SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૨/૩૪૨ co. ધર્મને છોડે પણ સ્વગચ્છકૃત મર્યાદા ન છોડે, કેટલાંક આચાર્યો તીર્થંકરના ઉપદેશ વિના ગચ્છ વ્યવસ્થા આ રીતે કરે છે - જેમકે અતિશયવાળું મહાકપાદિ શ્રુત અન્ય ગઝવાળાને ન આપવું. આમ કરવાથી તે જિનાજ્ઞાપાલનપ ધર્મને છોડે છે પણ ગચ્છમર્યાદા છોડતો નથી કેમકે સર્વ યોગ્ય મુનિને શ્રત આપવું તે જિનની આજ્ઞા છે. આ પહેલો પુરુષ. જે યોગ્યને શ્રુત આપે છે તે બીજો, જે અયોગ્યને આપે છે. તે ત્રીજો અને શ્રતનો નાશ ન થાય તે માટે શ્રત રક્ષામાં સમર્થ અન્ય ગચ્છના શિયને પોતાના ગચ્છની ક્રિયા કરીને શ્રત આપે છે તે ધર્મ અને ગચ્છમર્યાદાને છોડતો નથી તે ચતુર્થ. કહ્યું છે કે - સ્વયમેવ દિગ્બધ કરીને અન્ય ગચ્છવાળાને જે શ્રુત આપે છે, તે ઉભયને ધારણ કરતો હોવાથી અમે તેને પૂજીએ છીએ. ધર્મમાં પ્રીતિ અને સુખ વડે સ્વીકૃતિ હોવાથી જેને ધર્મપ્રિય છે તે પિયધર્મી છે પણ દેઢધર્મી નથી, આપત્તિમાં પણ ધર્મના પરિણામથી જે ચલિત ન થાય - ક્ષોભ ન પામે તે દેટધર્મી. કહ્યું છે - દશવિધ વૈયાવચ્ચમાં કોઈ એકમાં જદી ઉધમ કરે, પણ દેઢધર્મી ન હોવાથી ધૈર્ય અને વીર્ય - વડે કૃશ હોવાથી પરિપૂર્ણ નિર્વાહ ન કરી શકે, એ પ્રથમ ભંગ. - બીજો દેઢધર્મી છે - અંગીકૃત કાર્યનું પાલન કરે છે, પણ પિયધર્મી નથી, કેમકે કષ્ટ વડે ધર્મને સ્વીકારતો નથી. શેષ ભંગ સુગમ છે. કહ્યું છે - મહા કષ્ટ ધર્મ ગ્રહણ કરે છે, પણ ગ્રહણ કરેલાને બરોબર પાળે છે તે બીજો, બીજો ઉભયપકારે કલ્યાણરૂપ છે, ચોથો ઉભયથી પ્રતિકૂળ છે. આચાર્ય સૂગના ચોથા ભંગ વડે - જે દીક્ષા અને ઉત્થાપના આચાર્ય નથી તે કોણ ? તે કહે છે, ધમચાર્ય - પ્રતિબોધક. કહ્યું છે - જેને ધર્મનો ઉપદેશ કર્યો છે, તે ગૃહસ્થ કે શ્રમણ ધર્મગુરુ છે. કોઈક ત્રણ ભેદે કહે છે - ધર્માચાર્ય, દીક્ષાચાર્ય, ઉપસ્થાપનાચાર્ય. કોઈ બે ભેદે, કોઈ એક ભેદે હોય. ઉદ્દેશન • ગાદિ ણ ભણાવવામાં અધિકારી કચ્છો, તેમાં કે તેના વડે જે આચાર્ય તે ઉદ્દેશાનાચાર્ય. ઉભયશૂન્ય કોણ ? તે કહે છે - ધમચિાર્ય. અંતેવાસી - ગુર સમીપે વસવાના શીલવાળો - શિષ્ય. દીક્ષા વડે અંતેવાસી તે પ્રવાજનાંતેવાસી - દીક્ષિત અને મહાવતારોપણથી ઉપસ્થાપના અંતેવાસી - શિષ્ય. ચોથાભંગવાળો કોણ ? ધર્મના પ્રતિબોધથી કે ધર્મની ઇચ્છાથી આવેલ શિષ્ય તે ધમોવાસી.. જે ઉદ્દેશનાંતેવાસી કે વાયના અંતેવાસી નથી તે ચોથા ભંગવાળો કોણ ? - ધર્માન્તવાસી. બાહ્ય - અત્યંતર પરિગ્રહથી મુક્ત તે નિર્ગુન્ય - સાધુઓ. ભાવથી જ્ઞાનાદિ રનો વડે વિચરે તે સનિક - પર્યાય જ્યેષ્ઠ. શ્રમણ તે નિર્ઝન્ય. સ્થિતિ આદિથી મહાન અને તવાવિધ પ્રમાદાદિ વડે પ્રગટ જણાતાં કર્મો જેને છે તે મહાકર્મી કર્મબંધનના હેતુભૂત કાયિકયાદિ મહાકિયા જેને છે, તે મહા કિયાવાળો. શીતાદિ સહન કરવા રૂપ આતાપના જે નથી કરતો તે અનાતાપી કેમકે તે મંદશ્રદ્ધાવાળો છે. તેથી સમિતિ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ વડે અસમિત, આવા પ્રકારનો સાધુ ધર્મનો આરાધક થતો નથી. બીજો પયરય ઠ, અલાકમાં, અપક્રિય હોવાથી ધર્મનો આરાધક થાય છે. મવમાનવ તે લઘુપર્યાયવાળો સનિક, આ રીતે નિર્ગુન્શી, શ્રમણોપાસક, શ્રમણોપાસિકા સંબંધી ત્રણે સૂત્રોમાં ચારચાર આલાવા થાય છે. • સગ-૩૪૩ થી ૩૪૫ - [૩૪] ચાર પ્રકારે શ્રાવકો કહ્યા • માતાપિતા સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન, શોક સમાન... ચાર ભેદે શ્રાવકો કહ્યા - અરીસા સમાન, પતાકા સમાન, સ્થાણુ સમાન અને ખરકંટક સમાન. [૩૪] શ્રમણ ભગવત મહાવીરના [દશ) શ્રાવકોની સૌધર્મકામાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે.. (3xN) યાર કારણે દેવલોકમાં તુરંતનો ઉત્પન્ન દેવ મનુષ્યલોકમાં ella આવવાને ઇચ્છે તો પણ આવી ન શકે -૧- દેવલોકમાં તકાલ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂતિ, વૃદ્ધ, ગ્રથિત, આસક્ત થયેલો તે દેવ માનુષ્ય કામભોગોમાં આદરવાળો થતો નથી, શ્રેષ્ઠ માનતો નથી, પ્રયોજન નથી એવો નિશ્ચય કરે છે, નિદાન કરતો નથી, સ્થિતિ પ્રકલ્પ કરતો નથી.. -- તુરંતનો ઉત્પન્ન દેવ દેવલોકના કામભોગોમાં મૂર્શિત ચાવતુ આસક્ત થઈને તેને માતાપિતાનો પ્રેમ નષ્ટ થાય છે અને દિવ્ય પ્રેમનો સંકમ થાય છે.. •3- દેવલોકમાં તુરતનો ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂર્ષિત યાવત આસકત થઇ એમ વિચારે કે હમણાં જઉં, મુહૂર્તમાં જઉં, તેટલા કાળમાં અલ્પાયુક મનુષ્યો મરણ પામ્યા હોય છે.. ૪તુરંતનો ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભોગોમાં મૂર્ણિત યાવતું આસક્ત થાય, તેને મનુષ્ય લોકની ગંધ પ્રતિકૂળ, પ્રતિલોમ થાય છે, મનુષ્યલોકની ગંધ પણ યાવતુ ૪૦૦-૫oo યોજન પર્યન્ત આવે છે... આ ચાર કારણે તcકાળ ઉx દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શlણ આવવા ઈચ્છે તો પણ ન આવી શકે. ચાર કારણે તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્ય લોકમાં શીઘ આવવા ઇચ્છે તો શીઘ આવી શકે છે -- તકાળ ઉતપન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં અમૂર્ણિત યાવત અનાસકત હોય, તેને એમ થાય કે - મનુષ્યભવને વિશે માસ આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર ગણિ, ગણધર કે ગણાવચ્છેદક છે, જેના પ્રભાવથી મેં આની દિવ્ય દેવત્રહિત, દિવ્ય દેવહુતિ મેળવી છે. પ્રાપ્ત કરી છે, સન્મુખ આવી છે, હું ત્યાં જઉં, તે ભગવંતને વંદન કરું યાવતુ પર્યાપાસના કરું. -- તત્કાળ ઉતજ્ઞ દેવ દેવલોકમાં ચાવતું આસકત ન થઈને એમ વિચારે કે - આ મનુષ્યભવમાં વીu જ્ઞાની કે તકરવી કે અતિ દુરસ્કારક છે, ત્યાં જઈને હું તે ભગવંતોને વાંદુ ચાવવું પÚપાસના કરું. •3- તત્કાળ ઉત્પન્ન ભવના માતા ચાવતુ પુત્રવધૂ છે ત્યાં જઉં, તેમની પાસે પ્રગટ થાઉં, તેમને આવા સ્વરૂપની આ દિવ્ય દેવત્રહિત, દેવહુતિ મેળવી છે - પામ્યો છું - અભિમુખ થઈ છે તે બતાવું. -- તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકમાં યાવત અનાસક્ત થઈને એમ વિચારે કે
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy