________________
૯)-૩૩/૪૬૦ થી ૪૬ર
પ૬
ઋષભદત્ત બાહાણે ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને ઉભો થયો, પછી ભગવંતને ત્રણ વખત યાવતુ નમીને આમ કહ્યું - ભગવનું ! તે એમ જ છે, તે તે પ્રમાણે છે, સ્કંદકની માફક યાવત્ જેમ આપ કહો છો, એમ કરીને ઈશાન ખૂણામાં જઈને, સ્વયં જ આભરણ અલંકાર ઉતાય, ઉતારીને જાતે જ પંચમુષ્ટી લૉય કર્યો. કરીને ભગવંત મહાવીર પાસે આવીને, ભગવંતને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત્ નમીને આ પ્રમાણે કહ્યું -
ભગવા આલોક ચોતરફથી સળગી રહ્યો છે, પ્રદીપ્ત છે, આલિdપ્રદીપ્ત છે, જરામરણથી યુક્ત છે. એ પ્રમાણે એ ક્રમથી જેમ આંદકમાં કહ્યું, તેમ પ્રતજિત થઈને ચાવતું સામાયિક આદિ ૧૧ અંગને ભરચો યાવત્ ઘણાં ઉપવાસ, છ, અક્રમ, દશમ યાવત વિવિધ તપકર્મ વડે આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષોનો શ્રામણય પર્યાય પાળીને માસિકી સંલેખનાથી આત્માને આરાધી, ૬o ભક્તોને અનશન વડે ભેદીને જે હેતુથી નગન ભાગ સ્વીકારેલ, તે અને આરાધે છે. યાવત્ છે અને આરાધીને તેઓ યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા.
તે દેવાનંદ બ્રાહ્મણીએ પણ ભગવત પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત, તષ્ટિત થાઈ, ભગવતને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્! એ એમ જ છે, તેમજ છે, એ રીતે ઋષભદત્ત માફક ચાવતુ ધર્મ સાંભળ્યો. પછી ભગવંતે સ્વયં જ દેવાનંદા બ્રાહાણીને પ્રવાજિત કરી, પોતે જ આ ચંદનાને શિષ્ણારૂપે આપ્યા. પછી આયર ચંદનાઓ, આયર્ન દેવાનંદાને આ આવા પ્રકારનો ધર્મોપદેશ સારી રીતે સ્વીકારાવ્યો, તેમની આજ્ઞાથી જ તેણી જાય છે યાવત્ સંયમથી સંયમિત રહે છે. આ ચંદના પાસે આ દેવાનંદા ૧૧-અંગોનો અભ્યાસ કરી યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
• વિવેચન-૪૬૦ થી ૪૬૨ -
મ - સમૃદ્ધ, દ્રિત્ત - દીપ્ત, તેજસ્વી અથવા ગર્વવાળા, વિત્ત પ્રસિદ્ધ છે. ચાવતુ શબ્દથી વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન ઈત્યાદિ. fથાણ - ૫થ્ય અHવતું, સુહાણ - સુખ માટે, અમાણ - ક્ષમતને માટે-સંગતત્વ માટે, શભાનુબંધને માટે છે. - અહીં યાવત્ શબ્દથી હર્ષિત, તુષ્ટિત, થોડા મુખ સૌમ્યતાદિ ભાવ વડે સમૃદ્ધિને પામ્યા. તેથી જ સમૃદ્ધિતને પામ્યા, પ્રીતિયુક્ત મનવાળા, પરમ સુષ્ઠ સમન્સકતા પામેલ ચિતવાળા, હર્ષના વશથી જેનું હદય વિકસિત થયું છે તેવા.
શિઘકિયા દક્ષવથી યુક્ત, પ્રશસ્ત યોગવાનું, પ્રશસ્ત-સદંશ રૂપવાદિ, સમા ખુરાવાળા, સમાન પુંછવાળા, સમાન શગડાવાળા, - X • યુવાન, તેનાથી યુક્ત યાનપવર ઉપસ્થાપિત કરો. કેવા? જેનું કંઠાભરણ વિશેષ સોનામાંથી બનેલ છે, તેના
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૩ વડે યુક્ત અને પ્રતિવિશિષ્ટ - પ્રધાન યવ આદિ વડે, તથા રૂપાની બનેલી ઘંટીથી યુક્ત, કપાસ આદિના સૂરજૂ, પ્રવર સુવર્ણ મંડિતત્વથી જેની નાસિકારજૂ કરેલ છે, તે દોરડાને ગ્રહણ કરીને અર્થાત તેનાથી બાંધીને, તથા -
નીલકમલથી કરેલ જેના શેખર છે, તેના વડે, ઉત્તમ એવા યુવાન બળદો વડે, વિવિધ મણિ રત્નોથી યુક્ત ઘંટિકા પ્રધાન જાળ, તેના વડે પરિગત, સારી જાતના લાકડાનું ચૂપ, ચૌક નામક જુકાયુગ્મ, તે પ્રશસ્ત-અતિશુભ, સુવિરચિત-સુઘટિત, નિર્મિત-વિવેશિત છે તે.
એ પ્રમાણે હે સ્વામી ! ‘તહતિ' આજ્ઞા કરે ત્યારે આમ કહેવું. થિયેન - અંજલિકરણ આદિ વડે. ત્યારે તે દેવાનંદા આદિ.
અહીં વાયનાંતરમાં દેવાનંદાનું વર્ણન બતાવેલ છે. તે આ પ્રમાણે - અંતઃપુરની અંદર સ્નાન કરીને, આના વડે કુલીન સ્ત્રીઓ ખાનગીમાં સ્નાન કરે છે, તે દેખાડ્યું. ગૃહદેવતાને આશ્રીને બલિકર્મ કરેલ, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત અવશ્ય કરવા એ હેતુથી કરેલ, તેમાં કૌતુક-એટલે મણી, તિલકાદિ. મંગલ એટલે સિદ્ધાર્થક, દૂર્વાદિ, વળી પગને પ્રાપ્ત ઉત્તમ ઝાંઝર વડે, મણિમેખલા હારથી વિરચિત, યુક્ત કટક વડે,
ગુલીક વડે, એકાવલી વડે, વિચિત્ર મણિમય કંઠસૂમચી, હદય ઉપર રૂઢિગમ્ય શૈવેયક વડે, કટી સૂગ વડે, વિવિધ મણિ-રત્ન-આભુષણથી વિરાજિત શરીરવાળી, ચિનાંશુક નામના વસ્ત્રો મળે ઉત્તમ, તેને પહેરીને રહેલી, વૃક્ષ વિશેષની છાલમાંથી બનેલ દુકુલ નામે વા વિશેષ, સુકુમાર એવા ઉત્તરીય-ઉપરનું આચ્છાદન જેને છે તેવી, બધી ઋતુના પુષ્પો વડે વેણી બનાવીને જેણીએ વાળને શણગાર્યા છે તેવી તથા કપાળ ઉપર ઉત્તમ ચંદનને લીધેલી એવી, ઉત્તમ આભુષણવાળા શરીરવાળી, કાલાગર ધૂપ વડે ધૂપિત, શ્રીદેવતા સમાન નેપચ્યવાળી.
કુજિકા એટલે વકજંઘાવાળી, ચિલાત દેશમાં ઉત્પન્ન, ચાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - વામણી એટલે શરીરથી અલા, ઠીંગણી, વડભી, બર્બરી, પયોસિકા,
ઋષિગણિકા, વાસગણિકા, જોહિકા, પલ્હવિકા, હાસિકા, લકુશિકા, આરબી, દમિલી, સિંહલી, પુલિંદી, પક્કણી, બહલી, મુરુડી, શબરી, પારસી એ રીતે અનેક જનપદથી, તે દેશની અપેક્ષાએ વિદેશ-બીજા દેશથી, પરિવરેલી, પોત-પોતાના દેશના વેશને ધારણ કરેલી, ત - નયન આદિ ચેપ્ટા વડે, ચિંતિત અને બીજા વડે પ્રાચિંતઅભિલાષા કરાયેલને જાણતી એવી, કુશળ અને વિનિત એવી ચેટી-દાસી, સ્વદેશમાં સંભવ વર્ધિતકરણ-નપુંસક કરાયેલ અંતઃપુર-પુરષો, અંતઃપુરમાં પ્રયોજનનું નિવેદન કરનારા સ્થવિર કંચુકી એવા પ્રતિહાર કે મહત્તક - અંતઃપુર કાર્યને ચિંતવનારાના સમૂહથી ઘેરાયેલી.
આ સર્વ વાયના બીજી વાચનામાં સાક્ષાત્ છે જ.
પાંચ અભિગમો - (૧) પુષ્પ તાંબુલાદિ સયિત દ્રવ્યોનો ત્યાગ, (૨) વરુ આદિ અચિત દ્રવ્યોનો અત્યાણ, () મનના અનેક ભાવોને છોડીને એકતા લક્ષણ