SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૬ ૬૯ અને તપથી જૂના કર્મોની નિર્જરાના હેતુથી આમ કહ્યું. કેમકે નવા કર્મો ગ્રહણ ન કરવા અને જૂના કર્મોના ક્ષયથી સર્વ કર્મક્ષય લક્ષણ મોક્ષ થાય છે. - x - X - આત્માને વાસિત કરતા રહે છે. પછી ધ્યાનકોષ્ઠોપગત વિહરણ પછી, તે ગૌતમ, જાત શ્રદ્ધાદિ વિશેષણ વિશિષ્ટ થઈ ઉત્તિષ્ઠ થાય છે. ખાતા દ્ધ - કહેવાનાર અર્થ, તત્ત્વને જાણવાની ઈચ્છામાં પ્રવૃત્ત. સંશય - અનવધારિતાર્થ જ્ઞાન તે આ રીતે – આવી દિવ્ય દેવદ્ધિ વિસ્તૃત થઈ, હવે તે ક્યાં ગઈ ? નાતધુસૂદન - ઉત્સુકતા જન્મી, ભગવત્ આ અર્થ કઈ રીતે પ્રરૂપશે. ઉત્પન્ન શ્રદ્ધા - પૂર્વે ન હતી પણ હવે ઉત્પન્ન થયેલ. પ્રવૃત્ત શ્રદ્ધત્વથી ઉત્પન્ન શ્રદ્ધત્વના લબ્ધત્વથી, અનુત્પન્ન શ્રદ્ધા પ્રવર્તતી નથી. - ૪ - ૪ - ૪ * x » ઉત્પન્ન શ્રદ્ધ, ઉત્પન્ન સંશય પૂર્વવત્. સંજ્ઞાતશ્રદ્ધ - ઈત્યાદિ છ પદ પૂર્વવત્. અહીં મં શબ્દ - પ્રર્યાદિ વચન જાણવું. ઉત્થાનમુત્થા - ઉર્ધ્વ વર્તનપણે ઉઠે છે. અહીં ‘ઉઠે છે’ કહેવાથી ક્રિયા આરંભ માત્ર જાણવો. જેમ બોલવાને ઉભો થયો, - ૪ - ઉઠીને જે દિશામાં ભગવન્ મહાવીર છે, તે દિશામાં આવે છે, આવીને ભગવને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વંદન-નમન કરે છે. કરીને આમ કહે છે – સૂર્યાભદેવની ઋદ્ધિ ક્યાં ગઈ ? આદિ. તેમાં અંતર પ્રવેશ અભાવે પણ ગમન દેખાય છે. જેમ ભીંતમાં ગયેલ ધૂળ. આ દિવ્યાનુભાવ અમુક પ્રદેશમાં દેખાતો હતો. હવે દેખાતો નથી. તેથી ફરી પૂછે છે - ક્યાં પ્રવેશી ગયો ? ભગવંતે કહ્યું – શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. ભગવન્ ! કયા હેતુથી કહો છો ? ભગવંતે કહ્યું – જેમ કોઈ શિખર આકારનો પર્વત હોય. તેની ઉપર શિખરાકાર આચ્છાદન હોય, તેવી શાળા તે કૂટાકાર શાળા. તે છાણ આદિ વડે બંને બાજુએ લિપ્ત હોય, બહારના પ્રાકાથી આવૃત્ત, દ્વાર બંધ કરવાથી ગુપ્તદ્વાર, - ૪ - વાયુના અપ્રવેશથી નિર્વાત, નિર્વત છતાં વિશાળ. તે કૂટાગાર શાળાની કંઈક સમીપે એક કોઈ જનસમૂહ રહેલો હોય. તે કોઈ મોટા મેઘરૂપ વાદળને કે વર્ષાની સંભાવના યુક્ત વાદળને જુએ. વર્ષા કરતા વાદળ કે મહાવાતને આવતો જુએ, તે જોઈને તે કૂટાગાર શાળાની અંદર પ્રવેશીને રહે. એ પ્રમાણે સૂર્યાભ દેવની પણ તે વિશાળ દિવ્ય દેવદ્ધિ-ધુતિ-દેવાનુભાવ શરીમાં પ્રવેશી ગયો. - ૪ - ૪ - ફરી ગૌતમ પૂછે છે – • સૂત્ર-૨૭ - ભગવન્ ! સૂભદેવનું સૂયભિ નામક વિમાન ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે, આ રત્નપ્રભા પૃથ્વીના બહુમરમણીય ભૂમિ ભાગથી ઉંચે ચંદ્ર-સૂર્ય-ગ્રહગણ-નક્ષત્ર-તારા એ બધાંથી ઘણાં યોજનો, ઘણાં સેંકડો યોજનો, ઘણાં હજારો યોજનો, ઘણાં લાખો યોજનો, ઘણાં કરોડો યોજનો, ઘણાં હજાર કરોડો યોજનો ઉંચે દૂર ગયા પછી સૌધર્મકા નામે કલ્પ કહ્યો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે, અર્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છે. સૂર્ય કિરણોની માફક પોતાની યુતિથી હંમેશાં ચમકતો રહે છે. અસંખ્યાત કોડાકોડી યોજન તેની લંબાઈ-પહોડાઈ, અસંખ્યાત યોજન પ્રમાણ તેની પરિધિ છે એ સૌધર્મકિલ્પમાં બીશ લાખ વિમાન કહેલા છે. 90 ઉક્ત વિમાનો સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે વિમાનોના બહુ મધ્યદેશ ભાગે પાંચ વાંસક કહ્યા છે. તે આ – અશોકાવર્તસક, સપ્તપણવિહંસક, ચંપકાવતંસક, સૂયગાવતંસક અને મધ્યમાં સૌધર્માવર્તક છે. તે અવાંસકો રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. તે સૌધમવિતંસક મહાવિમાનની પૂર્વમાં તિર્થા અસંખ્યાત હજારો યોજન ગયા પછી આ સૂભિ દેવનું સૂભિ નામે વિમાન કહ્યું છે. તે સાડા બાર લાખ યોજન લંબાઈ-પહોડાઈ છે. તેની પરિધિ ૩૯,૫૨,૮૪૮ યોજન છે. તે એક પ્રાકાર વડે ચોતરફથી પવૃિત્ત છે. તે પ્રકાર ૩૦૦ યોજન ઉંચો, મૂળમાં ૧૦૦ યોજન વિષ્ક, મધ્યમાં ૫૦ યોજન અને ઉપર ૨૫ યોજન છે. આ રીતે તે પાકાર મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો એવા ગોપુચ્છ સંસ્થાને સંસ્થિત, સર્વ સુવર્ણમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે પ્રાકાર વિવિધ પંચવર્ણી કપિશીર્ષકથી શોભે છે. તે આવા – કૃષ્ણ, નીલ, લાલ, પીળો, શ્વેત, કપિશીકોથી. તે કપિશીર્ષકો એક યોજન લાંબા, અદ્ધ યોજન પહોળા, દેશોન યોજન ઉર્ધ્વ ઉંચાઈથી છે. સર્વે મણિરત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. સૂભિ વિમાનની એક એક બાજુમાં એક-એક હજાર દ્વાર હોય છે, તેમ કહ્યું છે. તે દ્વાર ૫૦૦ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી, ૨૫૦ યોજન વિખંભથી, તેટલું જ તેનું પ્રવેશન છે. આ બધાં દ્વાર શ્વેત વર્ણી, શ્રેષ્ઠ સુવર્ણ સ્તુપિકાયુક્ત છે. તેના ઉપર ઈહા-મૃગ-વૃષભ-ઘોડા-મનુષ્ય-મગર-વિહગ-સર્પ-કિન્નર-ગુરુ-સરભ-હાથી, વનલતા, પાલતા આદિના ચિત્રો ચિત્રિત છે. સ્તંભો ઉપર બનેલ વ રત્નોની વેદિકાયુકત હોવાથી રમણીય દેખાય છે. સમશ્રેણિ સ્થિત વિધાધર યુગલ મંત્ર દ્વારા ચાલતા દેખાય છે. તે દ્વારો હજારો કિરણોથી વ્યાપ્ત, હજારો રૂપકો વડે યુક્ત હોવાથી દીપ્યમાન અને અતિ દીપ્યમાન છે. જોતાં જ જોનારની આંખ ત્યાં ચોટી જાય છે. સુખ સ્પર્શ અને રૂપ શોભા સંપન્ન છે. તે દ્વારોના તેમ વજ્રમય, પ્રતિષ્ઠાન મિય, સ્તંભ વૈસૂર્યમય, તલભાગ સ્વર્ણજડિત પંચરંગી મણિરત્નોનો બનેલ છે. તેની દહેલી હંસગર્ભ રત્નોની, ઈન્દ્રકીલ ગોમેદરત્નની, દ્વાર શાખા લોહિતાક્ષ રત્નોની, ઉત્તરંગ જ્યોતિરસ રત્નોનો, સંધિ કિલિકા લોહિતાશ્ન રત્નની, સંધિ વરત્નથી પૂરેલી, સમુદ્ગક વિવિધ મણીઓના છે. અગલાઓ, અર્ગલાપાસાઓ વજ્ર રત્નોની છે. આવર્તન પીઠિકા ચાંદીની છે. ઉત્તર-પાર્થક કરત્નોના, તેમાં લાગેલા કમાડ એટલા ફીટ-સઘન છે કે બંધ કર્યા પછી થોડું પણ અંતર રહેતું નથી. પ્રત્યેક દ્વારની બંને બાજુઓની ભીંતોમાં ૧૬૮ ભિતિગુલિકાઓ છે. એટલી જ ગોમાનસિકાઓ છે.
SR No.009008
Book TitleAgam Satik Part 17 RaiPaseniya Jivabhigam Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy