________________
દ્વીપ/૧૫
૧૮૫
અને પરિવાર પૂર્વસ્વ કહેવા. તે પ્રેક્ષાગૃહમંડપની ઉપર આઠ-આઠ સ્વસ્તિકાદિ મંગલ કહેલા છે. કૃષ્ણરામર ધ્વજા આદિ બધું પૂર્વવત્ કહેવું.
તે પ્રેક્ષાગૃહ મંડપની આગળ એકૈક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા પ્રત્યેક બળે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહલ્યથી છે. સંપૂર્ણ મણીમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. તે મણિપીકિા ઉપર એક એક ચૈત્યતૂપ કહેલ છે. તે ચૈત્યતૂપ સાતિરેક બે યોજન ઉંચા, બબ્બે યોજન લાંબા-પહોળા છે. શંખાદિવ શેત, સર્વથા રત્નમય, સ્વચ્છ, ઋણ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે ચૈત્યસ્તૂપ ઉપર આઠઆઠ મંગલ, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજાદિ પૂર્વવતું.
તે ચૈત્યરૂપોની પ્રત્યેકે પ્રત્યેકમાં ચારે દિશામાં એકૈક દિશામાં એકૈક મણિપીઠિકા ભાવથી ચાર મણીપીઠિકા છે. તે મણીપીઠિકા એકૈક યોજન લાંબીપહોળી, અદ્ધ યોજન બાહલ્સથી સર્વથા મણીમસ્ત્રી, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મણીપીઠિકા ઉપર એકૈક મણીપીઠિકાની ઉપર કૈક પ્રતિમાં એ રીતે ચાર જિનપ્રતિમા છે. ઉકથી ૫૦૦ ધનુષ, જઘન્યથી સાત હાથ જિનોલ્સેધ હોય, પણ અહીં ૫oo ધનુષ સંભવે છે. તે પર્યકાસને રહેલી અને સૂપની સામે રહેલ છે. તે આ - ગષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિપેણ.
તે ચૈત્ય સ્તૂપોની આગળ પ્રત્યેક-પ્રત્યેક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા બળે યોજન લંબાઈ-પહોળાઈથી અને એક યોજન બાહલ્યથી છે. સંપૂર્ણ મણિમધ્ય, સ્વચ્છ આદિ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક-પ્રત્યેક ચૈત્યવૃક્ષ કહેલ છે. તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉંચું છે, અડધો યોજન ઉસેu-iડ છે, બે યોજના ઉચ્ચ સ્કંધ, તે અર્ધ યોજન વિકંભથી યાવતુ બહુમધ્ય દેશભાગમાં ઉd નીકળેલ શાખા તે વિડિમા છ યોજન ઉર્વ છે. તે પણ અદ્ધ યોજન વિઠંભથી છે. સાતિરેક આઠ યોજન છે.
- તે ચૈત્યવૃક્ષોનું આવું વર્ણન છે. તે આ રીતે - વજરત્નમય મૂલ, રજતમયી સુપ્રતિષ્ઠિત વિડિમા-બ્બહુમધ્ય દેશભાગ, ઉર્વ વિનિર્ગત શાખા, રિઠ રતનમય કંદયુકત, વૈડૂર્યરનમય રુચિર સ્કંધયુક્ત. સુનાત - મૂલ દ્રવ્ય શુદ્ધ, યર • પ્રધાન, પ્રથમ • મૂળભૂત, વિશાળ શાખા જેમાં છે તે. વિવિધ મણિ રત્નોની વિવિધ શાખા અને પ્રશાખા જેમાં છે તે. વૈડૂર્યમય પત્રો યુક્ત, તપનીયમય પત્રવૃતવાળા. જાંબૂનદ નામક સુવર્ણ વિશેષમય, ક્તવર્ણ-મનોસુકુમાર સ્પર્શવાળા જે પ્રવાલ-કંઈક ઉઘડેલ રૂપ, પલ્લવ-સંજાત પરિપૂર્ણ પ્રથમ બ ભાવરૂપ, વરાંકુર - પહેલા ઉભેદ પામતા કુર, તેને ધારણ કરનાર અથવા પાઠાંતરથી જાંબૂનદ ક્ત મૃદુ-અકઠીન, સુકુમાર-અકર્કશ સ્પર્શ, કોમલ-મનોજ્ઞ. - X -
વિચિત્રમણિ રનમય જે સુરભી કુસુમ અને ફળોના ભારથી નમેલ શાખા જેની છે તે. જેની શોભન છાયા છે. તે સચ્છાય. શોભન પ્રભા-કાંતિ જેમાં છે, તે સપભા. ઉધોત સહ વર્તે છે તે મણિ રત્નોના ઉધો, ભાવથી સોધોત મfધ - અતિશય નયન
૧૮૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) અને મનને સુખકર, અમૃતસ જેવા રસવાળા ફળો જેના છે તે. પ્રાસાદીયાદિ ચાર વિશેષણ પૂર્વવતું.
તે ચૈત્યવૃક્ષ બીજા ઘણાં તિલક, લવંગ આદિ સૂત્રોક્ત વૃક્ષો વડે ચોતરફથી ઘેરાયેલ છે. તે તિલક યાવત્ નંદિ વૃક્ષો મૂળવાળા - કંદવાળા ઈત્યાદિ વૃક્ષવર્ણન પૂર્વવત્ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અનેક શકટ, સ્થ, ચાન, શિબિકા, સ્કંદમાનિકાથી સુરમ્યા છે. તે તિલક ચાવત્ નંદિવૃક્ષ બીજા ઘણી પદાલતા, નાગલતા, અશોકલતા આદિ વડે ચોતફથી ઘેરાયેલ છે. તે પાલતા ચાવત્ શ્યામલતા નિત્ય કુસુમિત છે ઈત્યાદિ લતા વર્ણન પ્રતિરૂપ છે ત્યાં સુધી કહેવું. વ્યાખ્યા પૂર્વવત્ છે.
તે ચૈત્યવૃક્ષો ઉપર આઠ-આઠ મંગલકો, ઘણાં કૃષ્ણ ચામરdજ ઈત્યાદિ ઘણાં સહસપત્ર હસ્તક, સર્વે રત્નમય ચાવ પ્રતિરૂપક છે સુધી કહેવું. તે ચૈત્યવૃક્ષોની આગળ એકૈક મણિપીઠિકા કહી છે, તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજના બાહલ્યથી, સંપૂર્ણ મણીમયી, સ્વચ્છાદિ પૂર્વવતું.
તે મણિપીઠિકાની ઉપર એકૈક મહેન્દ્ર ધ્વજ કહ્યો છે તે સાડા સાત યોજન ઉંચો, અર્ધકોશ - હજાર ધનુષ, પ્રમાણ ઉદ્વેધ, અદ્ધકોશના વિસ્તારવાળો છે. તે વજરત્નમય, વતુળ, મનોજ્ઞ, સંસ્થાનથી સંસ્થિત, સુશ્લિષ્ટ, ઘસેલી પ્રતિમા જેમ પરિપૃષ્ટ, મૃટ-સુકુમાર પાષાણ પ્રતિમાની જેમ સુપ્રતિષ્ઠિત કેમકે જરા પણ ચલિત નથી. પ્રધાન પંચવર્ણા હજારો લઘુપતાકાથી પરિમંડિત હોવાથી રમ્ય, વાયુ વડે ઉડતી વૈજયંતી પતાકા આદિ પૂર્વવતુ.
તે મહેન્દ્ર ધ્વજાની ઉપર આઠ-આઠ મંગલક, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજ ઈત્યાદિ પૂર્વવત્ બધું કહેવું. - x -
તે મહેન્દ્ર ધ્વજોની આગળ એકૈક ‘નંદા' નામની પુષ્કરિણી કહી છે. તે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, દશ યોજન પંડી. સ્વચ્છ-ગ્લણ આદિ પૂર્વવત્ જગતીની ઉપર પુષ્કરિણી સંપૂર્ણ કહેવી ચાવતુ ઉદકરસથી પ્રાસાદીયાદિ કહી છે, તે નંદા પુષ્કરિણી પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડ વડે પરિવરેલી છે. તે નંદાપુષ્કરિણીની ત્રણ દિશામાં મિસોપાન પ્રતિરૂપક કહેલ છે, તેનું અને તોરણનું વર્ણન પૂર્વવતું.
સુધમસિભામાં ૬૦૦૦ મનોગુલિકા કહેલી છે. આ બધાનું, ફલક-નાગદંતકમાલ્યદામનું વર્ણન પૂર્વવતુ. સુધમ સભામાં ૬૦૦૦ ગોમાનસિક-શસ્યારૂપ સ્થાન વિશેષ કહેલા છે. તેનું પણ કુલકવર્ણન, નાગદંત વર્ણન, ધૂપઘટિકા વર્ણન “વિજયદ્વારના વર્ણન માફક જાણવું. ભૂમિભાગ વર્ણન પૂર્વવતું.
• સૂત્ર-૧૭૬ :
તે બહુસમમણીયભૂમિ ભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, એક યોજન જાડી અને સંપૂર્ણ મણિમય છે.