SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/જ્યો૰/૩૧૨,૩૧૩ એકૈક નક્ષત્રને, ૨૦૦૦ દેવો એકૈક તારાવિમાનને વહન કરે છે. વિશેષમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની ટીકા જોવી. કેમકે ત્યાં સવિસ્તાર સીંહાદિનું વ્યાખ્યાન છે. - સૂમ-૩૧૬,૩૧૭ : ૧૨૩ [૧૬] ભગવન્ ! આ ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, ના, તારારૂપમાં કોણ કોનાથી શીઘ્રગતિ કે મંદગતિ છે ? ગૌતમ ! ચંદ્ર કરતાં સૂર્ય શીઘ્રગતિ છે, સૂર્યથી ગ્રહો શીઘ્રગતિ છે, ગ્રહોથી નક્ષત્રો શીઘ્રગતિ છે, નક્ષત્રોથી તારા શીઘ્રગતિ છે. સૌથી અલ્પ ગતિ ચંદ્ર છે અને સૌથી શીઘ્રગતિ તારા છે. [૩૧] ભગવતી આ ચંદ્ર ચાવતુ તારારૂપમાં કોણ કોનાથી અલ્પઋદ્ધિક કે મહાઋદ્ધિક છે. ગૌતમ! તારા કરતાં નક્ષત્રો મહદ્ધિક છે, નો કરતાં ગ્રહો મહાઋદ્ધિક છે. ગ્રહો કરતાં સૂર્ય મહાઋદ્ધિક છે, સૂર્ય કરતાં ચંદ્ર મહાઋદ્ધિક છે. સૌથી અલ્પ ઋદ્ધિવાળા તારા છે અને સૌથી મહઋદ્ધિવાળા ચંદ્રો છે. • વિવેચન-૩૧૬,૩૧૭ : આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલ્પગતિ, કોણ કોનાથી શીઘ્રગતિ છે ? ગૌતમ ! ચંદ્રથી સૂર્ય શીઘ્રગતિ છે, ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ જાણવું. ચંદ્ર વડે અહોરાત્રમાં આક્રમણીય ક્ષેત્રની સૂર્યાદિ વડે હીન-હીનતર અહોરાત્રમાં આક્રમણીયતા હોવાથી કહ્યું. આને વિસ્તારથી ચંદ્ર પ્રાપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં કહેલ છે, ત્યાંથી જાણવું. - X - આ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારામાં કોણ કોનાથી અલ્પઋદ્ધિક કે મહાઋદ્ધિક છે ? ગૌતમ ! તારાથી નક્ષત્રો મહા ઋદ્ધિવાળા છે કેમકે બૃહસ્થિતિક છે. ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ. હવે જંબુદ્વીપમાં તારાનું પરસ્પર અંતર કહે છે – - સૂત્ર-૩૧૮ થી ૩૨૧ : [૩૧૮] ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં એક તારાથી બીજા તારાનું કેટલું અંતર કહેલ છે ? ગૌતમ ! અંતર બે પ્રકારે છે – વ્યાઘાતિમ અને નિવ્યઘિાતિમ. તેમાં જે વ્યાઘાતિમ છે, તે જઘન્યથી ૨૬૬ યોજન છે અને ઉત્કૃષ્ટ ૧૨,૨૪૨ યોજન છે તેમાં જે નિવ્યઘિાતિમ અંતર છે, તે જઘન્યથી ૫૦૦ ધનુમ્ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ એક તારાથી બીજા તારાનું અંતર છે. [૩૧૯] ભગવન્ ! જ્યોતિકેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્રની કેટલી અગમહિષીઓ છે ? ગૌતમ ! ચાર અગ્રમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમલિી, પ્રભંકરા. આ પ્રત્યેક દેવીને ચાર-ચાર હજાર દેવોનો પરિવાર છે. એકૈક દૈવી બીજી ૪૦૦૦ દેવીના પરિવારને વિપુર્વવા સમર્થ છે. આ પ્રમાણે બધી મળીને ૧૬,૦૦૦ દેવીઓનો પરિવાર થાય. તે (એક) ત્રુટિત કહી. [૩૨] ભગવત્ । જ્યોતિકેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રવ ંસક વિમાનમાં સુધમસિભામાં ચંદ્ર સિંહાસનમાં પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગને ભોગવતા વિચરવા સમર્થ છે? ના, તે અર્થ સંગત નથી. ભગવન્ ! એમ કેમ કહો છો કે જ્યોતિપ્રાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનની સુધસભામાં ચંદ્ર સીંહાસનમાં ૧૨૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 અંતઃપુર સાથે ભોગ ભોગવવા સમર્થ નથી ? ગૌતમ! જ્યોતિષેન્દ્ર જ્યોતિગ્રાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માંસભામાં માણવક ચૈત્યસ્તંભમાં વજ્રમય-ગોળ-વૃત્ત-સમુદ્ગકમાં ઘણાં જિન અસ્થિ રાખેલા છે, જે જ્યોતિકેન્દ્ર, જ્યોતિરાજ ચંદ્રને અને બીજા ઘણાં દેવો અને દેવીઓને અર્ચનીય યાવત્ પર્યાપારસનીય છે. તે કારણે જ્યોતિકેંન્દ્ર ચંદ્ર યાવત્ ભોગ ભોગવવા સમર્થ નથી. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે - ૪ - ૪ - ચંદ્ર ભોગ ભોગવવા સમર્થ નથી, અથવા હે ગૌતમ! જ્યોતિપ્રાજ જ્યોતિષેન્દ્ર ચંદ્ર ચંદ્રાવતસક વિમાનમાં સુધાંસભામાં ચંદ્ર સીહાસને ૪૦૦૦ સામાનિક દેવો યાવત્ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા ઘણાં જ્યોતિક દેવો અને દેવીઓ સાથ પરીવરીને મોટા અવાજ સાથે વગાડાતા, નૃત્ય-ગીત-વાજિંત્ર-તંત્રી-તાલ-બુટિંત-ધન મૃદંગથી ઉત્પન્ન શબ્દોથી દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવા સમર્થ છે. પણ અંતઃપુર પરિવાર સાથે મૈથુન નિર્મિતક ભોગ ભોગવવાને માટે સમર્થ નથી. [૩૨] ભગવત્ । જ્યોતિષેન્દ્ર જ્યોતિષ રાજસૂર્યની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ગૌતમ ! ચાર અગ્રમહિષી છે - સૂરપ્રભા, આતાભા, અર્ચિમલિી, પ્રભંકરા. એ પ્રમાણે બાકીનું કથન ચંદ્રની જેમ કરવું. વિશેષ એ – “સૂયવિાંસક વિમાનમાં સૂર્યસીંહાસન ઉપર” એમ કહેવું. તે પ્રમામે બધાં ગ્રહાદિની ચાર વિયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. • વિવેચન-૩૧૮ થી ૩૨૧ ઃ અગ્રમહિષીઓ છે - ભદંત! જંબુદ્વીપમાં એક તારાથી બીજા તારાનું અંતર કેટલું છે ? ગૌતમ ! અંતર બે ભેદે – વ્યાઘાતિમ, નિર્વ્યાઘાતિમ. વ્યાઘાત-પર્વતાદિ સ્ખલન, તેના વડે નિવૃત્ત તે વ્યાઘાતિમ. નિઘિાતિમ સ્વાભાવિક. તેમાં જે નિર્વ્યાઘાતિમ છે તે જઘન્યથી ૫૦૦ ધનુષુ અને ઉત્કૃષ્ટથી બે ગાઉ છે. જે વ્યાઘાતિમ છે તે જઘન્યથી ૨૬૬ યોજન, આ નિષધકૂટાદિ અપેક્ષાએ કહેવું. તેથી કહે છે – નિષધપર્વત સ્વભાવથી ઉંચે ૪૦૦ યોજન, તેની ઉપર ૫૦૦ યોજન ઉંચો ફૂટ, તે મૂળમાં ૫૦૦ યોજન, મધ્યમાં ૩૫૭ યોજન, ઉપ-૨૫૦ યોજન, તેની ઉપરના ભાગે સમશ્રેણિ પ્રદેશમાં તથાજગત્ સ્વાભાવ્યથી આઠ-આઠ યોજન ઉભયતઃ અંતરે તારા વિમાનો ભ્રમણ કરે છે. તેથી જઘનયથી વ્યાઘાતિમ અંત-૨૬૬ યોજન થાય, ઉત્કૃષ્ટથી-૧૨,૨૪૨ યોજન અધિક. આ મેરુને આશ્રીને કહેવું. * X + X - ભગવન્ ! ચંદ્રની કેટલી અગ્રમહિષી છે? ગૌતમ ! ચાર. ચંદ્રપ્રભા આદિ ચાર. તે ચાર અગ્રમહિષી મધ્યે એક એક દેવીનો ચાર-ચાર હજાર દેવી પરિવાર કહ્યો છે. એકૈક અગ્રમહિષીની ચાર-ચાર હજાર પટ્ટરાણી, જ્યોતિશ્કરાજ ચંદ્રને ઈચ્છા થાય ત્યારે પોતાના સમાન ૪૦૦૦ દેવીને વિકુર્વવાને સમર્થ છે. આ રીતે બધું મળીને ૧૬,૦૦૦ દેવી ચંદ્રને હોય છે, આ તેનું અંતઃપુર છે. શું ચંદ્ર તેમની સાથે ચંદ્રાવસક વિમાનની સુધસભામાં દિવ્ય ભોગ ભોગવતો વિચરવા સમર્થ છે? ના, તેમ ન થાય. તેનું કારણ સૂત્રાર્થમાં લખ્યા મુજબ જ વૃત્તિકારશ્રીએ સંસ્કૃત રૂપાંતર કરેલ છે. [માટે અમે ફરી લખતા નથી. તેમાં વિશેષ
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy