SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૪/૧૫૪ થી ૧૫૬ ૨૦૫ આવ્યો. કનકtવજ રાજ તેતલિયુગનો આદર કરે છે, યાવતું ભોગની વૃદ્ધિ કરે છે. તેથી તેતલિ, વારંવાર બોધ કરવા છતાં ધમમાં બોધ પામતો નથી, તો ઉચિત છે કે કનકtવજને તેતલિપાથી વિમુખ કર.. ત્યારપછી તેતલિપુત્ર બીજે દિવસે સ્નાન કરી ચાવતું પ્રાયશ્ચિત્ત કરી ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઈ, ઘણાં પરષોથી પરિવરીને પોતાના ઘેરથી નીકળ્યો. પછી કનકtdજ રાજા પાસે જવા નીકળ્યો. ત્યારે તેતલિપુત્ર અમાત્યને જે-જે ઘણાં રાજ, ઈશ્વર, તલવર આદિ જોતા, તેઓ તેમજ તેનો આદર કરતા, જાણતા, ઉભા થતા, હાથ જડતા, ઈટકાંત ચાવતુ વાણીનો આલાપ-સંલાપ કરતા, આગળ-પાછલ-આજુ-બાજુ અનુસરતા હતા. ત્યારપછી તે તેતલિપુત્ર કનકદdજ પાસે આવ્યો. ત્યારે કનકdજ, તેતલિપુત્રને આવતો જોઈને, આદર ન કર્યો - જાણો નહીં - ઉભો ન થયો, આદર ન કરતો યાવત્ રાંગમુખ થઈને રહ્યો. ત્યારે તેતલિપુએ કનકદdજ રાજાને અંજલિ કરી, ત્યારે કનકધ્વજ રાજ આદર ન કરતો મૌન થઈ રાંગમુખ થઈને રહ્યો. ત્યારે તેતલિપુત્ર, કનકdજને વિપરીત થયો જાણીને ડરીને ચાવતું સંત ભય થયો. બોલ્યો કે - કનકધ્વજ રાજા મારાથી રૂઠેલ છે, મારા પરવે હીન થયેલ છે, મારું ખરાબ વિચારે છે. કોણ જાણે મને કેવા મોતે મારશે. એમ વિચારી ભયભીત થઈ, ત્રસ્ત થઈ યાવત ધીમે-ધીમે પાછો સરક્યો, તે જ અa બેસીને, તેતલિપુરની વચ્ચોવચ્ચ થઈ પોતાના ઘેર જવાને માટે રવાના થયો. ત્યારે તેતલિપુત્રને જે ઈશ્વર આદિ યાવતા જોતા, તે તેમનો આદર કરતા ન હતા, જાણતા ન હતા, ઉભા થઈ - અંજલિ ન કરતા, ઈષ્ટ ચાવતું બોલતા ન હતા, આગળ-પાછળ જતાં ન હતા. ત્યારે તેતલિપુત્ર પોતાના ઘેર આવ્યો, જે તેની બાહ્ય પર્ષદા હતી, જેમકે દાસપેય-ભાગીદાર, તેઓ પણ આદર કરતા ન હતા. જે તેની અત્યંતર હર્ષદ હતી, જેમકે - પિતા, માતા યાવતુ પુત્રવધુ તે પણ સાદર કરતા ન હતા. ત્યારે તેતલિપુત્ર વાસગૃહમાં પોતાના શય્યા પાસે આવ્યો, શસ્સામાં બેઠો, આ પ્રમાણે કહ્યું - હું પોતાના ઘેથી નીકળ્યો આદિ પૂર્વવત્ યાવતુ અભ્યતર પર્ષદા આદર કરતા નથી, જાણતા નથી, ઉભા થતા નથી, તો મારે ઉચિત છે કે – હું મને જીવિત રહિત કરી દઉં - એમ વિચાર્યું. પછી તેણે તાલપુટ વિષે મુખમાં નાંખ્યું. તેનું સંક્રમણ ન થયું. પછી તેતલિપ નીલોત્પલ સમાન યાવત તલવારનો પ્રહાર કર્યો, તેની પણ ધાર કુંઠિત થઈ ગઈ. પછી તેતલિપુત્ર, અશોકવાટિકામાં ગયો, જઈને ગળામાં દોરડું બાંધ્ય, વણે ચઢીને પાશને વૃણે બાંધ્ય, પોતાને લટકાવ્યો. ત્યારે તે દોરડું તૂટી ગયું. પછી તેતલિપગે ઘણી મોટી શિલા ગળે બાંધી, પછી અથાહ, આપો પાણીમાં પોતે પડતું મૂક્યું. પણ પાણી છીછરું થઈ ગયું. પછી તેતલીએ સુકા ઘાસના ઢગલામાં અનિકાય ફેંક્યુ, પોતે તેમાં પડતું મૂક્યું, ત્યારે તે અનિ બુઝાઈ ગયો. પછી તેતલિપુત્ર બોલ્યો - ૨૦૬ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ શ્રમણ, બ્રાહ્મણ, શ્રમણ-બ્રાહ્મણ શ્રદ્ધય વચન બોલે છે. હું એક જ શ્રદ્ધેય વચન બોલું છું. હું પુત્રો સહિત હોવા છતાં, અપુત્ર છું, તે વાતની શ્રદ્ધા કોણ કરશે ? મિત્રો સહિત છતાં અમિત્ર છું, તેની શ્રદ્ધા કોણ કરશે ? એ રીતે ધન-યુમ-દાસ-પરિજન સાથે કહેવું. એ પ્રમાણે તેતલિપુત્ર, કનકદેવજ રાજાથી અપધ્યાન કરાયો પછી “તાલપુટ વિષ મુખમાં નાંખ્યું, તે પણ ન સંકમ્યુ તે કોણ માનશે ?” નીલોત્પલ યાવત તલવાર ચલાવી, તેની ધાર પણ બુડી થઈ ગઈ “તે કોણ માનશે ?” ગળામાં દોરડું બાંધીને લટક્યો, દોરડુ તુટી ગયું - કોણ માનશે ?” મોટી શીલા બાંધીને અથાહ પાણીમાં પડ્યો, તે છીછરું થઈ ગયું “કોણ માનશે ?” સુકા ઘાસમાં અગ્નિ સળગાવ્યો, તે બુઝાઈ ગયો “કોણ માનશે ? તે અપહત મનોસંકલ્પ થયો યાવ4 ચિંતામગ્ન થયો. ત્યારે પોદિલ દેવે પોલ્ફિલાનું રૂપ વિકલ્ તેણે તેતલિમ સમીપે રહીને કહ્યું - ઓ તેતલિયુગ આગળ ખાઈ અને પાછળ હાથીનો ભય, બંને બાજુ ન દેખાય તેવો અંધકાર મધ્ય ભાણોની વષl, ગામમાં આગ અને વન સળગતું હોય, વનમાં આગ અને ગામ સળગતું હોય, હે તેતલિમા તો ક્યાં જઈશું ? ત્યારે તેતલિપુએ, પોઠ્ઠિલને કહ્યું – ભયભીતને પ્રવજ્યા શરણ છે, ઉત્કંઠિતને સ્વદેશ ગમન, ભુખ્યાને અન્ન, તરસ્યાને પાણી, બીમારને ઔષધ, માયાવીને ગુપ્તતા, અભિયુકતને વિશ્વાસ, માર્ગે પરિગ્રાંતને વાહન થકી ગમન, તરવાને ઈચ્છકને વહાણ, શણુ પરાભવકતતિ સહાયકન્ય છે. tid-દાંત-જિતેન્દ્રિયને આમાંથી કોઈ ભય હોતો નથી. ત્યારે પોલિદેવે તેતલિપુત્ર અમાત્યને કહ્યું - તેતલિપુત્ર ! તેં ઠીક કહ્યું આ અર્થને સારી રીતે જાણ. ઓમ કહી બીજી વખત આમ કહ્યું, પછી જ્યાંથી આવેલ, ત્યાં પાછો ગયો. [૧૫] ત્યારપછી તેતલિયુગને શુભ પરિણામથી જાતિ અરણ ઉત્પન્ન થયું. ત્યારે તેતલિપુત્રને આવો વિચાર ઉપજ્યો કે – હું આ જ જંબૂદ્વીપમાં મહાવિદેહ હોમમાં પુકલાવતી વિજયમાં પુંડરીકિણી રાજધાનીમાં મહાપા નામે રાજા હતો. ત્યારે મેં સ્થવિરો પાસે મુંડ થઈને ચાવતુ ચૌદ પૂર્વ ભણી, ઘણાં વર્ષ શ્રમય પર્યાયિ પાળી, માસિકી સંલેખના કરીને, મહાશુક્ર કલ્પે દેવ થયો. પછી તે દેવલોકથી આયાય થતાં, આ તેતલિપુરમાં તેતલિ અમાત્યની ભદ્રા નામે પનીના પુત્રરૂપે ઉપયો. તો મારે ઉચિત છે કે પૂર્વે સ્વીકૃતુ મહાવત રવાં જ સ્વીકારીને વિચરે એમ વિચારી, સ્વયં જ મહાવત સ્વીકાર્યા. પ્રમદ વન ઉંધાને આવ્યા, ઉત્તમ અશોકવૃક્ષ નીચે, પૃતીશિલાપટ્ટકે સુખે બેસી, ચિંતવના કરતા, પૂર્વે આધીત સામાયિક આદિ ચૌદ પૂર્વ સ્વયં જ સ્મરણમાં આવી ગયા. પછી તેતલિપત્ર અણગારને શુભ પરિણામથી યાવતું તદાવરણીય કર્મના ડ્રાયોપશમથી, કમરિજના નાશક અપૂર્વકરણમાં પ્રવેશી કેવલ ઉપર્યું. [૧૫] ત્યારે તેતલિપુર નગરમાં નીકટ રહેલ વ્યંતર દેવ-દેવીએ દેવદુંદુભી વગાડી. પંચવણ પુષ્પોની વર્ષા કરી, દિવ્ય ગીત-ગંધવનો નિનાદ કર્યો. ત્યારે કનકધ્વજ સા આ વૃત્તાંત જાણી બોલ્યો - નિશે તેતલિનું મેં અપમાન કરતાં,
SR No.009005
Book TitleAgam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy