જીવો છે, તેઓ પ્રથમ સમય એકેન્દ્રિય યાવત્ પ્રથમ સમય પંચેન્દ્રિય સુધી દશ ભેદ કહ્યા. હવે આ દશેની ક્રમથી સ્થિતિ કહે છે – પ્રથમ સમય એકેન્દ્રિયની કાળ સ્થિતિ એક સમય છે. કેમકે બીજા આદિ સમયમાં પ્રથમ સમયત્વ વિશેષણનો યોગ રહેતો નથી. આ પ્રમાણે પ્રથમ સમય બેઈન્દ્રિયાદિના સૂત્રોમાં પણ કહેવું. અપ્રથમ સમય એકેન્દ્રિય સૂત્રોમાં જઘન્યથી ક્ષુલ્લક ભવ ગ્રહણ – ૨૫૬ આવલિકામાં એક સમય ન્યૂ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી સમય ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ છે. કેમકે પ્રથમ સમય ન્યૂન છે. અપ્રથમ સમય બેઈન્દ્રિય સૂત્રમાં ઉત્કૃષ્ટતી બાર વર્ષએક સમય ન્યૂન. અપ્રથમ સમય તેઈન્દ્રિયમાં સમયન્સૂન ૪૯-અહોરાત્ર. અપ્રથમ સમય ચઉરિન્દ્રિયમાં સમય ન્યૂન છ માસ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. પ્રથમ પંચેન્દ્રિય સૂત્રમાં સમય ન્યૂન 33-સાગરોપમ. હવે કાયસ્થિતિ કહે છે પ્રથમ સમય એકેન્દ્રિય, પ્રથમ સમય એકેન્દ્રિયરૂપે કાળથી એક સમય રહે છે. આ પ્રમાણે પ્રથમ સમય બેઈન્દ્રિયાદિ કહેવા. અપ્રથમ એકેન્દ્રિય સૂત્રમાં જઘન્યથી સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ, પછી બીજે ક્યાંય પણ ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંતી ઉત્સર્પિણીઅવસર્પિણી. ક્ષેત્રથી અનંતલોક-અસંખ્યેય પુદ્ગલ પરાવર્ત. - x - પ્રથમ સમય બેઈન્દ્રિય સૂત્રમાં જઘન્યથી તેમજ, ઉત્કૃષ્ટથી સંખ્યાતકાળ. પછી આગળ અવશ્ય ઉદ્ધર્તન થાય. એ પ્રથમ સમય તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ કહેવા. અપ્રથમ સમય પંચેન્દ્રિયમાં ઉત્કૃષ્ટથી સાતિરેક સહસ્ર સાગરોપમ, કેમકે દેવાદિ ભવ ભ્રમણના સાતત્યથી ઉત્કૃષ્ટે પણ આટલું કાળ પ્રમાણ થાય. હવે અંતરની વિચારણા પ્રથમ સમય એકેન્દ્રિયનું અંતર જઘન્યથી બે ક્ષુલ્લક ભવગ્રહણમાં સમય ન્યૂન. તે ક્ષુલ્લક ભવ ગ્રહણમાં બેઈન્દ્રિયાદિ ભવગ્રહણનું વ્યવધાન છે. તેથી કહ્યું છે – એક પ્રથમ સમય ન્યૂન એકેન્દ્રિય ક્ષુલ્લક ભવગ્રહણ જ, બીજો સંપૂર્ણ બેઈન્દ્રિય આદિ કોઈ ક્ષુલ્લક ભવ ગ્રહણ. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળપૂર્વવત્. - ૧૭૭ અપ્રથમ સમય એકેન્દ્રિયનું જઘન્ય અંતર સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ [સૂત્ર-૩૬૭ મુજબ વ્યાખ્યા છે.] ઉત્કૃષ્ટ સંખ્યેય વર્ષ અધિક બે હજાર સાગરોપમ. - x - પ્રથમ સમય બેઈન્દ્રિયનું જઘન્યથી અંતર સમયન્યૂન બે ક્ષુલ્લક ભવ ગ્રહણ. [ક્ષુલ્લક ભવ વ્યાખ્યા પૂર્વવત્ અપ્રથમ સમય બેઈન્દ્રિયનું જઘન્ય અંતર સમયાધિક 19/12 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ક્ષુલ્લક ભવ. - ૪ - ૪ - ઉત્કૃષ્ટથી અનંતકાળ - x - x - એ રીતે અપ્રથમ સમય તેઈન્દ્રિયાદિનું જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર કહેવું. સામાન્યથી અલ્પબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય - ૪ - તેથી પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેથી પ્રથમ સમય તેઈન્દ્રિય વિશેષાધિક છે ઈત્યાદિ પૂર્વવત્-સૂત્રાર્થવત્. હવે પ્રથમ સમયવાળાનું અલ્પબહુત્વ - સૌથી થોડાં અપ્રથમ સમય પંચેન્દ્રિય, તેનાથી અપ્રથમ સમય ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ જાણવું, યુક્તિ પૂર્વવત્ છે. ૧૩૮ હવે એકેન્દ્રિયાદિનું પ્રત્યેકનું પ્રથમ - પ્રથમ સમયિકનું અલ્પબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય એકેન્દ્રિય, અહીં બેઈન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન એકેન્દ્રિયો જ લેવા. તેનાથી અપ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણાં છે, કેમકે વનસ્પતિનું અનંતત્વ છે. બેઈન્દ્રિય સૂત્રમાં સૌથી થોડાં પ્રથમ સમય બેઈન્દ્રિયો, અપ્રથમ સમય બેઈન્દ્રિય અસંખ્યાતગણાં છે. એ રીતે બધાં કહેવા. હવે આ દેશનું પરસ્પર અલાબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય પંચેન્દ્રિય, તેનાથી પ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. એ રીતે સૂત્રાર્થવત્ કહેવું. યુક્તિ પ્રથમ અા બહુત્વવત્ કહેવી. તેનાથી પ્રથમ સમય પંચેન્દ્રિયો અસંખ્યાતગણાં છે. - ૪ - ૪ - તેનાથી અપ્રથમ સમય ચઉરિન્દ્રિય વિશેષાધિક છે. યાવત્ - x - અપ્રથમ સમય એકેન્દ્રિય અનંતગણાં છે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy