SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/-[૬૨ પૂર્વકોટિ સ્થિતિમાં ઉપજે પછી આઠમીવાર અંતર્તિપાદિ ખેચર પુરુષમાં પલ્યોપમના અસંખ્યાત ભાગે ઉપજે. 33 મનુષ્ય પુરુષ, મનુષ્ય સ્ત્રીવત્. સામાન્યથી ક્ષેત્રને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટી પૃથક્ અધિક. ત્યાં સાત ભવ પૂર્વકોટિ આયુ મહાવિદેહમાં, આઠમો ભવ દેવકુરુ આદિમાં. ચાસ્ત્રિ ધર્મને આશ્રીને એક સમય ઉત્કૃટ દેશોન પૂર્વકોટિ. કેમકે આઠ વર્ષ પછી ચાત્રિ સ્વીકારે તેથી દેશોન કહ્યું. વિશેષ વિચારણાથી - કર્મભૂમક મનુષ્ય પુરુષ કર્મભૂમિ ક્ષેત્રને આશ્રીને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, પૂર્વકોટિ પૃથકત્વાધિક, ભાવના પૂર્વવત્. માત્ર આઠમો ભવ એકાંત સુષમામાં ભરત-ઐરવતમાં જાણવો. ચારિત્રધર્મને આશ્રીને જઘન્ય એક સમય, સર્વવિરતિ પરિણામથી. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી, સમગ્રચાસ્ત્રિકાળથી. ભરત-ઐરવત કર્મભૂમક મનુષ્યપુરુષ પણ ભરત-ઐવત ક્ષેત્રને આશ્રીને, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, દેશોન પૂર્વકોટિ અધિક. તે પૂર્વકોટિ આયુષ્ક વિદેહપુરુષનું ભરતાદિમાં સંહરણ કરીને ભતાદિવાસ યોગથી ભરતાદિ પ્રવૃત્ત વ્યપદેશના ભવાયુક્ષયમાં એકાંત સુષમા પ્રારંભે ઉત્પન્ન જાણવા. ચાસ્ત્રિધર્મ આશ્રીને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. ભાવના પૂર્વવત્. પૂર્વ-પશ્ચિમ વિદેહ મનુષ્ય પુરુષ ક્ષેત્રને આશ્રીને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ, તે ફરી-ફરી ત્યાં જ સાત વખત ઉત્પત્તિ ભાવવી. પછી અવશ્ય ગત્યંતર કે ચોઅંતર સંક્રમ થાય. ચાસ્ત્રિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ. સામાન્યથી અકર્મભૂમક મનુષ્ય પુરુષ તે ભાવ ન છોડીને જન્મને આશ્રીને જઘન્ય એક પલ્યોપમ ઈત્યાદિ તેની સ્ત્રીના વિષયમાં કહ્યા મુજબ જાણવું - X - x - એ રીતે હૈમવત-હૈરણ્યવત, હરિવર્ષ-રમ્યક્ વર્ષ, દેવકુટુ-ઉત્તરકુરુમાં જાણવું વૃત્તિકારશ્રીએ તેને નોંધેલ છે, પણ અમે અનુવાદ છોડી દીધેલ છે. અંતર્દીપક મનુષ્યપુરુષ જન્મને આશ્રીને દેશોન પલ્યોપમનો અસંખ્યય ભાગ, ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પલ્યોપમનો અસંખ્યાત ભાગ, સંહરણને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ. દેવોની જે સ્થિતિ પૂર્વે કહી, તે જ કાયસ્થિતિ કહેવી. દેવપુરુષ દેવપુરુષત્વ છોડ્યા વિના કેટલો કાળ ચાવત્ નિરંતર રહે ? તે દેવપણામાં મરી, પછી અનંતર ભવે દૈવ ન થાય. ઈત્યાદિ - X આ પ્રમાણે અવસ્થાન કહ્યું, હવે અંતર કહે છે – • સૂત્ર-૬૩ ઃ ભગવન્ ! પુરુષને કેટલા કાળનું અંતર હોય? ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. તિચિયોનિક પુરુષોને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, એ રીતે યાવત્ ખેચર તિર્યંચયોનિકપુરુષોની... ભગવન્ ! મનુષ્યપુરુષોનું કેટલું કાળ અંતર છે ? ગૌતમ ! ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત 18/3 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ધર્મચરણ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંતી ઉત્સર્પિણી યાવત્ દેશોનઅપુદ્ગલ પરાવર્દ. કર્મભૂમકોનું યાવત્ વિદેહ યાવત્ ચાસ્ત્રિધર્મમાં એક સમય. શેષ સ્ત્રીઓ સમાન કહેવું યાવત્ અંતપકોની સ્થિતિ જાણવી. ૩૪ દેવપુરુષોનું જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ભવનવાસી દેવપુરુષોનું યાવત્ સહસાર, જઘન્ય આંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ભગવન્ ! આનતદેવ-પુરુષોને કેટલા કાળનું અંતર હોય છે ? ગૌતમ ! જઘન્ય વર્ષ પૃથકત્વ, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એ રીતે યાવત્ ત્રૈવેયક દેવપુરુષનું અનુત્તરોપાતિક દેવપુરુષોનું જઘન્ય વર્ષ પૃથક્ક્ત્વ, ઉત્કૃષ્ટ સાતિરેક સંખ્યાત સાગરોપમ. • વિવેચન-૬૩ : - પુરુષ, પુરુષત્વથી પડીને ફરી કેટલા કાળે, તે પામે છે ? ગૌતમ ! જઘન્યથી એક સમય પછી ફરી પુરુષત્વને પામે છે જ્યારે કોઈ પુરુષ ઉપશમશ્રેણિ પામી ઉપશાંત પુરુષવેદમાં એક સમય જીવીને, પછી મરે, પછી નિયમથી દેવપુરુષોમાં ઉપજે છે. જો કે સ્ત્રી-નપુંસકને પણ શ્રેણિલાભ થાય, પણ તેઓ શ્રેણિએ ચડીને અવેદક ભાવ પછી મરીને શુભાધ્યાવસાયથી દેવપુરુષપણે ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ - ૪ - ૪ - જાણવો. હવે તિર્યક્ પુરુષ વિષયક અતિદેશ કહે છે – પૂર્વે જે તિર્યક્મોનિક સ્ત્રીનું અંતર કહ્યું, તે જ તિર્યંચયોનિક પુરુષોનું કહેવું. તે આ રીતે – વૃિત્તિનો સંક્ષેપ કરેલ છે—] સામાન્યથી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતપુદ્ગલ પરાવર્તન નામે વનસ્પતિકાળ. એ રીતે વિશેષથી જલચર-સ્થલચર-ખેચર પુરુષોનું અંતર પણ કહેવું. હવે મનુષ્ય પુરુષત્વ વિષય અંતર પ્રતિપાદનાર્થે અતિદેશ કહે છે – મનુષ્ય સ્ત્રીની માફક મનુષ્ય પુરુષોનું અંતર કહેવું. તે આ રીતે – સામાન્યથી મનુષ્યપુરુષને ક્ષેત્રને આશ્રીને અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, ચાસ્ત્રિધર્મ આશ્રીને જઘન્યથી એક સમય, ચાસ્ત્રિ પરિમાણથી ભ્રષ્ટ થઈ સમયાંતરમાં ફરી પણ કોઈને ચાસ્ત્રિની પ્રતિપત્તિ સંભવે છે. ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત. આ રીતે ભરત, ઐવત, પૂર્વ-પશ્ચિમવિદેહ પુરુષોની વક્તવ્યતા કહેવી. સામાન્યથી અકર્મભૂમક મનુષ્યપુરુષને જન્મને આશ્રીને જઘન્ય અંતર ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂતધિક - અકર્મભૂમિમાં ઉત્પન્ન પુરુષ મરે, જઘન્ય સ્થિતિક દેવ થઈ, કર્મભૂમિમાં ઉત્પન્ન થઈ ફરી કોઈ અકર્મભૂમિમાં પુરુષરૂપે ઉપજે. - x - ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - સ્ત્રીવત્ કહેવું. આ પ્રમાણે હૈમવત-હૈરણ્યવત આદિ કર્મભૂમિમાં જન્મથી અને સંહરણથી જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર અંતર્તીપજ સુધી કહેવું. હવે દેવપુરુષના અંતરને કહે છે – જઘન્યથી અંતર્મુહૂર્ત. દેવ ભવથી રચવીને =
SR No.009009
Book TitleAgam Satik Part 18 Jivabhigam Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy