________________
૧૦/-/૯૦૩ થી ૯૧૭
૧૬૫
બે પ્રદેશ પછી તેના વડે વધતી ગાડાની ઉંધના જેવા આકારવાળી મહાદિશા ચાર જ
છે. એક પ્રદેશની શરૂઆતવાળી, અનુત્તરા મોતીના હાર જેવા આકારવાળી ચાર વિદિશાઓ છે તથા ચાર પ્રદેશની શરૂઆતવાળી અનુત્તર એવી ઉર્ધ્વ અને અધો બે દિશા ઉત્પન્ન થાય છે.
[૧૦] ઈન્દ્ર છે દેવતા જેણીનો તે ઐન્દ્રી, એ રીતે આગ્નેયી, ચામ્યા ઇત્યાદિ, તિમિરરહિત હોવાથી ઉર્ધ્વ દિશાનું વિમલા નામ છે તથા અંધકારયુક્તપણાને લઈને રાત્રિ તુલ્ય હોવાથી અધોદિશાનું નામ તમા છે.
[૧૧] તળાવ આદિમાં ઉતરવાનો માર્ગ તે ગોતીર્થ, ગોતીર્થની જેમ. ગોતીર્થઅવતારવાળી ભૂમિ, તેથી રહિત તે સમભૂમિ. આ ભૂમિ ૯૫,૦૦૦ યોજન પૂર્વ ભાગથી અને તેટલી જ પશ્ચિમ ભાગથી ગોતીર્થભૂમિને છોડીને મધ્યમાં હોય છે. ઉદકની શિખા-વેલા, ૧૦,૦૦૦ યોજન વિખંભથી છે, ઉંચપણે ૧૬,૦૦૦ યોજન છે. સમુદ્રના
મધ્ય ભાગથી જ ઉઠેલ છે,
બધી પણ પૂર્વાદિ દિશાઓમાં, તેના ભાવથી ચારે મહાપાતાળ કળશો-વલયામુખ, કેઉર, જૂચક, ઈશ્વર નામે ચોથા સ્થાનમાં કહેલ છે. ક્ષુલ્લક પાતાળ કળશોના નિષેધ માટે મહાશબ્દનું ગ્રહણ છે. - . - ૪ - એક લાખ યોજનના ઉદ્વેધ વડે છે. મૂલ-તળીયામાં ૧૦,૦૦૦ યોજન, મધ્યે એક લાખ. કેવી રીતે ? મૂલના વિખુંભથી બંને પડખે એક એક પ્રદેશની વૃદ્ધિથી વિસ્તાર પામતાં કળશોની એક પ્રદેશવાળી શ્રેણી થાય છે, તે વડે. - ૪ - ૪ - મુખમૂલ-મુખપ્રદેશમાં. જુઠ્ઠું - ભીંતો, વજ્રમય છે. ૭૮૮૪ આ સંખ્યાએ ક્ષુલ્લક પાતાળ કલશો, મહાપાતાળ કલશ અપેક્ષાએ છે. તે ઉંડાઈ અને મધ્યના વિખંભથી, ૧૦૦૦ યોજન તથા ૧૦૦ યોજન છે.
[૧૨] ધાતકી ખંડમાં પૂર્વ-પશ્ચિમનો મેરુ, સૂત્ર સિદ્ધ સ્વરૂપ છે. વિશેષ એ કે – ધાતકી ખંડદ્વીપમાં બંને મેરુ ૮૪,૦૦૦ યોજન ઉંચા અને ૧૦૦૦ યોજન જમીનમાં ઉંડા છે, શિખરે પહોળા છે. મૂળમાં ૯૫૦૦ યોજન પહોળા અને સપાટી ઉપર ૯૪૦૦
યોજન પહોળા છે.
[૯૧૩,૯૧૪] બધાં વૃત્ત વૈતાઢ્ય પર્વતો વીશ છે, તે પ્રત્યેક પાંચ-પાંચ હૈમવત, હૈરણ્યવત્, હરિવર્ષ, રમ્યક્ વર્ષક્ષેત્રમાં શબ્દાવતી, વિકટાવી, ગંધાવતી, માલવત્પર્યાય નામથી છે. વૃત્ત શબ્દનું ગ્રહણ દીર્ઘ વૈતાઢ્યનો વ્યવચ્છેદ કરવા માટે છે. [૧૫] માનુષોત્તર પર્વત ચક્રવાલ પ્રસિદ્ધ છે.
[૯૧૬] ચાર અંજનક પર્વતો, નંદીશ્વર દ્વીપમાં છે. દધિમુખ પર્વતો, પ્રત્યેક અંજનક પર્વતોની ચારે દિશામાં રહેલ પુષ્કરિણીની મધ્યે રહેલા સોળ પર્વતો છે. રતિકર પર્વતો નંદીશ્વર દ્વીપમાં ચારે વિદિશામાં છે.
[૯૧૭] રુચક પર્વત રુચક નામક તેરમાં દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે. કુંડલ પર્વત કુંડલ નામે અગ્યારમાં દ્વીપમાં રહેલ ચક્રવાલ પર્વત છે. કુંડલ પર્વત, ઉદ્વેધ, મૂલ વિખંભ, ઉપરી વિષ્ફભથી રુચકવર પર્વત સમાન છે. દ્વીપસાગર પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે - ૧૦૨૨ યોજન મૂલમાં વિસ્તૃત અને શિખરે ૪૨૪ યોજન કુંડલવર પર્વતનો
૧૬૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
વિસ્તૃત છે. રુચક પર્વતનું પણ ત્યાં આ વિશેષ કહેલ છે - મૂલમાં વિખુંભ ૧૦૦૨૨ યોજન અને શિખરે ૪૦૨૪ યોજન વિસ્તૃત છે - ગણિતાનુયોગ કહ્યો, હવે દ્રવ્યાનુયોગ– • સૂત્ર-૯૧૮ :
દ્રવ્યાનુયોગ દશ ભેદે કહ્યો છે, તે આ છે – દ્રવ્યાનુયોગ, માતૃકાનુયોગ, એકાર્તિકાનુયોગ, કરણાનુયોગ, અર્પિતાનર્પિત, ભાવિતાભાવિત, બાહ્ય-અબાહ્ય,
શાશ્વાશાશ્વત, તથાજ્ઞાન, અતથાજ્ઞાન,
• વિવેચન-૯૧૮ :
અનુયોજન-સૂત્રનો અર્થ સાથે સંબંધ કરવો અથવા અનુરૂપ કે અનુકૂલ યોગ-સૂત્રના અભિધેય અર્થ પ્રતિ વ્યાપાર તે અનુયોગ એટલે વ્યાખ્યાન, વ્યાખ્યેય ભેદથી તે ચાર પ્રકારે છે - ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, દ્રવ્યાનુયોગ. તેમાં—
(૧) દ્રવ્યાનુયોગ-જીવાદિનું જે દ્રવ્યપણું વિચારાય તે. પ્રતિ તે તે પર્યાયોને પામે છે અથવા ક્રૂવતે - તે તે પર્યાયો વડે થવે છે. દ્રવ્ય - ગુણ પર્યાયવાળો પદાર્થ. તેમાં જીવમાં સહભાવિત્વ લક્ષણ-જ્ઞાનાદિ ગુણો છે, તેના સિવાય જીવ કદાપિ ન સંભવે. જીવત્વની હાનિ થવાથી તથા માનુષત્વ, બાલાદિ કાલકૃત અવસ્થા લક્ષણો તેમાં છે જ. આથી ગુણપર્યાયવાળું આ દ્રવ્ય આદિ તે દ્રવ્યાનુયોગ.
૨-માતૃકાનુયોગ-માતૃકાની જેમ માતૃકા-પ્રવચન પુરુષની માતા ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય લક્ષણ પદત્રયી, તેણીનો અનુયોગ. જેમ-ઉત્પાદવાળું જીવ દ્રવ્ય છે કેમકે બાલ્યાદિ પર્યાયોની પ્રતિક્ષણમાં ઉત્પત્તિ દેખવાથી અને અનુત્પત્તિમાં તો વૃદ્ધાદિ અવસ્થાની અપ્રાપ્તિનો પ્રસંગથી અસમંજસપણું પ્રાપ્ત થશે. તથા વ્યયવાળું જીવ દ્રવ્ય છે, કેમકે પ્રતિક્ષણે બાલ્યાદિ અવસ્થાનો વ્યય જોવાથી, અવ્યયપણામાં તો સર્વદા બાલ્યાદિની પ્રાપ્તિથી અસમંજસપણું જ થશે. જો સર્વથા ઉત્પાદ, વ્યયવાળું દ્રવ્ય હોય તો કોઈ રીતે ધ્રુવ ન થાય, ત્યારે અકૃત-આગમ, કૃત-વિનાશની પ્રાપ્તિ થશે. પૂર્વ દૃષ્ટ અનુસ્મરણ, અભિલાષાદિ ભાવનો અભાવ થશે. સમસ્ત આલોક-પરલોક સંબંધી આલંબનભૂત અનુષ્ઠાનોનો અભાવ થશે. તે હેતુથી દ્રવ્યપણાએ આનું વપણું છે. - ૪ - એ માતૃકાનુયોગ છે.
૩-એકાર્થિકાનુયોગ-એક એવો અર્થ કહેવા યોગ્ય જીવાદિ પદાર્થ, તે જેઓને છે તે એકાર્થિક-શબ્દો, તે વડે અનુયોગ-તેનું કથન તે એકાર્થિક અનુયોગ. જેમ જીવદ્રવ્ય પ્રતિ જીવ, પ્રાણી, ભૂત, સત્વ અથવા એકાર્થિકોનો જે અનુયોગ, જેમ પ્રાણ ધારણથી જીવ, ઉચ્છ્વાસાદિના અસ્તિતત્વથી પ્રાણી, સર્વદા થવાથી ભૂત, સદા હોવાપણાથી સત્વ ઇત્યાદિ.
૪-કરણાનુયોગ-જેઓના વડે કરાય તે કરણ, તેનો અનુયોગ. તે આ-કર્તા જીવદ્રવ્યને વિચિત્ર ક્રિયામાં સાધકતમ કાલ-સ્વભાવ-નિયતિ-પૂર્વકૃત છે, પણ એકાકી જીવ કંઈ કરવા શક્તિમાન નથી અથવા માટી દ્રવ્ય, કુંભાર, ચક્ર, ચીવર અને
દંડાદિક કરણકલાપ વિના ઘટ લક્ષણ કાર્ય પ્રત્યે ઘટી ન શકે માટે તેના કારણો છે