SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ | (૭) ઉપાસકદશાંગ સૂત્ર જ -૨૫ ) ૦ આ ભાગમાં ચાર આગમોનો સમાવેશ કરાયેલો છે. આગમ-૭ થી ૧૦, અંગસૂત્રોમાં પણ તેનો ક્રમ-૩ થી ૧૦ જ છે. આ આગમોના પ્રાકૃત નામો અનુક્રમે 'વાસના સT, અંતરડા , મનુત્તરોવવારસામાં, પપાવાર છે. તેને સંસ્કૃતમાં તથા વ્યવહારમાં અનુક્રમે આ નામોથી ઓળખવામાં આવે છે - ઉપાસકદશા, અંતકૃત દશા, અનુતરોપાતિક દશા અને પ્રશ્નવ્યાકરણ. ઉપાસકદશાંગમાં દશ અધ્યયનો છે, તેમાં આનંદ આદિ દશ શ્રાવકોની બીના છે, મુખ્યત્વે ધર્મકથાનુયોગવાળા આ આગમમાં ચરણકરણાનુયોગ પણ સમાવિષ્ટ છે. અંતકૃત્ દશાંગમાં હાલ ઉપલબ્ધ આઠ વર્ગો છે. આ આઠ વર્ગોમાં કુલ ૯૦અધ્યયનો છે. તેમાં જીવનના અંત સમયે કેવલી થઈ સિદ્ધ થનાર આત્માની કથાઓ છે. અનુસરોપપાતિક દશાંગમાં હાલ ઉપલબ્ધ ત્રણ વર્ગો છે. તે ત્રણેના કુલ-33અધ્યયનો છે. અનુત્તરવિમાને ઉત્પન્ન થનાર 33-શ્રમણોની કથાઓ છે. પ્રસ્ત વ્યાકરણાંગમાં-હાલ દશ અધ્યયનો (જ માત્ર) ઉપલબ્ધ છે. તેમાં પાંચ અધ્યયન આશ્રવના અને પાંચ અધ્યયન સંવપ્ના છે. સૂત્રમાં તેને બે શ્રુતસ્કંધરૂપ કહ્યા છે, ટીકાકાર કહે છે કે તે એક શ્રુતસ્કંધ રૂપે રૂઢ છે, તેને આશ્રવ અને સંવર બે દ્વારરૂપે પણ જણાવેલ છે. આ ચારે આગમોના મૂળ સૂત્રોનો પૂર્ણ અનુવાદ તો છે જ. વિવેચનમાં ટીકાનુસારી વિવેચન” શબ્દ અમે પસંદ કર્યો છે, તેમાં વૃત્તિ સાથે કવયિતુ અન્ય સંદર્ભોની નોંધ પણ છે અને વૃત્તિનો અનુવાદ છે, કેમકે આ ચાર આગમોની નિયંતિ, ભાણ, ચૂર્ણિ હોવાનો ઉલ્લેખ નથી, માત્ર પ્રવ્યાકરણમાં જ્ઞાનવિમલસૂરિસ્કૃત ટીકા પણ છે. અમે વૃતિના અનુવાદમાં જે ભાગ છોડી દીધેલ છે, ત્યાં • x • x • આવી નિશાની મૂકેલ છે, ટીકાપદ્ધતિ મુજબ “વિવેચન” શબ્દ લખ્યો છે, છતાં તેમાં શબ્દાર્થની જ મુખ્યતા જોવા મળે છે, કેટલુંક વિવરણ સૂત્રાર્થમાં આવી જ જાય છે, તેથી વિવેચનમાં પુનરુક્તિ ન કરવા, તેટલાં અનુવાદ મે. છોડી દીધા છે. અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન o પ્રાયઃ ૐશાંતરથી ઉપાસકદશાની કંઈક વ્યાખ્યા, શ્રી વર્ધમાનસ્વામીને નમીને કરાઈ રહી છે. [કરું છું] ઉપાસકદશા એ સાતમું અંગ છે. તેનો અભિધાનાર્થ અહીં આ છે :- ૩NT • શ્રમણોપાસક, તેના સંબંધના અનુષ્ઠાનની પ્રતિપાદિકા સા - દશ અધ્યયનરૂપ, તે ઉપાસકદશા. •x• આનું સંબંધ, અભિધેય, પ્રયોજન અવર્ગસામર્થ્યથી જ પ્રતિપાદિત જાણવી. તેનો અવગમ એ શ્રોતાઓને અનંતર પ્રયોજન છે, પપર પ્રયોજન ઉભયને આપવની પ્રાપ્તિ છે. સંબંધ શાસ્ત્રમાં બે ભેદે જણાય છે • ઉપાય, ઉપેય ભાવલક્ષણ અને ગુરુપર્વ ક્રમલક્ષણ. ઉપાય-ઉપેય ભાવલક્ષણ, શાસ્ત્રના અqઈ સામર્થ્યથી જણાવ્યા. •x• ગુરુપર્વ ક્રમલક્ષણ સંબંધ સાક્ષાત્ દર્શાવવાને માટે કહે છે – હું અધ્યયન-૧-“આનંદ” છે. • સૂત્ર-૧ થી ૪ :[૧] તે કાળે, તે સમયે ચંપાનગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતુ. : - ]િ તે કાળે, તે સમયે આસુધમાં પધાર્યા. યાવ4 જીબુએ પપાસના કરતાં કહ્યું - હે ભંતે જ્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવતું સપાખે છઠ્ઠી અંગ જ્ઞાતાધર્મ કથાનો આ અર્થ કહ્યો છે, તો ભંતે! સાતમા અંગ ઉપાસકદશાનો શ્રમણ ચાવત સંપાતે શો અર્થ કહ્યો છે? હે જંબુ! શ્રમણ યાવતું સંપાતે સાતમા ઉપાસકદશા અંગના દશ થઈનો કહ્યા છે - ]િ - આણંદ, કામદેવ, યુલનીપિતા, સુરાદેવ, ગુલશતક, કુંડકોલિક, સદ્દાલપુઝ, મહાશતક, નંદિનીપિતા, શાલિકીપિતા. ] હે ભંતે. જ્યારે શ્રમણ યાવતુ સંપતે ઉપાસકદશાના દશ અધ્યયન કહ્યા છે, તો શ્રમણ ભગવંતે પહેલા અધ્યયનમાં શું કહ્યું? • વિવેચન ૧ થી ૪ : તે કાળે ઈત્યાદિ બધું જ્ઞાતાધર્મના પહેલા અધ્યયન-વિવરણ અનુસાર જાણવું. વિશેષ આ ‘માને' ઈત્યાદિ રૂપક. આનંદ ઉપાસક કથન પ્રતિબદ્ધ અધ્યયન ‘આનંદ’ કહેવાય. એમ બધે જાણવું. ગાહાવઈ-ગાથાપતિ. • સૂત્ર-૫ થી ૭ : [૫] હે જંબુ! તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું, તેની બહાર ઈશાન ખૂણામાં દૂતિપલાશક ચૈત્ય હતું, તે વાણિજ્યગ્રામ નગરમાં જિતy રાજ હતો. તે ગામે અાનંદ નામે ધનાઢ્ય યાવતુ અપરિભૂત ગાથાપતિ રહેતો હતો. તે આનંદની ચાર કરોડ હિરણ્ય નિદાનમાં, ચાર કરોડ હિરણ્ય વ્યાપારમાં, [15/2]
SR No.009006
Book TitleAgam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy