SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૬૫,૬૬ આ સદૈવ આપનો તાત્ત્વિક અધ્યવસાય છે. તુલાની જેમ તોલીને સમ્યક્ અવધારાય છે. - ૪ - ૪ - ૪ - આને જ માન અને પ્રમાણ કહ્યું છે. પ્રમાળ - જેમ પ્રત્યક્ષાદિ પ્રમાણ અવિસંવાદી છે, તેમ આવો ‘અશ્રુપગમ’ પણ અવિસંવાદી છે. આ સમવસરણ - બધાં તત્વોનું આ “અશ્રુગમ”માં મીલન છે. રૂપ - ઈચ્છાવિષયક, હ્રાંત - કમનીયતમ, પ્રિય - પ્રેમ નિબંધક, મનોજ્ઞ-મનથી સમ્યક્ ઉપાદેયથી જ્ઞાત, મનામ-મનથી ગમ્ય, સ્વૈર્ય-સ્વૈર્યગુણથી, વિશ્વાસક-વિશ્વાસ સ્થાન, સંમત, બહુમત - બહુપણાથી માન્ય, કાર્યવિઘાત પછી પણ અનુમત. રત્ન કરંવત્ એકાંતે ઉપાદેય. જીવિતના ઉત્સવ સમાન. હૃદયનંદિજનન આદિ. સૂનાવૅ ઈત્યાદિ. - ૪ - શૂળ વડે ભિન્ન, એક જ ઘાત વડે - કૂટમાં પડેલ મૃગની જેમ ઘાત વડે. વ છાપો - તેમાં એક ખૂબ જ વધુ નવેદના વેદન, બીજું પરમાધામી વડે કદર્શના, ત્રીજું-નસ્ક વેદનીય કર્મના અ-ક્ષયથી ઉદ્વિજ, નસ્કાયુના અ-ક્ષયી થયેલ. ચાર કારણે દેવ ન આવે તે સુગમ છે. જો કે નવયોજન પછી ગંધ પુદ્ગલો ધ્રાણેન્દ્રિય ગ્રહણ યોગ્ય થતાં નથી. કેમકે પુદ્ગલોના મંદ પરિણામ અને ધ્રાણેન્દ્રિયની તથાવિધ શક્તિનો અભાવ છે. પણ અહીં આગળ-આગળ ઉત્કટ ગંધ પરિણામથી પરિણમે છે માટે ૪૦૦-૫૦૦ યોજન કહ્યા. તેમાં ઘણાં મૃત કલેવરમાં ૫૦૦, બાકી ૪૦૦ યોજન છે. ૧૪૧ • સૂત્ર-૬૦ થી ૭૪ – [૬] ત્યારે તે પ્રદેશી રાજાએ કેશી કુમારશ્રમણને આમ કહ્યું કે – આ બુદ્ધિઉપમા છે કે આ કારણે આવતા નથી. હે ભદંત ! હું અન્ય કોઈ દિને બાહ્ય ઉપસ્થાન શાળામાં અનેક ગણનાયક, દંડનાયક, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈલ્મ્સ, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવાકિ અમાત્ય, ચેટ, પીઠમ, નગર નિગમ, દૂત, સંધિપાલ સાથે પરીવરીને રહેલો હતો. ત્યારે મારા નગરક્ષકે મુદ્દા-માલ-સાક્ષી સહિત ગરદન અને પાછળ બંને હાથ બાંધીને એક ચોરને લાવ્યા. ત્યારે મેં તે પુરુષને જીવતો જ લોહ કુંભીમાં નાંખ્યો, લોઢાના ઢાંકણથી તેનું મુખ ઢાંકી દીધું. પછી ગરમ લોઢા અને શીશાનો તેના ઉપર લેપ કરી દીધો, દેખરેખ માટે વિશ્વાથ પુરુષો મૂકયા. પછી કોઈ દિને હું લોહકુંભી પાસે ગયો. જઈને તે લોહકુંભી ખોલાવી. ખોલાવીને મેં પોતે જોયું કે તે પુરુષ મરી ગયો હતો. તે લોહકુભીમાં કોઈ છિદ્ર, વિવર કે રાઈ જેટલું પણ અંતર ન હતું. કે જેમાંથી તે પુરુષનો જીવ બહાર નીકળીને જાય. જો તે લોહકુભીમાં કોઈ છિદ્ર યાવત્ દરાર હોત તો હે ભદંત ! હું માનત કે અંદર બંધ પુરુષનો જીવ બહાર નીકળેલ છે. તો હું શ્રદ્ધા-પ્રતીતિ-રુચિ કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ એ જ શરીર નથી. પણ હે ભદંત ! તે કુંભીમાં કોઈ છિદ્ર આદિ ન હતું કે યાવત્ જીવ નીકળે, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે - જીવ એ જ શરીર રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છે, તે બંને જુદા નથી. ત્યારે કેશી કુમારશ્રમણે પ્રદેશી રાજાને કહ્યું – હે પ્રદેશી ! જેમ કોઈ કુટાગાર શાળા હોય, બંને તસ્કૃ લિપ્ત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર - નિતિ ગંભીર હોય, હવે કોઈ પુરુષ ભેરી અને દંડ લઈને ફૂટાગારશાળાની અંદર પ્રવેશે છે, પ્રવેશીને તે ફૂટાગાર શાળામાં ચોતરફથી ઇન-નિતિ-નિરંત-નિશ્ચિદ્ર હોય, તેના દ્વારા આદિને બંધ કરી દે. તે ફૂટાગારશાળાના બહુમધ્યદેશભાગે રહીને તે ભેરીને દંડ વડે મોટા-મોટા શબ્દોથી વગાડે, હે પ્રદેશી ! શું તે શબ્દો અંદરથી બહાર નીકળે છે ? - હા, નીકળે છે. ૧૪૨ - હે પ્રદેશી ! તે ફૂટાગાર શાળામાં કોઈ છિદ્ર યાવત્ દરાર છે કે જ્યાંથી તે શબ્દો અંદરથી બહાર નીકળે છે ? - - ના, તેમ નથી. આ પ્રમાણે હે પ્રદેશી ! જીવ પણ અપતિહત ગતિ છે, પૃથ્વી-શિલા કે પર્વતને ભેદીને અંદરથી બહાર નીકળી જાય છે. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અનય છે, બંને એક નથી. ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાશ્રમણને આમ કહ્યું – ભદંત ! આ તમારી બુદ્ધિયુક્ત ઉપમા છે, પણ આ કારણે યુક્તિયુક્ત નથી. હે ભદંત ! નિશ્ચે હું અન્ય કોઈ દિને બાહ્ય ઉપસ્થાનશાળામાં યાવત્ રહ્યો હતો. ત્યારે મારા નગરરક્ષક સાક્ષી સહિત યાવત્ ચોરને પકડી લાવ્યા. ત્યારે મેં તે પુરુષને જીવિતથી રહિત કર્યો કરીને એક લોહકુભીમાં નાંખ્યો. નાખીને લોહ ઢાંકણથી બંધ કર્યો યાવત્ વિશ્વાય પુરુષોને રક્ષા કરવા મૂક્યા. પછી કોઈ દિને તે કુંભી પાસે ગયો. તે કુંભી ઉઘડાવી, ઉઘડાવતા તે લોહકુંભીને કૃમિકુંભી સમાન જોઈ. તે લોહ ૐભીમાં કોઈ છિદ્ર યાવત્ દરાર ન હતી, જેમાંથી તે જીવો બહારથી પ્રવેશે. જો તે કુંભીમાં કોઈ છિદ્રાદિ હોત યાવત્ જીવો પ્રવેશ્યા હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ જે કારણે તે લોહકુભીમાં કોઈ છિદ્ર યાવત્ દરાર ન હતી, છતાં જીવો પ્રવેશ્યા, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે જીવ એ જ શરીર છે. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશીરાજાને આમ કહ્યું - હે પ્રદેશી ! શું તે અગ્નિથી તપાવેલ લોઢું જોયેલ છે ? - - હા, જોયું છે. હે પ્રદેશી ! તપાવ્યા પછી શું તે લોઢું પૂર્ણપણે અગ્નિરૂપે પરિણત થઈ જાય છે? હા, થઈ જાય છે. હે પ્રદેશી ! તે લોટામાં કોઈ છિદ્ર આદિ છે, કે જેનાથી અગ્નિ બહારથી દર પ્રવેશ્યો ? - ના, તેમ નથી. એ પ્રમાણે હે પ્રદેશી ! જીવ પણ અપતિહત ગતિ છે, પૃથ્વી કે શીલાદિ ભેદીને બહારથી અંદર પ્રવેશે છે. માટે તું શ્રદ્ધા કર, જીવ શરીર ભિન્ન છે. [૬૮] ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદંત ! આ તમારી બુદ્ધિયુક્ત ઉપમા મત્ર છે, આ કારણે તે યુક્તિયુકત નથી. ભદંત ! જેમ કોઈ પુરુષ વરુણ યાવત્ શિલ્પ ઉપગત હોય, તે એક સાથે પાંચ બાણો ફેંકવામાં
SR No.009008
Book TitleAgam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy