SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ 1-18/211,212 25 258 જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ભાગી થશે. ત્યારે વિજ્યને આમ કહેતા સાંભળીને મોટા પુગે, ધન્ય સાવિાહને કહ્યું - હે તાત! તમે મારા પિતા, ગુરજન, દેવતારૂપ, સ્થાપક, પ્રતિષ્ઠાપક, સંરક્ષક સંગોપક છો, હે તાતા તો અમે તમને કઈ રીતે જીવિતથી રહિત કરીને, તમારું માંસ અને લોહી આહારીએ ? છે તાતા તમે મને જીવિતથી રહિત કરી મારા માંસ અને લોહીનો આહાર કરી, ગ્રામિક અટકી પર કરો, ઈત્યાદિ પૂર્વવત્ કહેવું ચાવત્ પુન્યના ભાગી બનો. - - ત્યારે ધન્ય સાર્થવાહના બીજા પુત્રે કહ્યું - હે તતા અમારા ગુરુ અને દેવ સમાન, મોટા ભાઈને જીવિતથી રહિત ન કરો, પણ મને જીવિતથી રહિત કરી ચાવતુ પુન્યના ભાગી બનો. આ પ્રમાણે ચાવતું પાંચમાં પુએ કહ્યું ત્યારે ધન્ય સાર્થવાહે પાંચે યુગોની હૃદયેચ્છા જાણીને તે પાંચે યુગોને કહાં - પુત્રો આપણે કોઈને જીવનરહિત ન કરીએ, આ સંસમાનું નિહાણ યાવત જીવનમુક્ત શરીર છે, તો હે પુત્ર! આપણે ઉચિત છે કે - સુસુમાં મીનું માંસ અને લોહી, હારીએ. પછી આપણે તેના આહારથી આad થઈને રાજગૃહે પહોંચીએ. ત્યારે ધન્ય સાવિાહને આમ કહેતો સાંભળી, પાંચે પુમોએ આ વાત સ્વીકારી. ત્યારપછી ધન્ય પાંચે પુત્રો સાથે અરણિ કરી, શર બનાવ્યું. શર વડે અનિનું મથન કર્યું. અગ્નિ પ્રગટાવ્યો, અગ્નિને સંઘુક્યો, લાકડાં નાંખ્યા, અગ્નિ પ્રજવલિત કર્યો. સંસમાના માંસ અને લોહી [પકાવીને તેનો આહાર કર્યો. તે આહારથી શરૂ થઈને, રાજગૃહનગરીએ જઈ, મિત્ર-જ્ઞાતિક આદિને મળ્યા, તે વિપુલ ધન-કનકજન ચાવતું ભાગી થયા. ત્યારપછી ધન્ય સાર્થવાહે સંસમાં કન્યાના ઘણાં લૌકિક કૃત્ય કરી યાવત શોક રહિત થયા. ર૧તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ગુણશીલ ત્યે પધાર્યા, તે ધન્ય સાર્થનાહ, ધર્મ સાંભળી, દીક્ષા લઈ, અગ્યિા આંગ ભણી, માસિકી સંલેખના કરી, સૌધર્મકક્ષે ઉત્પન્ન થઈ, મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. હે જંબુ જેમ ધન્ય સાર્થવાહે વ-રપ-બલ કે વિષયના હેતુથી સુસુમકન્યાના માંસ અને લોહીનો આહાર કરેલ ન હતો, માઝ રાજગૃહ પહોંચવા માટે જ કરેલ હતો. તેમ છે આયુષ્યમાન શ્રમણો! જે આપણા સાધુ-સાદની આ વાત-પિત્ત-શુક્ર-લોહીને ઝરતા ઔદારિક શરીર યાવતુ જે અવશ્ય છોડવાનું છે, તેના વર્ણ-રૂમ-બળ-વિષયના હેતુથી આહાર કરતા નથી, પણ માત્ર સિદ્ધિગતિને પામવાને માટે જ આહાર કરે છે, તે આ ભવમાં જ ઘણાં શ્રમણ યાવતું શ્રાવિકાના અર્ચનીય થઈ, ચાવતુ પાર પામે છે. હે જંબૂ! શ્રમણ ભગવંતે આ અર્થ કહ્યો, તે હું કહું છું. * વિવેચન-૨૧૧,૧૨ : મૂઈયાહિં-મુંગો કે નિઃશબ્દ કરાયેલ. ઉદગવત્યિ-પાણી વડે ભરેલ મશક, [14/17] પાણી લેવાનું ચામડાનું ભાજન. નવિયા-આગળના ભવમાં ભાવિ, મરવાને તૈયાર થાઓ. આગામિય-અગ્રામિક, દીહમદ્ધ-દીર્ધમાર્ગ. પયમગ્નવિહિ-પદ માર્ગ પ્રચાર, પપ્પ-વિમૃત. માર્ગમાં જ મૃત્યુ પામ્યો. જો કે આવશ્યકાદિમાં પ્રસિદ્ધ શેષ ચાિ મુજબ સાધદર્શનથી ઉપશમાદિ ઉપદેશથી સમ્યકત્વ ભાવિત થઈ, તીણ મુખવાળી કીડીઓ વડે ભક્ષણ કરાઈ, દેવલોકે ગયો તેમ કહ્યું. તેમાં વિરોધ ન માનવો. (આ કથામાં મૂળ આગમમાં અને વિવેયન તથા અન્ય ગ્રંથોમાં ઘણો કથા ભેદ જોવા મળે છે, dવ બહુશ્રુત જાણે.. વાહપામોફખ-આંસુ મુકવા. પિતા, ઉપચારથી લોકમાં અન્ય રીતે પણ રૂઢ છે. કહ્યું છે - જનેતા અને ઉપનેતા, જે વિધા આપે છે, અન્નદાતા, ભયમાતા આ પાંચને પિતા જાણવા. તેથી જનક લેવું. સ્થાપક-ગૃહસ્થ ધર્મમાં પની આદિના સંગ્રહથી. પ્રતિષ્ઠાપક-રાજાદિ સમક્ષ સ્વપદ નિવેશનથી, સંરક્ષક-વિવિધ વ્યસનથી, સંગોપક-યદેચ્છ આચારના સંવરણી, અરણિ-અગ્નિ ઉત્પન્ન કરવા માટેનું લાકડું, સમ-જેના વડે મથન થાય. નો વહેક - આદિથી જણાવે છે કે - માત્ર સિદ્ધિ ગતિ પ્રાપ્તિ માટે આહાર કરે, બાકી આહાર ન કરે. - X * અહીં વિશેષ ઉપનય જણાવે છે - જેમ તે વિલાતિયુગ, સુસુમામાં ગૃદ્ધ થઈ, અકાર્યમાં આસક્ત થઈ, ધન્ય વડે ધકેલાઈ, સેંકડો આપત્તિયુકત મહા અટવીને પામ્યો, તેમ જીવો વિષયસુખમાં લુબ્ધ થઈ, પાપક્રિયા કરીને, કમને વશ થઈ ભવ અટવીમાં મહાદુઃખને પામે છે. ધન્ય શ્રેષ્ઠી જેવા ગુણ, પુત્રો જેવા સાધુઓ જાણવા. અટવીને ભવરૂપ, મીના માંસને આહાર રૂપ, રાજગૃહને મોઢા રૂપ જાણવો. જેમ નગરે પહોંચવા, અટવીટી નીકળવા પુત્રીનું માંસ ખાધુ, તેમ સાધુઓ ગુરની આજ્ઞાથી આહાર કરવો. તે આહાર ભવને ઓળંગવા અને મોક્ષ પ્રાપ્તિને માટે ભાવિતાભા મહાસત્વી આહાર કરે, ગૃદ્ધિથી નહીં કે વર્ણ-બલ-રૂપ હેતુથી નહીં. મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૧૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009005
Book TitleAgam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy