SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૨/૫૫૫,૫૫૬ નિર્જરાને જે જાણે છે. કર્મબંધ અને નિર્જરને તુચતા વડે જે જાણે છે, તેથી જ કહ્યું છે કે જેવા અને જેટલા સંસારના હેતુ છે, તેવા - તેટલા નિર્વાણના હેતુઓ છે, આ બધું જાણે તે જ • x • કિયાવાદને બોલવા યોગ્ય છે. અર્થાત જીવ છે, પુન્ય છે, પાપ છે, પૂવયિતિ કર્મનું ફળ છે તેવો વાદ. જીવાદિ નવ પદાર્થો છે. જે આત્માને જાણે, તેનાથી “જીવ', લોકગી ‘અજીવ', ગતિ આદિથી સ્વભાવ બતાવ્યો. આશ્રવસંવર સીધા કહ્યા. દુ:ખ વડે પુ-પાપ લીધા •x• નિર્જર-x• લીધી, તેના ફળરૂપ મોક્ષ બતાવ્યો. આ બધાં વડે * * કિયાવાદ સ્વીકાર્યો, જે આ પદાર્થો જાણે છે તે પરમાર્થી કિસાવાદ ગણે છે. પ્રિન] બીજા દર્શનના પદાર્થ પરિજ્ઞાનથી સમ્યગ્રંવાદપણું કેમ સ્વીકારતા નથી ? - તેમાં કહેલા પદાર્થ યુરિયુકત લાગતા નથી. જેમકે તૈયાયિક દર્શનમાં પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જા, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહ સ્થાન એ સોળ પદાર્થો કહ્યા છે. તેની વ્યાખ્યાને સંક્ષેપમાં અહીં નોંધી છે, જિજ્ઞાસુઓએ વૃત્તિ જોવી અને અભ્યાસુ પાસે સમજવી.] ૧- પ્રમાણ- સોપાદેય નિવૃત્તિ પ્રવૃત્તિરૂપપણે જેનાથી પદાર્થ ઓળખાય છે. પ્રમાણના ચાર ભેદ-પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ. તેમાં ઇન્દ્રિયોની નજીક જે પદાર્થ હોય તે સંબંધી જ્ઞાન • x પ્રત્યક્ષ પ્રમાણ. જૈનાચાર્ય કહે છે આ પ્રત્યક્ષતા અયોગ્ય છે, જેમાં આત્મા અથાહણ પ્રતિ સાાતું જાણે દેખે તે પ્રત્યક્ષ છે, જે અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન છે. ઇન્દ્રિયથી થતું જ્ઞાન તો પરોક્ષ છે. આ રીતે અમi, jપમા, આગમ પ્રમwsી ચય અને લાચાર્યનો ઉત્તર વૃત્તિમાં જોવો.) આગમ પ્રમાણમાં પણ કેવલીના વચનો જ પ્રમાણભૂત છે. -૨- પ્રમેય ગ્રહણ પણ ઇન્દ્રિય અર્થપણાથી કહેલ છે. જૈનાચાર્ય કહે છે– તે યુકિતથી સિદ્ધ નથી. દ્રવ્ય સિવાય પ્રમેય ગુણો રહી ન શકે અને દ્રવ્ય લેતાં તેના ગુણો અંદર આવી ગયા, તો દા લેવાથી શો લાભ ? આત્માને જીવ પદાર્થપણે ગ્રહણ કર્યો છે, શરીર-ઇજ્યિાદિ અજીવ છે. બુદ્ધિ ઉપયોગ એ જ્ઞાનનો ભાગ હોવાથી તેનો જીવમાં સમાવેશ થઈ જશે, મનમાં દ્રવ્યમના પુદ્ગલરૂપે હોવાથી અજીવ છે, ભાવ મન આત્મના જ્ઞાન ગુણરૂપે છે માટે જીવમાં લીધું - x • x • ઇત્યાદિ. 3- સંશય - આ શું છે ? એવો અનિશ્ચિત પ્રત્યય તે સંશય. -૪- પ્રયોજન • જેને ઉદ્દેશીને ઉધમ કરે તે પ્રયોજન. -પ- દષ્ટાંત • જ્યાં અવિપતિપત્તિ કરવા માટે જે વિષય કહેવાય તે -૬- સિદ્ધાંત - ચાર પ્રકારે છે : (૧) પ્રમાણો વડે પ્રમેયનું ગ્રહણ, (૨) સમાન તંત્ર સિદ્ધ પણ પરતંત્ર અસિદ્ધ, (૩) એક સિદ્ધ થતા બીજા અર્ચની અનુસંગથી સિદ્ધિ થાય તે, (૪) અભ્યપગમ સિદ્ધાંત -- અવયવ • પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, તિગમત એ પાંચ છે. -૮• તકે • સંશય પછી ભવિતવ્યતા પ્રત્યયરૂપ સંદર્ય વિચારણા. [43] સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર -- નિર્ણય - સંશય, તર્ક બાદ ભાવિ નિશ્ચયાત્મક પ્રત્યય. -૧૦- વાદ - પ્રમાણ, તર્ક, સાધનોથી ઉપાલંભ • x • પક્ષ, પ્રતિપક્ષ. -૧૧- જય - વાદ જીતવા માટે છળ આદિથી કરાય છે. -૧૨- વિતંડા - પ્રતિપક્ષ સ્થાપ્યા વિના માથાફોડ કરવી તે. ૧૩- હેવાભાસ - અસિદ્ધ, અનેકાંતિક, વિરુદ્ધ એવા હેતુઓ. -૧૪- કળ - કહેનારનો અર્થ બદલી પૂર્વના અર્ચનો ઘાત કરે. -૧૫- જાતિ - દૂષણાભાસરૂપ હોવાથી અવાસ્તવ છે. -૧૬- તિગ્રહસ્થાન - વાદકાલે વાદી કે પ્રતિવાદી જેતાપી પકડાય. [અહીં મr૧૬-મુદ્દા જોયા છે, તેનું સ્થાપન અને વાર્ય દ્વારા તેનું ખંડન વૃત્તિમાં વિસ્તારથી છે, તે વિરોષ જ્ઞાતા પાસે સમજવું.) 0 હવે વૈશેષિકની વાત કહે છે - વૈશેષિકે કહ્યું તેમાં પણ તવ નથી. જેમકે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય એ છ તવો માને છે. તેમાં દ્રવ્યના નવ ભેદો - પૃવી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આમાં, મન. જૈનાચાર્ય તેનું ખંડન કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભિન્ન દ્રવ્ય નથી - ૪ - આકાશ અને કાળને અમે દ્રવ્ય કહ્યા જ છે દિશા એ આકાશનો જ ભાગ છે, પds દ્રવ્ય નથી. આમાને અમે જીવદ્રવ્ય માનેલ જ છે. દ્રવ્ય મન પુદ્ગલ રૂપ છે. વૃિત્તિકારશ્રીએ વૈશેષિક મતનું ખંડન વિસ્તtuપણી કરે છે, અમે નોંધેલ નથી, જિજ્ઞાસુએ દf અભ્યાસી પાસે સમજી લેવું) છે હવે સાંધ્ય દર્શનનું વર્ણન કરે છે - તેમનું માનવું છે કે પ્રકૃતિ, આમાની સાથે મળતાં આ સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે. પ્રકૃતિ સત્વ, રજ અને તેમની સાખ્યાવસ્થાથી ઉત્પન્ન થાય છે, તેનાથી મહાનું અને મહાનતાથી અહંકાર ઉત્પન્ન થાય છે, તેનાથી ૧૧-ઇન્દ્રિયો પાંચ તમામ થાય છે, તેનાથી પાંચભૂત થાય છે, શૈતી પુનું સ્વરૂપ છે તે અકdઈ, નિર્ગુણ અને ભોકતા છે. ઇત્યાદિ * * * * * * * * * જૈનાચાર્યએ તેમનું ખંડન કરેલ છે - x • x • કેમકે એવું ક્યારેય ન હતું કે આવું જગતું ન હોય. ઇત્યાદિ • * * * * * * * * વળી આત્મા અકતપણે માનવાથી કૃતનો નાશ અને અમૃતના આગમનો દોષ લાગશે અને બંધ અને મોક્ષનો અભાવ થશે. ગુણરહિત આત્મા માનતા જ્ઞાનરહિત આત્મા થશે. તેથી જ્ઞાન વિનાનું સાંખ્યનું બોલવું બાળપલાપ માત્ર છે. - ૭ હવે બૌદ્ધ મતનું નિરૂપણ કરે છે - તેમના માનેલા બાર આયતનો છે. તે આ પ્રમાણે - પાંચ ઇન્દ્રિયો, તેના પાંચ વિષયો, શબ્દાયતન [મન] અને ધમયિતત. • x • આ બાર આયતન માટે પ્રત્યક્ષ, અનુમાન એ બે પ્રમાણો તેઓ માને છે.. જૈનાચાર્યો કહે છે... અમે પાંચ ઇન્દ્રિયો “જીવ'માં લીધી છે, ભાવેન્દ્રિયો જીવમાં ગ્રહણ કરી છે. રૂપ આદિ વિષયો અજીવ હોવાથી જુઘ ગણેલા નથી. શબ્દાયતન યુગલ રૂપ હોવાથી શબ્દને અજીવરૂપે ગ્રહણ કર્યો છે. •x• ધર્માત્મક સુખ-દુ:ખ શાતા-અશાતા ઉદયરૂપે
SR No.008995
Book TitleAgam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy