________________ પ્રકીર્ણક સમવાય-૨૫૪ થી 383 29 દશાર મંડલની બહાર ન હોવા છતાં “દશાર મંડલાતિ” એમ પ્રથમ કહીને પણ દશામંડલમાં પ્રગટ રૂપ એવા તેમના વિશેષણો આપવા માટે એમ કહે છે - સાથી બલદેવ, વાસુદેવના સ્વરૂપને જણાવવા માટે કહ્યા છે. કોઈ આચાર્ય દશામંડલનો અર્થ આ પ્રમાણે કરે છે - દશાર એટલે વાસુદેવના કુળમાં થયેલી પ્રજાના મંડન-શોભાવનારા. ઉત્તમ પુરુષો-તીર્થકાદિ પ૪-ઉત્તમ પુરુષો મણે વર્તતા હોવાથી ઉત્તમ, મધ્યમ પુરુષ એટલે તીર્થંકરાદિના બલ આદિની અપેક્ષાએ મણે વર્તનાર હોવાથી, પ્રધાનપુરુષો એટલે તે કાળના પુરુષો મણે શર્યાદિ વડે મુખ્ય. 3 ની - મનથી બળવાન, તે નવી - દીપ્ત શરીરવ, થર્વસ્વી - શારીર બલથી યુક્ત, યશસ્વી - પ્રસિદ્ધિ પ્રાપ્ત. છાયંસ - છાયાવાનું, વક્રાંત - કાંતિયુક્ત હોવાથી કાંત, - અરદ્ર આકાર હોવાથી સુમન * લોકોને વલ્લભ હોવાથી. ચણાને પિયરૂપવાળા હોવાથી પ્રિયદર્શન, સમચતુસ્ત્ર સંસ્થાન હોવાથી સુરૂપ, સુખકારક હોવાથી સુખશીલ, જેમનો સ્વભાવ શુભ અથવા સુખકાક હોય છે તે શુભશીલ કે સુખશીલ કહેવાય છે અને શુભશીલ હોવાથી સુખે કરીને સેવી શકાય છે તે સુખાભિગમ્ય કહેવાય છે, સર્વ લોકના નેગોને કાંત એટલે અભિલાષ કરવા લાયક જે હોય તે સર્વ જનનયન કાંત કહેવાય છે. ઓઘબલ-વ્યવચ્છેદરહિત બલવાનપણું હોવાથી પ્રવાહ બલવાળા, અતિદલ - શેષ સર્વે જનોના બલને ઉલ્લંઘન કરનારા હોવાથી અતિબલવાન, મહાબલ એટલે પ્રશસ્તબલવાળા, અનિહત એટલે નિરપક્રમ આયુષ્ય હોવાથી કે મોટા યુદ્ધમાં પણ પૃથ્વી પર તેમને પાડનાર કોઈ નહીં હોવાથી કોઈના વડે ન હણાયેલ, પોતે જ શત્રુઓનો પરાજય કરનાર હોવાથી અપરાજિત-પરાજય ન પામેલ. શગુના શરીર અને સૈન્યની કદર્થના કરનારા હોવાથી - ગુનું મર્દન કરનારા, ગુના ઈચ્છિત કાર્યને વિખેરી નાંખનાર હોવાથી હજારો ગુના માનનું મર્દન કરનારા, સાનકોશ એટલે નમેલાને વિશે દ્રોહ નહીં કરનાર, અમસર એટલે બીજાના લેશ પણ ગુણને ગ્રહણ કરનારા હોવાથી મસર હિત. અચપલ એટલે મન, વચન, કાયાની સ્થિરતા હોવાથી ચપળતા હિત, અચંડ એટલે કારણ વિના પ્રબળ કોપરહિત હોવાથી પ્રચંડતા રહિત, જેનું વચન અને હાસ્ય બંને કોમળ અને પરિમિત હોય તે મિતમંજુલપલાપ હસિત. ગંભીર એટલે રોષ, તોષ, શોકાદિ વિકારૂં ન દેખાડનાર અથવા મેઘના શબ્દ જેવું ગંભીર, મધુર એટલે કર્ણને સુખ આપનારું, પ્રતિપૂર્ણ - અર્ચની પ્રતીતિ ઉત્પન્ન કરનાર અને સત્ય એવું જેમનું વચન છે એવા, * * - શરણે આવેલાનું રક્ષણ કરનારા, શરણ્ય-રક્ષણ કરવામાં શ્રેષ્ઠ હોવાથી શરણ કરવાલાયક, લક્ષણ એટલે માન આદિ અથવા વજ, સ્વસ્તિક, ચકાદિ ચિહો, વ્યંજન એટલે તલ, મસાદિ. ગુણો એટલે મોટી ગઠદ્ધિની પ્રાપ્તિ આદિ. લક્ષણ અને વ્યંજનના ગુણે કરીને સહિત એવા - X - X - X - ઇત્યાદિ. માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ એટલે ન્યૂનતારહિત અને ગર્ભાધાનથી 20 સમવાયાંગસૂત્ર સટીકઅનુવાદ આરંભીને પાલન-પોષણ વિધિ વડે સુજાત તથા સવાંગ સુંદર એટલેસમગ્ર અવયવની પ્રધાનતાવાળું શરીર છે જેમનું એવા. ચંદ્રની જેમ સૌમ્ય આકારવાળું થતું રૌદ્ર કે બીભત્સ નહીં. કાંત એટલે દીતિવાળું, પ્રિય એટલે લોકોને પ્રમોદ ઉત્પન્ન કરનારું છે દર્શન એટલે રૂ૫ જેનું એવા. અમરિસણ એટલે કામ કરવામાં આળસ સહિત અથવા અમર્ષણ એટલે અપરાધ છતાં પણ ક્ષમા કરનારા, પ્રકાંડ એટલે ઉત્કટ છે દંડ પ્રકાર એટલે આજ્ઞા વિશેષ કે નીતિનો ભેદ વિશેષ જેમને એવા અથવા દુ:સાધ્ય કાર્યને સાધનાર હોવાથી પ્રચંડ છે દંડ પ્રચાર એટલે સૈન્યનો પ્રચાર જેમને એવા તથા ગંભીર દર્શનીય - X તાલ કે તલ નામના વૃક્ષ છે વજ જેમને તે તાલધ્વજ બલદેવ હોય છે અને ઉદ્વિ એટલે ઉંચો ગરુડના ચિહ્નવાળો કેતુધ્વજ છે જેમનો તે ઉદ્વિદ્ધગડકેતુ વાસુદેવ હોય છે. પછી તાલdજ વાળા અને ઉદ્વિદ્ધગરુડ કેતુવાળા તાલધ્વજો દ્વિદ્ધગરુડ કેતુ એવા, મોટા બળવાનું હોવાથી મોટા ધનુષને ખેંચનારા, મહાસત્વરૂપ જળના આશ્રયરૂપ હોવાથી સમુદ્ર જેવા તે મહાસવસાગર એવા. તેઓ જ્યારે રણાંગણમાં પ્રહાર કરે છે, ત્યારે કોઈપણ ધનુઘરી તેમને ધારણા કરી શકનાર ન હોવાથી દુર્ધર એવા, ધનુર્ધર એટલે જેમનું શસ્ત્ર ધનુ છે એવા, ધીરપુરુષોને વિશે જ તેઓ પુરુષ એટલે પરાક્રમી છે, પણ કાયને વિશે પરાક્રમી નથી તેથી ધીરપુરપ એવા, યુદ્ધમાં પ્રાપ્ત થયેલી કીર્તિ તે જ મુખ્ય છે એવા પુરુષ, યુદ્ધ કીર્તિપુરુષ કહેવાય છે. વિપુલ કુલોત્પન્નનો અર્થ પ્રસિદ્ધ છે. મહાબલવાનપણા કરીને મહારત્નને એટલે વજરત્તને અંગુઠ અને તર્જની આંગળી વડે ચૂર્ણ કરનાર તે મહારન વિઘટક છે. કેમકે વજરનને એરણ પર મૂકી હથોડા વડે ટીપે તો પણ ભેદાતુ નથી. તેવા વજનને ભેદે છે, માટે દુર્ભેદ છે અથવા સંગ્રામ કરવાની ઈચ્છાવાળા મહાસૈન્યની સાગરભૃહ, શકટટ્યૂહ આદિ પ્રકારથી જે મોટી ચના તેને તરી જવાના રંગના સિકપણાથી અને મહાબળવાપણાએ કરીને જેઓ વિઘટન કરે તે મહાસના વિઘટક છે. પાઠાંતરથી મોટા રણ સંગ્રામને વિખેરી નાંખનારા તેમ જાણવું. અધ ભરતક્ષોનનો સ્વામી, સૌમ્ય એટલે રોગરહિત, રાજકુળમાં તિલક સમાન, કોઈથી ન જીતાય એવા, અજિત રથવાળા, હલ અને મુશલનો અર્થ પ્રસિદ્ધ છે. આ બે હથિયાર રૂપે જેના હાથમાં છે એવા બલદેવ અને જેના હાથમાં કણક એટલે બાણ છે એવા શાર્ગ ધનુક્વાળા વાસુદેવ હોય છે. પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદકી નામે ગદા, શક્તિ એટલે ત્રિશૂળ વિશેષ, નંદક નામે ખગ, આ સર્વેને જે ધારણ કરે તે શંખ ચક્ર ગદા શક્તિનંદકધર વાસુદેવ છે. મોટો પ્રભાવવાળો હોવાથી પ્રવર, શેત કે સ્વચ્છ હોવાથી ઉજવલ, કાંતિવાળા હોવાથી શક્તાંત કે પાઠાંતરથી સારું પરિકર્મ કરેલ હોવાથી સુકૃત તથા મલરહિત હોવાથી નિર્મળ એવા કૌસ્તુભ નામના મણિને અને કિરીટ એટલે મુગટને જેઓ ધારણ કરે છે તેવા, કુંડલ વડે દેદીપ્યમાન છે મુખ જેના એવા, કમલ જેવા નેત્રવાળા,