SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૬-૫૩૯ થી ૫૪૩ • વિવેચન-૫૩૯ થી ૫૪૩ : [૩૯] અકષાયી આભા જ આત્મા હોય છે કેમકે સ્વ સ્વરૂપે સ્થિત છે જે કપાયયુક્ત હોય તે અનાત્મવાનું. તેને પથ્ય માટે, પાપ કે દુ:ખ માટે, અસંગતપણા માટે કે અશાંતિ માટે, અકલ્યાણ માટે, અશુભાનુબંધ માટે થાય છે. કેમકે માનના કારણથી આ લોક - પરલોકના દોષનો ઉત્પન્નકત છે. - પર્યાય - જન્મકાળ કે પ્રવાકાળ, તે મહાનું માનવું કારણ છે, તેથી મહાનું એવું વિશેષણ ગ્રહણ કરવું અથવા ગૃહસ્થાપેક્ષાએ અલા દીક્ષાપર્યાય પણ માનનો હેતુ થાય છે. તેમાં મહાન જન્મ પર્યાય બાહુબલિવતુ અહિત માટે થાય છે. એમ બીજા પણ યથાસંભવ કહેવા. વિશેષ આ - રિયાન - શિષ્ય આદિ પરિવાર, શ્રી - પૂર્વગાદિ. કહ્યું છે - જે બહુશ્રુત હોય, બહુજનસંમત હોય, શિષ્ય સમુદાય સહિત હોય, પણ સિદ્ધાંતમાં અવિનિશ્ચિત હોય તો તે સિદ્ધાંત પ્રત્યેનીક થાય છે. તપ - અનશનાદિ, નાજ - અન્ન આદિનો, પૂના - સ્તવ આદિ રૂપ. સTY • વય આદિ વડે અભ્યર્ચન કે પૂજાને વિશે આદર તે પૂજાસત્કાર. [૫૪૦ થી ૫૪૨) નાતિ - માતૃપક્ષ, સર્વ - અપાય, નિર્દોષ તે જાતિ આર્યો અર્થાત વિશુદ્ધ માતૃક. અંબષ્ઠ આદિ છ ઇભ્યજાતિ છે. હાથીને યોગ્ય તે ઇભ્યો, જેના દ્રવ્યના સ્તૂપથી આચ્છાદિત અંબાડી સહિત ઉભેલો હાથી ન દેખાય તે ઇભ્યો તેવી કૃતિ છે. ઇભ્ય-દ્રવ્યવાન. તે જાતિ તે ઇભ્યજાતિ. જીત - પિતૃપક્ષ. રાજા ગઢષભે જેને આરક્ષકપણે સ્થાપેલા તેના વંશજો તે ઉગ્ર, ગુરુપણે સ્થાપેલ તેના વંશજો તે ભોગ. મિuપણે સ્થાપેલાના વંશજો તે રાજન્ય, ઋષભદેવના વંશજ તે ઇવાકુ, ડાત અને કૌરવ તે પ્રભુ મહાવીર અને શાંતિનાથના વંશજો. અથવા આ લોકરૂઢિ છે. [૫૪]] આ જાતિ, કલ આદિક લોક સ્થિતિ છે, માટે લોકસ્થિતિની સમીપતાથી તે કહે છે - તેમાં વિશેષ આ કે - મનીવ - દારિકાદિ પુદ્ગલો, તે જીવોમાં પ્રતિષ્ઠિત (રહેલા છે. આ નિશ્ચિત વચન ન જાણવું. કેમકે જીવના વિરહથી પણ જીવોનું રહેવું થાય. પૃથ્વી સિવાય પણ જેમ બસ સ્થાવર છે. જીવો જ્ઞાનાવરણાદિ કમને વિશે રહેલા છે. પ્રાયઃ કર્મરહિત જીવોનો અભાવ છે. અનંતર કર્મપ્રતિષ્ઠિત જીવો કહ્યા. તેઓની દિશાને વિશે જ ગત્યાદિ હોય છે. માટે દિશા અને તેને વિશે ગતિ આદિ પ્રરૂપે છે– • સૂત્ર-૫૪૪ થી ૫૪૮ - [૫૪૪] છ દિશાઓ કહી છે - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉd, અધો. (૧) આ છ દિશામાં જીવોની ગતિ પ્રવર્તે છે. એ રીતે (૨) આગતિ, (૩) વ્યુત્ક્રાંતિ, (૪) આહાર, (૫) વૃદ્ધિ, (૬) નિવૃદ્ધિ, (૩) વિકુવા , (૮) ગતિપર્યાય, (6) સમુદઘાત, (૧૦) કાલસંયોગ, (૧૧) દર્શનાભિગમ, (૧) જ્ઞાનાભિગમ, (૧૩) જીવાભિગમ, (૧૪) આજીવાભિગમ એમ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને પણ જાણવું. [૫૪૫) છ કારણે શ્રમણ નિર્ગસ્થ આહાર કરતો આજ્ઞાને ન ઉલ્લંધે. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ [૫૪૬] વેદન, વૈયાવચ્ચ, ઇયર્થિ, સંયમા, પ્રાણનિમિતે, ધર્મચિંતા માટે. [૫૪] છ કારણે શ્રમણ નિન્યિ આહારને dજતા આજ્ઞા ન ઉલ્લંઘ. [૫૪] આતંક, ઉપસર્ગ, તિતિક્ષણ, બહાચર્યગુપ્તિ, પાણિદયાર્થે તપ હેતુથી, શરીરનો ત્યાગ કરવા માટે [હારને તજે.J. • વિવેચન-૫૪૪ થી ૫૪૮ : [૫૪૪] આ સૂત્ર સમૂહની સ્થાન-3-માં વ્યાખ્યા કરેલ છે. તો પણ કંઈક કહે છે પ્રભવન - પૂર્વ, પ્રતીક્વીન - પશ્ચિમ, કરી વન - ઉત્તર. વિદિશા, દિશાઓ નથી માટે છ દિશા કહી છે. અથવા આ છ વડે જ જીવોના ગતિ આદિ પદાર્થો પ્રાયઃ પ્રવર્તે છે. અથવા છ સ્થાનકના અનુરોધથી વિદિશાઓની વિવક્ષા કરી નથી, માટે ‘છ' જ દિશાઓ કહી. છ દિશાઓ વડે જીવોની ગતિ-ઉત્પત્તિ સ્થાન ગમત પ્રવર્તે છે. કેમકે તેઓનું ચાનુશ્રેણી ગમન છે. આ રીતે ચૌદે સૂત્રો સમજવા. વિશેષ એ કે (૧,૨) ગતિ, આગતિ, પ્રજ્ઞાપકના સ્થાનની અપેક્ષાવાળા પ્રસિદ્ધ છે. (3) વ્યુત્ક્રાંતિ • ઉત્પત્તિસ્થાનને પામેલાનું ઉપજવું, તે પણ જુગતિમાં છે દિશાને વિશે જ હોય... (૪) આહાર - તે પણ છ દિશામાં જ છે, કેમકે આ છે દિશાઓના પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલોનો જ જીવ વડે આહાર છે. એ રીતે વૃદ્ધિ આદિમાં છ દિશાનું યથાયોગ્યપણું વિચારવું. (૫) વૃદ્ધિ - શરીરની, (૬) નિવૃદ્ધિ - તેની હાનિ, (૩) વિદુર્વણા - વૈક્રિયકરણ, (૮) ગતિપર્યાય- ગમનમાઝ, પણ પરલોક ગમન નહીં. - X - (૯) સમુદ્ધાતવેદનાદિ • સાત પ્રકારે. (૧૦) કાલસંયોગ - સમયક્ષેત્રમાં આદિત્યાદિ પ્રકાશ સંબંધ લક્ષણ. (૧૧) દર્શન-સામાન્યગ્રાહી બોધ, તે અવધિ આદિ પ્રત્યક્ષ રૂપ લેવા, તેના અભિગમ - વસ્તુનો પરિચ્છેદ કે પ્રાપ્તિ તે દર્શનાભિગમ. (૧૨) એ રીતે જ્ઞાનાભિગમ જાણવો. (૧૩) જીવાભિગમ - અવધિ આદિ પ્રત્યક્ષ વડે જીવોને જાણવું. (૧૪) અજીવાભિગમ - પુદ્ગલાસ્તિકાયને અવધિ આદિથી પ્રત્યક્ષ જાણવા... - આ ચૌદ સૂત્રો કહ્યા, તેમ ચોવીશ દંડક વિચારણામાં પંચેન્દ્રિય તિર્યંચયોનિકના છ દિશામાં ચૌદ સૂત્રો જાણવા. તેમજ મનુષ્ય સંબંધી ચૌદ સૂત્રો પણ કહેવા. શેષ નાચ્છાદિમાં છ દિશાઓમાં ગતિ આદિનો સમતપણે અસંભવ છે. નાકાદિ બાવીશ દંડકોમાં જીવનો નાક અને દેવ વિશે ઉત્પન્ન થવાનો અભાવ છે. ઉર્વ-અધો દિશા વિવક્ષાથી ગતિઆગતિનો અભાવ થાય. તેમને દર્શન, જ્ઞાન, જીવ જીવ અભિગમ ગુણ પ્રત્યયિક અવધિ લક્ષણ પ્રત્યક્ષ રૂપે ન સંભવે. ભવ પ્રત્યયિક અવધિ પક્ષમાં તો નાક અને જ્યોતિકો તિર્પગુ અવધિવાળા, ભવનપતિ અને વ્યંતર ઉધઈ અવધિક, વૈમાનિકો અધો અવધિક હોય છે. શેષ જીવો અવધિ રહિત છે - x • x - . અનંતર સૂરમાં મનુષ્યોને અજીવોનો બોધ કહ્યો. માટે મનુષ્ય સંબંધથી આહાર ગ્રહણ અને અગ્રહણના કારણો બે સૂત્રો વડે કહે છે [૫૪૫ થી ૫૪૮] સૂઝ સુગમ છે. વિશેષ એ કે - ચશનાદિ આહારને વાપરતો
SR No.008998
Book TitleAgam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages109
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy