SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ૧૧/-/૧૧/૧૫ રાત્રિ હોય છે, જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. ભગવાન ! દિવસ અને રાત્રિ સમાન પણ હોય છે ? હા, હોય છે. ભગવાન ! દિવસ અને રાત્રિ ક્યારે સમાન હોય છે? હે સુદર્શન ચક અને આસોની પૂનમે દિવસ અને સબ બંને સમાન જ હોય છે. પંદર મુહનો દિવસ અને પંદર મુહુર્તની રાત્રિ હોય છે અને દિવસ તથા રાગિની પોણાચાર મુહર્તાની પોરિસી હોય. આ પ્રમાણકાળ કહ્યો. વિવેચન-૫૧૫ : ઉત્કૃષ્ટથી - સાડાચાર મુહૂર્તનો એટલે અઢાર મુહૂર્ત દિવસ કે રાત્રિના હોય, તેનો ચોથો ભાગ કરતા સાડાચાર મુહૂર્ત એટલે કે નવ ઘડી થાય. તેથી જેના સાડાચાર મુહર્તા છે તેવી. તથા બાર મુહૂર્તના દિવસ કે શનિનો ચોથો ભાગ તે ત્રણ મુહૂર્ત થાય. આ ત્રણ મુહૂર્ત એટલે છ ઘડી. કેટલા ભાગ રૂપ મુહૂર્ત ભાગ તે કતિભાવ મુહૂર્વ ભાગ, તેના વડે અર્થાત્ કેટલા મહdશ વડે. આ સાડાચાર અને ત્રણ મુહd વિશેષ, તે ૧૮૩ દિવસ વડે વધે છે કે ઘટે છે, તે સાર્ધ મુહૂર્ત ૧૮૩ ભાગ વડે કરતા, તેમાં મુહૂર્તમાં ૧૨૨ ભાગ થાય છે. તેથી કહે છે – ૧૨૨ મુહર્ત ભાગ વડે. અષાઢ પૂર્ણિમા ઈત્યાદિ. - અહીં જે અષાઢ પૂર્ણિમા કહી તે પાંચ સંવત્સકિ યુગના અંતિમ વર્ષની અપેક્ષાઓ જાણવી. કેમકે તેમાં જ અષાઢ પૂર્ણિમામાં ૧૮મુહૂર્તનો દિવસ થાય છે, સાડાચાર મુહૂર્તની તેની પોરિસી થાય છે. બીજા વર્ષોમાં તો જે દિવસે કર્ક સંક્રાંતિ હોય, તે દિવસમાં જ આમ થાય, તે જાણવું. પોષી પૂનમમાં આમ જ જાણવું. - અહીં ત્રિ-દિવસનું વૈષમ્ય કહ્યું, હવે તે બંનેનું સમત્વ દર્શાવતા કહે છે ચૈત્રી, આસોની પૂર્ણિમામાં ઈત્યાદિ - જે કહ્યું તે વ્યવહારનયની અપેક્ષા છે, નિશ્ચયથી કર્ક-મકર સંક્રાંતિ દિવસથી આરંભીને જે ૯૨ અહોરબ, તેના અડધામાં સમાન દિવસ-રાત્રિ પ્રમાણતા છે, તેમાં ૧૫ મહd દિવસના કે રાત્રિના પોરિસી પ્રમાણ હોય છે અને પોણા ચાર મુહૂર્તની તેમાં પોરિસી હોય છે. • સૂત્ર-૫૧૬,૫૧૩ - [૫૧૬] તે યથાનિવૃત્તિકાળ શું છે? યથાનિવૃત્તિકાળ - જે કોઈ નૈરયિક, તિચિયોનિક, મનુષ્ય અથવા દેવ છે જેવા પ્રકારનું આય (કર્મ) બાંધેલ હોય, તેનું પાલન કરવું. તે યથાનિવૃત્તિકાળ છે. તે મરણકાળ શું છે ? શરીરથી જીવનું કે જીવથી શરીરનું (પૃથફ થવાનો કાળ) તે મરણ કાળ છે. તે અદ્રાકાળ શું છે ? અદ્ધાકાળ અનેક પ્રકારે કહ્યું છે. તે સમયાર્થતાથી છે, આવલિકાતાથી છે ચાવત ઉત્સર્પિણી અર્થતાથી છે. હે સુદર્શન ! જેનું બે ૧૪૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ ભાગમાં છેદન ન થઈ શકે તે સમય છે. કેમકે તે સમય સમયાતાથી અસંખ્યાત સમયોનો સમુદાય સમિતિસભાનતાથી તે એક આવલિકા સંખ્યાલ આવલિકાથી જેમ ‘શાલિ' ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવતુ એક સાગરોપમનું પરિમાણ થાય છે.. હે ભગવન્ ! આ પલ્યોપમ, સાગરોપમ શું પ્રયોજન છે ? સુદશનિ ! આ પલ્યોપમ, સાગરોપમ વડે નૈરયિક, નિયચિયોનિક, મનુષ્ય અને દેવોનું આયુષ્ય અપાય છે. [૫૧] ભગવત્ / નૈરયિકોની કેટલી કાલ સ્થિતિ કહી છે ? અહીં સંપૂર્ણ ‘સ્થિતિ’ પદ કહેવું યાવ4 અજન્ય અનુક્સ્ટ 33 સાગરોપમ સ્થિતિ કહેવી છે. • વિવેચન-૫૧૬,૫૧૭ : અહીં ને એ સામાન્ય નિર્દેશ છે, પછી જે કોઈ નારકાદિમાંથી કોઈનું જે પ્રકારે આયુષ્ય-જીવિત અંતર્મુહૂર્નાદિ યથાયુષ્ય બાંધે. જીવથી શરીર કે શરીરથી જીવનું જે વિયોજન થાય છે. અહીં બે વખત 'મા' શબ્દ શરીર અને જીવના અવધિભાવની ઈચ્છાનુસારિતા પ્રતિપાદનાર્થે છે - - અદ્ધાકાળ શું છે? અદ્ધાકાળ અનેકવિધ કહ્યો તે આ પ્રમાણે - સમય રૂ૫ અર્થ તે સમયાર્થ, તેનો ભાવ, તેના વડે સમયભાવ એ અર્થ છે. એ પ્રમાણે બીજામાં પણ જાણવું. અહીં ‘ચાવ” શબ્દથી મુહૂતાર્થતા આદિ જાણવું. હવે સમયાદિ કાળનું સ્વરૂપ કહે છે – આ અનંતરોક્ત ઉત્સર્પિણી આદિ શ્રદ્ધા વીદાયને બે હાર-ભાગ, જેમાં છેદનમાં બે ભાગ, વIR - કરવા છે, તે બિહાર - બે ભેદ કરવી છે, તેના વડે મા જ્યારે તે ‘સમય’ એમ જાણવું. અસંખ્યાત સમતિસમાગમ, તેના વડે જે કાલમાન થાય છે, એક આવલિકા કહેવાય છે. ‘શાલિ ઉદ્દેશક’ તે શતક-૬-નો ઉદ્દેશ-૩. પલ્યોપમ, સાગરોપમ વડે નૈરયિકાદિનું આયુષ્ય મપાય છે. તેમ કહ્યું, હવે તે આયુષ્યવાળાને જણાવવા માટે કહે છે – નૈરયિકાદિ. સ્થિતિ પદ એ પ્રજ્ઞાપના સૂત્રનું ચોથું પદ છે. • સૂત્ર-પ૧૮ થી ૨૦ : હે ભગવન! શું આ પલ્યોપમ, સાગરોપમનો ક્ષય કે અપચય થાય છે ? હા થાય છે. ભગવન ! એમ કેમ કહો છો કે પલ્યોપમ અને સાગરોપમનો ચાવતુ અપચય થાય છે? એ પ્રમાણે ખરેખર હે સુદર્શન ! તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું - વન. સહસાવન ઉધાન હતું - વર્ણન. તે હસ્તિનાપુર નગરમાં બલ નામે રાજ હતો - વર્ણન. તે બલ રાજાને પ્રભાવતી નામે દેવી (રાણી) હતી, તે સુકુમાલ ઈત્યાદિ હતી તેમ વર્ણન કરવું ચાવતું વિચરતી હતી. ત્યારે તે પ્રભાવતી રાણીને અન્ય કોઈ દિવસે તેવી, તેવા પ્રકારે વાસગૃહની
SR No.009002
Book TitleAgam Satik Part 11 Bhagavati Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy