SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/દ્વીપ /૨૯૪ ઉપર આઠ-આઠ મંગલો ઈત્યાદિ છે. - ૪ - તે મહેન્દ્ર ધ્વજની આગળ એકૈક નંદાપુષ્કરિણી છે. તે પુષ્કરિણી ૧૦૦ યોજન લાંબી-પહોળી, ૫૦ યોજન વિખંભથી, દશ યોજન ઉંડી, સ્વચ્છ-લક્ષ્ણ-રજતમય કાંઠાવાળી આદિ છે. - X - તે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિપ્ત છે. તેની ત્રણ દિશામાં ત્રિસોપાન પ્રતિરૂપક છે. - x - પુસ્તકાંતરથી – તે પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડ છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં ચંપકવન, પશ્ચિમસપ્તપર્ણવન, ઉત્તરમાં સૂતવન. તેમાં સિદ્ધાયતનમાં એકૈકમાં ૪૮,૦૦૦ ગુલિકા છે. તે મનોગુલિકાની અપેક્ષાએ નાની છે. તે પૂર્વમાં ૧૬,૦૦૦ ઈત્યાદિ છે. - X - વિજયદેવ રાજધાનીની સુધર્મસભા વત્ દામ વર્ણન સુધી કહેવું. તે સિદ્ધાયાનોમાં એકૈકમાં ૪૮,૦૦૦ મનોગુલિકા છે. તે ગુલિકા અપેક્ષાએ મોટી છે. પૂર્વમાં ૧૬,૦૦૦ આદિ કહેવી. તે સિદ્ધાયતનોમાં એકૈકમાં ૪૮,૦૦૦ ગોમાનુષી-શય્યા રૂપ સ્થાન વિશેષ છે. - x - તેનું પણ ફલક વર્ણન, નાગદંતવર્ણન, સિક્કાનું વર્ણન, ધૂપઘટિકા વર્ણન પૂર્વવત્ કહેવું. - x - તેના બહુામ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગમાં પ્રત્યેકમાં મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લાંબી યાવત્ પ્રતિરૂપક છે. તે મણિપીઠિકાની ઉપર એકૈક દેવછંદક કહેલ છે. તે દેવછંદક ૧૬ યોજન લાંબો-પહોળો, સાતિરેક ૧૬ યોજન ઉંચો, સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે. તે દેવછંદકમાં પ્રત્યેકમાં ૧૦૮ જિનપ્રતિમા, જિનોત્સેધ પ્રમાણ - ૫૦૦ ધનુષુ પ્રમાણ રહેલ છે. પ્રતિમા વર્ણન વિજયદેવ રાજધાનીના સિદ્ધાયતન માફક કરવું. તે સિદ્ધાયતનની ઉપર પ્રત્યેકમાં આઠ મંગળ, ઘણાં કાળા ચામરધ્વજ યાવત્ ઘણાં સહસપત્ર છે, સર્વપ્નમયાદિ છે. ૧૦૯ - તે ચારે અંજન પર્વત મધ્યે જે પૂર્વ દિશાનો અંજનક પર્વત છે, તેની ચારે દિશામાં એકૈક નંદા પુષ્કરિણી છે. પૂર્વમાં નંદિષણા, દક્ષિણમાં અમોઘા, પશ્ચિમમાં ગોસ્તૂપા, ઉત્તરમાં સુદર્શના, તે પુષ્કરિણી એક લાખ યોજન લાંબી-પહોળી, ૩,૧૬,૨૨૭ યોજન, ૩-ગાઉ, ૨૮-ધનુષુ, ૧૩|| આંગળથી કંઈક વધુ પરિધિથી છે. ૧૦ યોજન ઉંડી છે. બાકી બધું જગતી ઉપરની પુષ્કરિણીવત્ કહેવું. વિશેષ એ કે વૃત્ત, સમતીર, ક્ષોદોદકથી પ્રતિપૂર્ણ છે. તે એકૈક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિપ્ત છે. - ૪ - ૪ - આ પ્રમાણે બાકીના અંજનપર્વત સંબંધી નંદા પુષ્કરિણી પણ કહેવી. તે પુષ્કરિણીના બહુમધ્ય દેશભાગે એકૈક દધિમુખ નામે ૫ર્વત છે. તે ૬૪,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન ઉંડા, સર્વત્ર સમ, પલ્ચક સંસ્થાન સંસ્થિત, ૧૦,૦૦૦ યોજન પહોળા, ૩૧,૬૨૩ યોજન પરિધિથી છે, સંપૂર્ણ સ્ફટિકમય યાવત્ પ્રતિરૂપ છે. એકૈક પાવર વેદિકા અને વનખંડથી પરિક્ષિપ્ત છે. - ૪ - દધિમુખ પર્વત ઉપરના બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે એકૈક સિદ્ધાયતન કહેલ છે. તેનું કથન અંજનપર્વતીય સિદ્ધાયતનવત્ છે. તેમાં દક્ષિણ અંજનકપર્વતનું કથન પૂર્વના અંજનક પર્વતવત્ કરવું. માત્ર જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ નંદાપુષ્કરિણીના નામોમાં ફેરફાર છે. પૂર્વમાં નંદોતરા, દક્ષિણમાં નંદા, પશ્ચિમમાં આનંદા, ઉત્તરમાં નંદિવર્ણના. પૂર્વના જનક પર્વત માફક પશ્ચિમનો પણ કહેવો. માત્ર નંદા પુષ્કરિણીના નામ સૂત્રાર્થમાં કહ્યા મુજબના નોંધવા. એ પ્રમાણે ઉત્તર દિશાનો અંજનક પર્વત પણ કહેવો. નંદાપુષ્કરિણીના નામમાં ફેરફાર છે તે સૂત્રાર્થ મુજબ જાણવો. ૧૧૦ આ સોળ વાવડીના અંતરાલમાં પ્રત્યેકમાં બબ્બે રતિકર પર્વત છે. જિનભવન મંડિત શિખર શાસ્ત્રાંતરમાં અભિહિત છે. તેથી નંદીશ્વરે સર્વ દ્વીપ સંખ્યા બાવન સિદ્ધાયતનની છે. ત્યાં પૂર્વવત્ ઘણાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો ચાતુર્માસાદિ અનેક પ્રસંગે આવે છે. નંદીશ્વર દ્વીપમાં ચક્રવાલ વિધ્યુંભના બહુ મધ્યદેશ ભાગમાં ચારે વિદિશામાં એમ ચાર રતિકર પર્વતો છે. એક ઈશાનમાં, બીજો અગ્નિમાં, ત્રીજો નૈઋત્ય, ચોથો વાયવ્યમાં. તે રતિકર પર્વત ૧૦,૦૦૦ યોજન ઉંચા, ૧૦૦૦ યોજન ઉંડા, બધે સમ, ઝલ્લરી સંસ્થાને રહેલ, ૧૦,૦૦૦ યોજન વિધ્યુંભથી ૩૧,૬૨૩ યોજન પરિધિથી, સર્વરત્નમય ચાવત્ પ્રતિરૂપ છે. રતિકર પર્વતની ચારે દિશામાં એકૈક એવી રાજધાની છે. તે ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષીની છે, જંબુદ્વીપ પ્રમાણ ચારે રાજધાની છે. પૂર્વમાં નંદોતરાની, દક્ષિણમાં નંદાની, પશ્ચિમે ઉત્તરકુરા, ઉત્તરમાં દેવપુરાની. - ૪ - અગ્નિદિશાના રતિકર પર્વતની ચારે દિશામાં શક્રેન્દ્રની ચારે અગ્રમહિષીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાની – પૂર્વમાં સુમના, દક્ષિણમાં સૌમનસા, પશ્ચિમમાં અર્ચિમલિી, ઉત્તરમાં મનોરમા. - ૪ - નૈઋત્ય ખૂણાના રતિકર પર્વતની ચારે દિશામાં શકેન્દ્રની ચાર અગ્રમહિષીની ચાર રાજધાની છે. પૂર્વમાં ભૂતા, દક્ષિણમાં ભૂતાતવંસા, પશ્ચિમમાં ગોસ્તૂપા, ઉત્તરમાં સુદર્શના. - x - વાયવ્યના રતિકરપર્વતની ચારે દિશામાં ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષીની ચાર રાજધાની છે. પૂર્વમાં રત્ના, દક્ષિણમાં રત્નોસ્ચયા, પશ્ચિમમાં સર્વરત્ના, ઉત્તરમાં રત્નસંચયા. - X - ચાર રતિકર પર્વતની વક્તવ્યતા કેટલીક પ્રતમાં સર્વથા દેખાતી જ નથી. કૈલાશ અને હરિવાહન નામના બે દેવો યથાક્રમે પૂર્વર્ણ-પશ્ચિમાર્જીના અધિપતિ, મહર્ષિંક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવો વસે છે. તેથી નંદીશ્વર. ચંદ્રાદિ સંખ્યા પૂર્વવત્ છે. સૂત્ર-૨૯૫ ઃ નંદીશ્વર દ્વીપ ચોતરફથી નંદીશ્વરસમુદ્ર જે વૃત્ત અને વલયાકારે રહેલ છે, તેનાથી ઘેરાયેલ છે યાવત્ બધું પૂર્વવત્ અર્થ સૌદોદકવત્ ચાવત્ અહીં સુમનસ અને સૌમનસભદ્ર નામના બે મહર્ષિક દેવ સાવત્ વસે છે. બાકી બધું પૂર્વવત્ • વિવેચન-૨૯૫ : નંદીશ્વર સમુદ્ર, નંદીશ્વર દ્વીપને ઘેરીને રહેલ છે. - ૪ - ક્ષોદોદક સમુદ્રની વક્તવ્યતાની જેમ અહીં અર્થ સહિત બધું કહેવું. માત્ર અહીં સુમન અને સુમનસ બે
SR No.009010
Book TitleAgam Satik Part 19 Jivabhigam Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy