SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨/૪૫૩ ૧૫ યુગલને યોનિમાં પ્રવેશ કરાવે. (૫) જળાશયમાં શીતળ જળમાં આચમન માટે કોઈ સ્ત્રી જાય અને તે સમયે તેની યોનિમાં શુક્રાણુ જાય. પાંચ કારણે સ્ત્રી, પુરુષ સાથે સહવાસ કરવા છતાં ગર્ભ ધારણ ન કરે - (૧) પાપ્ત ચૌવન (અતિકાંત ચૌવન, (૩) જન્મથી વંધ્યત્વ, (૪) જે રોગી હોય, (૫) દૌમનિસ્યા. આ પાંચ કારણે ચાવતું ન ધારણ કરે પાંચ કારણે સ્ત્રી, પુરુષ સાથે સહવાસ કરdf ગર્ભ ધારણ ન કરે : (૧) નિત્ય રજસ્ત્રાવ થતો હોય, (૨) કી રજસ્રાવ ન થતો હોય, (3) ગભશિયદ્વાર આવૃત્ત હોય, (૪) ગભશિયદ્વાર રોગગ્રસ્ત હોય, (૫) અનંગપતિસેવની હોય આ પાંચ કારણે સ્ત્રી, પુરષ સાથે સંભોગ કરવા છતાં ગર્ભવતી ન થાય. પાંચ કારણે સ્ત્રી ચાવતુ ગર્ભ ધારણ ન કરે : (૧) રજમાવકાળમાં યષિ સાથે સવિધિ સહવાસ ન કરે, (૨) યોનિદોષથી શુક્રાણુ નષ્ટ થાય, (3) પિત્તાધાન લોહી હોય, (૪) પૂર્વે દેવતા દ્વારા શક્તિ નષ્ટ કરાય, (૫) પુત્રફળને યોગ્ય કર્મ કરેલ ન હોય. - આ પાંચ કારણે સ્ત્રી યાવતુ ગર્ભ ધારણ ન કરે. • વિવેચન-૪૫૪ : ઉક્ત ચારે સૂત્રો સરળ છે. વિશેષ આ - (૧) વિવૃત્ત - અનાચ્છાદિત, તે ઉત્તરીય વસ્ત્રાદિની અપેક્ષાએ પણ હોય, આ કારણથી ૩: શબ્દ વડે વિશેષિત કરાય છે દુષ્ટ રીતે વરરહિત - સર્વથા વસ્ત્રરહિત સ્ત્રી અથવા ખુલ્લા સાથળવાળી તે દુર્વિવૃતા, જે સ્ત્રી દુર્વિવૃતા હોય અને વિરૂપપણે બેઠેલી હોય. કોઈપણ રીતે પુરુષથી નીકળેલ શુકના પુદ્ગલવાળી ભૂમિ પાટ વગેરે આસન પ્રત્યે ગુહ્ય પ્રદેશ દબાવીને બેઠેલી હોય તે દુર્વિવૃત - દુર્નિયણા. કોઈ પુરુષથી નીકળેલ અને આસને રહેલ શુક પુદ્ગલો તે સ્ત્રીની યોનિના આકર્ષણ વડે સંગ્રહ કરે. (૨) વીર્યથી ખરડાયેલા વસ્ત્રને તે સ્ત્રી પોતાની યોનિમાં પ્રક્ષેપે, વાના ઉપલક્ષણથી તથાવિધ બીજું પણ કેશીની માતાના કેશવતુ ખણવા માટે કે તનિરોધ માટે પ્રયોજાયેલ હોય તે પ્રવેશ થાય. (3) પુત્રની અર્થી હોવાથી અને શીલની રક્ષા કરનારી તે સ્ત્રી શુક પુદ્ગલોને સ્વયં યોનિમાં પ્રક્ષેપ... (૪) સાસુ વગેરે પુત્રને માટે તેણીની યોનિમાં વીર્યના પુદ્ગલોનો પ્રવેશ કરાવે... (૫) સિદ્ધાંતથી જલ અનેક પ્રકારે હોય માટે કહે છે - તળાવ આદિમાં રહેલ શીતળ જળ, તેના વડે આચમન-શુદ્ધિ કરનારી સ્ત્રીની યોનિમાં પાણીમાં રહેલા કોઈ શુક પુદ્ગલોનો પ્રવેશ થાય. - ઇત્યાદિ નિગમન (રહસ્ય છે. • (૧) પ્રાયઃ બાર વર્ષ સુધી આર્તના અભાવે અપાતું યૌવના હોય છે. (૨) પ્રાયઃ પંચાવન વર્ષથી ઉપર સ્ત્રી યૌવનને ઓળંગી જાય છે. કહ્યું છે - સ્ત્રીની જ મહિનામાં ત્રણ દિવસ સતત શ્રવે છે. બાર વર્ષથી આવે છે અને ૫૦-વર્ષથી ઉપર થાય પામે છે... પૂર્ણ ૧૬ વર્ષની સ્ત્રી, પૂર્ણ ૨૦ વર્ષના પુરુષ સાથે સંગ કરે તો • શુદ્ધ ગર્ભાશય, માર્ગ, ક્ત, શુક, વાયુ, હૃદય શુદ્ધ હોય તો - વીર્યવંત પુત્રને જન્મ આપે છે, તેથી ન્યૂન વર્ષવાળાથી રોગી, અપાયુ, અધન્ય ગર્ભ થાય અથવા થાય જ નહીં ૧૭૬ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અર્થાત ગભશિયાદિ ષક શુદ્ધ હોય તો શ્રેષ્ઠ ગર્ભ થાય છે. આ રહસ્ય છે. (3) જન્મથી આરંભીને બીજના અભાવવાળી તે જાતિ માં.. (૪) ગ્લાનપણાથી પશયિલ - રોગી તે ગ્લાન્ય પૃષ્ટા.. (૫) જેણીને શોકાદિ છે તે દમનસ્વિકા અથવા જેને શોકાદિ ઉત્પન્ન થયા છે તે દર્મનસ્વિતા. - (૧) નિત્ય - ત્રણ દિવસ નહીં પણ સદા તની પ્રવૃતિ જેણીને છે તે નિત્યઋતુકા.. (૨) જેને તરૂપ - ઋતુ વિધમાન નથી તે અતૃકા - તે આ - ઋતુ બાર રાત્રિ પર્યન્ત હોય, તેમાં પહેલી ત્રણ નિંદિત છે, અગિયારમી અને બેકી સંખ્યક સાત્રિમાં પુત્ર થાય અને અન્ય રાત્રિમાં પુત્રી થાય. તે દિવસો વીતી જતાં પાકમલ માફક ઋતુ જતા યોનિ સંકોચ પામે છે તેથી શુકને ગ્રહણ કરતી નથી. માસથી સંચિત ક્ત બે ધમની વડે ઋતુમાં આવે છે, વળી વાયુ, કંઈક કાળું અને દુર્ગન્ધી તને પ્રેરે છે.. () જેણીનું ગભશયના છિદ્ર રૂપ શ્રોત રોગથી નાશ પામેલ છે તે વ્યાપ શ્રોતા.. (૪) વાયુ આદિથી વ્યાપ્ત કે વ્યાવિદ્ધ - વિધમાન ગર્ભાશય પણ હણાયેલ શકિતવાળું. ઉક્તરૂપ શ્રોત જેણીને છે તે વ્યાદિગ્ધ શ્રોતા અથવા વ્યાવિધ શ્રોતા.. (૫) મૈથુનમાં પ્રધાન અંગ લિંગ અને ભગ છે તેના સિવાય અનંગ- કૃત્રિમ લિંગાદિ વડે અથવા મુખાદિ અનંગને વિશે સેવન જેણીને છે અથવા અન્ય-અન્ય પુરુષ સાથે અતિ કામસેવન કરનારી સ્ત્રી તે અનંગ પ્રતિસેવિણી - તવાવિધ વેશ્યા જેવી. • (૧) ઋતુકાળમાં વીર્યનું પતન થાય ત્યાં સુધી પુરુષને અતિ ન સેવે એવા સ્વભાવવાળી સ્ત્રી તે નોનિકામ પ્રતિષેવિણી.. (૨) તે સ્ત્રીની યોનિમાં પ્રાપ્ત શુક્ર પુદ્ગલો યોનિના દોષથી નાશ પામે છે અથવા પુરુષ ચિહ્નના વિરુદ્ધ પ્રવાહને લઈને યોનિથી બહાર પડતાં વિવંસ પામે છે. (3) સ્ત્રીનું લોહી અત્યંત પિત્તપ્રધાન હોય તે બીજ હિત છે.. (૪) ગર્ભના સમય પૂર્વે દેવના પ્રભાવ વડે ગર્ભધારણ શક્તિનો ઉપઘાત થાય અથવા દેવ અને કાશ્મણ દ્રવ્યનો સંયોગ તે દેવ કામણ. તેથી ગર્ભ ઘારણ ન કરે. (૪) પુત્રરૂપ ફળ તે પુત્રફળ અથવા જે કર્મનું પુનરૂપ ફળ છે તે પુત્રફળ તેને ન મેળવેલ હોય. અથવા નિર્વેદ એટલે લોભ તેથી પુગરૂપ ફળ જેનું છે, તે દાન પૂર્વ જન્મ આપેલ નથી, તેથી. સ્ત્રીના અધિકારી સાથ્વીની વક્તવ્યતાવાળું સૂત્ર કહે છે– • સૂત્ર-૪૫૫ - પાંચ કારણે - સાધુ - સાદવી એક્ટ સ્થાન, ભાષા, નિષધા કરે તો જિનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી. (૧) જેમ સાધુ-સાદdી કદાચિત કોઈ મહા લાંબી, નિર્જન, અનિચ્છનીય અટવીમાં પ્રવેશે, ત્યાં એકપણે સ્થાન, શય્યા, નિપધાને કરતા જિનાજ્ઞા ઉલ્લંઘતા નથી. () કેટલાંક સાધુ-સાધી ગામમાં, નગરમાં યાવતુ રાજધાનીમાં રહેવાને આવે, તેમાં કેટલાંકને વસતિ મળે અને કેટલાંકને વસતિ ન મળે તો તે સમયે એ સ્થાનાદિ કરતાં યાવતુ આજ્ઞાનું ઉલ્લંઘતા નથી.
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy