________________
૨૫/-/૨/૮૬૮
૧
અસંખ્યાત લોકમાં અનંત દ્રવ્યોનું અવસ્થાન કહ્યું. તે એક પ્રદેશમાં ચયઅપચયાદિવત્ થાય છે. - ૪ -
કેટલી દિશામાંથી પુદ્ગલો આવીને એક આકાશ પ્રદેશમાં એકત્રિત થાય, પૃથક્ થાય. સ્કંધરૂપ પુદ્ગલો બીજા પુદ્ગલોના સંપર્કથી ઉપચિત થાય, સ્કંધરૂપ જ પ્રદેશ વિઘટનથી અપચીય થાય.
- સૂત્ર-૮૬૯ :
ભગવન્ ! જીવે જે પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે કે અસ્થિત દ્રવ્યોને ? ગૌતમ ! સ્થિતને પણ ગ્રહે, અસ્થિતને પણ ગ્રહે. - - ભગવન્ ! તે દ્રવ્યોને શું દ્રવ્યથી ગ્રહણ કરે કે ક્ષેત્રથી - કાલથી - ભાવથી ગ્રહણ કરે? ગૌતમ! દ્રવ્યથી પણ ગ્રહણ કરે, ક્ષેત્રથી - કાળથી અને ભાવથી પણ ગ્રહણ કરે.
તેમાં દ્રવ્યથી અનંતપદેશિક દ્રવ્યોને, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ અવગાઢને, એ પ્રમાણે જેમ પન્નવાના પહેલા આહારુદ્દેશકમાં યાવત્ નિર્વ્યાઘાતથી છ એ દિશામાંથી, વ્યાઘાતને આશ્રીને કદાચ ત્રણ દિશામાંથી, કદાચ ચાર દિશામાંથી, કદાચ પાંચ દિશામાંથી ગ્રહણ કરે.
ભગવન્ ! જીવ, જે દ્રવ્યોને વૈક્રિય શરીરપણે ગ્રહણ કરે, તેને શું સ્થિતને ગ્રહે કે અસ્થિતને? પૂર્વવત્. વિશેષ એ - છ એ દિશામાંથી ગ્રહણ કરે. એ પ્રમાણે આહારકશરીરના વિષયમાં પણ જાણવું.
ભગવન્ ! જીવ, જે દ્રવ્યોને તૈજસ શરીરપણે ગ્રહે પ્રશ્ન ? ગૌતમ ! સ્થિતને ગ્રહણ કરે, અસ્થિતને નહીં. બાકી ઔદાકિ શરીરની માફક જાણવું. કાર્પણ શરીરમાં પણ એમ જ જાણવું - યાવત્ - ભાવથી પણ ગ્રહે
જે દ્રવ્યોને દ્રવ્યથી ગ્રહે, તે શું એક પ્રદેશિકને ગ્રહે કે દ્વિદેશિકને ગ્રહે ? જેમ ભાષાપદમાં કહ્યું તેમ કહેવું યાવત્ અનુપૂર્વીથી ગ્રહણ કરે, અનાનુપૂર્વીથી નહીં (સુધી કહેવું)
ભગવન્ ! તેને કેટલી દિશાથી ગ્રહણ કરે? ગૌતમ ! નિવ્યાઘાત હોય તો ઔદાકિની માફક ઈત્યાદિ કહેવું.
ભગવન્ ! જીવ, જે દ્રવ્યોને શ્રોત્રેન્દ્રિયપણે ગ્રહણ કરે ? જેમ વૈક્રિય શરીરમાં કહ્યું તેમ કહેવું એમ યાવત્ જીલેન્દ્રિય પર્યન્ત જાણવું. સ્પર્શ ઈન્દ્રિયના વિષયમાં ઔદારિક શરીર માફક કહેવું. - - મનોયોગના વિષયમાં કામણ શરીર માફક કહેવું. માત્ર નિયમા છ દિશામાંથી ગ્રહે. આ પ્રમાણે વચનયોગના વિષયમાં પણ કહેવું. કાયયોગને ઔદાકિ શરીરવત્ કહેવું.
ભગવન્ ! જીવ, જે દ્રવ્યને શ્વાસોચ્છ્વાસપણે ગ્રહણ કરે, તો ઔદાકિ શરીર માફક કહેવું યાવત્ કદાચ પાંચ દિશાથી આવેલને ગ્રહે.
ભગવન્ ! તે એમ જ છે. (૨). કોઈ ચોવીશે દંડકોમાં આ પદોને કહે છે, પણ જેને જે હોય તે કહેવા.
13/6
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ
• વિવેચન-૮૬૯ :
દિવાડું - શું જીવ પ્રદેશ અવગાઢ ક્ષેત્રના અન્વંતરવર્તી અને અસ્થિત - તેની પછી વર્તતા, તેને ઔદાકિ શરીર પરિણામ વિશેષથી ખેંચીને ગ્રહણ કરે છે. બીજા કહે છે – જે કંપે છે, તે સ્થિત અને તેથી વિપરીત તે અસ્થિત.
ર
શું દ્રવ્યને આશ્રીને ગ્રહણ કરે ? ક્ષેત્ર આશ્રિત અર્થાત્ કેટલા પ્રદેશ અવગાઢ ? - - વૈક્રિય શરીર અધિકારમાં - નિયમા છ દિશામાંથી. તેનો અભિપ્રાય આ છે - વૈક્રિય શરીરી પ્રાયઃ પંચેન્દ્રિય જ હોય. તે ત્રસનાડી મધ્યે જ હોય, ત્યાં છ એ દિશા અલોકથી અનાવૃત્ત હોય છે, તેથી આમ કહ્યું. જે વાયુકાયિક છે, તે ત્રસનાડી બહાર પણ વૈક્રિયશરીરી હોય છે, તે અહીં વિવક્ષિત નથી, કેમકે અપ્રધાન છે. અથવા લોકાંતે તે ન સંભવે.
તૈજસ સૂત્રમાં - જીવ અવગાહ ક્ષેત્ર અત્યંતરી ભૂતને જ ગ્રહણ કરે છે. તેની અંદર વર્તતાને ન ગ્રહણ કરે, તેના આકર્ષ પરિણામનો અભાવ છે. અથવા સ્થિત અર્થાત્ સ્થિને ગ્રહણ કરે, અસ્થિત અર્થાત્ અસ્થિને ન ગ્રહણ કરે, કેમકે તથાવિધ સ્વભાવ છે. નર્શી ભામાપવે જેમ પ્રજ્ઞાપનાના અગિયારમાં પદમાં છે, તેમ કહેવું. તે ત્રણ પ્રદેશ યાવત્ અનંતપ્રદેશને ગ્રહે.
શ્રોત્રેન્દ્રિય સૂત્રમાં - જેમ વૈક્રિય શરીર દ્રવ્ય ગ્રહણ સ્થિત-અસ્થિત દ્રવ્ય વિષય અને છ દિશા કહ્યું, તેમ અહીં પણ જાણવું. શ્રોત્રેન્દ્રિય દ્રવ્ય ગ્રહણ નાડી મધ્યે જ છે, તેમાં કદાચ ત્રણ દિશા આદિ છે - ૪ -
સ્પર્શનેન્દ્રિય જેમ ઔદારિક શરીરમાં કહ્યું તેમ, અર્થાત્ જેમ ઔદારિક શરીરમાં સ્થિતાસ્થિત, છ દિશાથી આવેલ કહ્યું તેમ અહીં કહેવું.
મનોયોગપણે, કાર્પણની માફ્ક દ્રવ્યો ગ્રહણ કરે અર્થાત્ સ્થિત દ્રવ્યો જ ગ્રહણ કરે. માત્ર અહીં નિયમા છ દિશાથી કહેવું. કેમકે મનોદ્રવ્યોનું ગ્રહણ નાડી મધ્યે જ થાય, અ ત્રસોને તે હોતું નથી. વાદ્રવ્ય તેમજ જાણવું.
કાય યોગ દ્રવ્યો સ્થિત-અસ્થિત છ દિશાથી આવેલ ગ્રહે છે.
ફ આદિ. તેમાં પાંચ શરીરો, પાંચ ઈન્દ્રિયો, ૧૩-મનોયોગાદિ, આનપ્રાણ. બધાં ચૌદે પદો, તેને આશ્રિત ચૌદ દંડકો થાય છે.
ૢ ઉદ્દેશ-૩-‘સંસ્થાન”
— * — x =
૦ બીજા ઉદ્દેશામાં દ્રવ્યો કહ્યા, તેમાં પુદ્ગલો કહ્યા. તે પ્રાયઃ સંસ્થાનવાળાને હોય છે, તેથી અહીં સંસ્થાનોને કહે છે –
• સૂત્ર-૮૭૦ :
ભગવન્ ! સંસ્થાનો કેટલા છે? ગૌતમ ! છ – પરિમંડલ, વૃત્ત, ક્યા, તુમ, આયત, અનિયંસ્થા
ભગવન્ ! પરિમંડલ સંસ્થાન, દ્રવ્યાર્થતાથી સંખ્યાત, અસંખ્યાત કે અનંત છે ? ગૌતમ ! સંખ્યાત, અસંખ્યાત નથી. પણ અનંત છે.