SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 2/5/45 21 232 પ્રશ્નવ્યાકરણાંગસૂત્ર-સટીક અનુવાદ પ્રમાણે - અનેક બંધ - જૂ આદિ વડે સંયમન, વધ-વિનાશ, તાડન-ચપ્પડ આદિ, અંકન-તત લોહ શલાકા વડે અંક કરણ, અતિભાર આરોપણ, ચાંગભંજનશરીરના અવયવો ભાંગવા, સોય-નખોમાં પ્રવેશ કરાવવો, શરીરના જીર્ણ ગામનું પ્રક્ષણન, લાક્ષારસ અને ક્ષારતેલ વડે કર્યું. કલકલ કરતા અતિ તત ત્રપુ, કાળુ લોઢ, તેના વડે સીંચવા, હડીબંધન-હેડમાં નાંખવા, દોરડાના નિગડ વડે બાંધવા, હતાંડુક વડે બાંઘવા, કુંભી-ભાજન વિશેષ, પાક-અગ્નિ વડે પકાવવું, સિંહપુચ્છનશેગોટન, ઉબંધન-ઉલંબન, શૂલભેદ-શૂળીએ ચડાવે, હાથીના પગે કચડાવે, હાથ-પગ-કાન-નાક-હોઠ-મસ્તકનું છેદન, જીભને ખેંચી કાઢવી, અંડકોશ-નયનહદય-આંગ-દાંતને જે ભાંગવા, યોત્ર-ચૂપમાં બળદને જોડવા. લતા અને કાનો જે પ્રહાર * * * * * પીડન-ચંગ વડે પીડન, કપિકછૂ-તીવ્ર ખજવાળને કરનાર ફળ વિશેષ, અગ્નિ, વીંછીના ડંખo આદિ તેને સ્પર્શીન, દુષ્ટનિષધક-ખરાબ આસન, દુર્તિષીધિકા-કષ્ટવાળી સ્વાધ્યાય ભૂમિ, તેને સ્પર્શીને, તેમાં કર્કશ-ભારેશીત-ઉષ્ણ-રૂક્ષ એવા ઘણાં પ્રકારના બીજા આવા અમનોજ્ઞ-પાપક સ્પર્શોને સ્પર્શીને શ્રમણે તેમાં શેષિત ન થાય ઈત્યાદિ પૂર્વવત. આ પાંચમાં સંવર શબ્દાદિમાં રાગ-દ્વેષનો નિરોધ, જે ભાવનાવથી કહ્યું, તેમાં તેનો વિરોધ ન કરવાથી પરિગ્રહ થાય છે. તેનેથી વિરમે તેને જ અપરિગ્રહ થાય. કહ્યું છે - જે આવતા શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શમાં મનોજ્ઞને પામીને આસક્તિ ન કરે અને પાપકને પામીને દ્વેષ ન કરે તે પંડિત, દાંત, વિરત, અકિંચન થાય છે પfમા - હેપ ન કરે તે પંડિત, દાંત, વિરત, અકિંચન થાય છે. પ્રથfષT - ઈત્યાદિ પાંચમાં સંવર અધ્યયનનો નિગમન પૂર્વવતું. | મુનિ દીપરત્નસાગરે કરેલ સંવર-અધ્યયન-૫-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ * સૂત્ર-૪૬ - આ પાંચ સુવત-મહાવતો સેંકડો હેતુઓથી વિસ્તીણ છે. અરિહંતશાસનમાં આ સંવર દ્વાર સંક્ષેપમાં પાંચ કહેવાયા છે. વિસ્તારથી તેના પચ્ચીશ પ્રકાર થાય છે. જે સાધુ ઈસમિતિ આદિ સહિત હોય છે. અથવા જ્ઞાનદર્શનથી સહિત હોય છે. તથા કષાયસંવર અને ઈન્દ્રિયસંવરથી સંવૃત્ત હોય છે. જે પ્રાપ્ત સંયમયોગનું પ્રયન વડે પાલન કરે છે અને પ્રાપ્ત સંયમ યોગની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહે છે. સર્વથા વિશુદ્ધ શ્રદ્ધાવાનું હોય છે. તેઓ આ સાંવરોની આરાધના કરીને અશરીર-મુકત થશે. * વિવેચન-૪૬ - હવે સંવર પંચકના નિગમન અર્થે કહે છે - હે સુવત, શોભન નિયમ ! સંવરરૂપ મહાવ્રતો સેંકડો હેતુથી - સેંકડો ઉપપતિ વડે, વિવિા -નિર્દોષ, પુકલવિસ્તીર્ણ જે છે તે. તે કોણે કહ્યા તે જણાવે છે. કથિત-પ્રતિપાદિત, અહંશાસન જિન આગમમાં, પાંચ સમાસ-સંક્ષેપથી, સંવર-સંવરદ્વાર, વિસ્તારથી તે પચ્ચીસપ્રત્યેક વ્રતની પાંચ-પાંચ ભાવના સંવરતાથી પ્રતિપાદિત કરેલ છે. હવે સંવર સેવનારને ભાવિ ફળરૂપ અવસ્થાને દશવિ છે - ઈર્ષા સમિતિ આદિ વડે સમિત, પરચીશ સંખ્યા વડે, અનંતર કહેવાયેલ ભાવનાઓ વડે જ્ઞાનદર્શન સહિત કે સુવિહિત, કષાય ઈન્દ્રિય સંવરથી સંવૃત જે છે તે તથા સદા સર્વદા યત્ન વડે - પ્રાપ્ત સંયમ યોગોમાં પ્રયત્ન વડે, ઘટનેન-ચાપાપ્ત સંયમ યોગની પ્રાપ્તિ અર્થ ઘટના વડે સુવિશુદ્ધ દર્શન-શ્રદ્ધાનું રૂપ જેના છે તે તથા આ ઉક્ત પ્રકારના સંવરોને અનુસર્ય-સેવીને સંયત-સાધુ, ચરમ શરીરધારી થશે. અર્થાત્ ફરી શરીરના ગ્રહણ ન કરનારા થશે. બીજી વાસનામાં વળી બીજી રીતે નિગમત કહેલ છે. હે સુવતી! જે આ પાંચ મહાવ્રત લોકમાં ધૃતિ દેનાર વ્રતો છે, મૃત સાગરે દશર્વિલ, તપ-સંયમ-વ્રતો, શીલ-ગુણ-પuતો. સત્ય-આર્જવ-વ્રતો, નસ્ક-તિર્યચ-મનુષ્ય-દેવગતિને વર્જનાર, સર્વે જિનશાસક, કર્મરજને વિદારનાર, સેંકડો ભવોના વિમોચક, સેંકડો દુ:ખોના વિનાશક, સેંકડો સુખોના પ્રવર્તક, કાયર પુરુષોને માટે દુરુતર, સપુરુષો દ્વારા તીરિત-પાર પમાડેલ, નિવણિગમન કે સ્વર્ગમાં લઈ જનાર પાંચે પણ સંવરદ્વાર સમાપ્ત થયા - તેમ હું કહું છું. દીપરત્નસાગરે કરેલ સંવરદ્વારનો ટીકા સહિત અનુવાદ પૂર્ણ - x - x - x - x - x - x - 4 - * સૂત્ર-૪૭ : પ્રથમ વ્યાકરણમાં એક શ્રુતસ્કંધ છે. એક સંદેશ દશ અધ્યયન છે. દશ દિવસોમાં તેનો ઉદ્દેશો કરાય છે. ઉપયોગપૂર્વક આહાર-પાણી વડે એકાંતર આયંબિલ કરવા વડે થાય છે. જે રીતે આચારગ સૂત્રમાં કરાય છે તેમ જાણવું. " પ્રશ્નવ્યાકરણ સટીક અનુવાદ પૂર્ણ , (ભાગ-૧૫-મો પૂર્ણ)
SR No.009006
Book TitleAgam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy